SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ઉપયોગપૂર્વક અશુદ્ધ ક્રિયા પણ ફળદાયક. [૩૫૩ વ્યત્યાગ્રંડિત (જેમ કે - રાજય પામેલા રામના રાક્ષસો નાશ પામ્યા) રાક્ષસો નાશ પામ્યા પછી રામને રાજય મળ્યું છે. છતાં તેથી ઉલટો ક્રમ છે માટે વ્યત્યાગ્રંડિત ગણાય. કોલિકના દૂધની પેઠે, અથવા ભેરી કંથાની પેઠે ન હોય તે અવ્યત્યાગ્રંડિત. છંદ વડે માત્રાદિ નિયતમાન યુક્ત હોય તે સૂત્રથી પરિપૂર્ણ, અને જે આકાંક્ષાદિ દોષ રહિત હોય તે અર્થથી પરિપૂર્ણ. (એટલે કે ક્રિયાના અધ્યાહારની અપેક્ષા ન રાખે અવ્યાપક ન હોય અને સ્વતંત્ર હોય તે પણ અર્થથી પરિપૂર્ણ કહેવાય છે.) ઉદાત્તાદિ ઘોષ યુક્ત (પરાવર્તનાદિ કાળે) હોય તે પરિપૂર્ણઘોષ (પૂર્વે શિક્ષાકાળે અધ્યાપકે કહેલા ઘોષની સમાન શિખનાર જો ઘોષ કરે, તો તે ઘોષસમ કહેવાય અને પરિપૂર્ણ ઘોષયુક્ત તો શિખ્યા પછી પુનરાવૃત્તિ કરતાં પણ તેવાજ ઘોષથી બોલે; ત્યારે કહેવાય એટલો આ બેમાં તફાવત છે.) બાળક અથવા મુંગાની પેઠે અવ્યક્ત ન બોલે, પણ કંઠ-ઓષ્ઠ રહિતપણે સ્પષ્ટ બોલે ગુરૂવાચનાથી પ્રાપ્ત કરેલું બોલે પણ પુસ્તકાદિમાંથી ચોરેલું ન બોલે, અથવા સ્વતંત્ર શીખેલું કે છાનુંમાનું કાને સાંભળેલું પણ ન બોલે. ૮૫૧-૮૫૭. શિષ્ય પૂછે છે કે - आगमओऽणुवउत्तो, वत्ता दबंति सिद्धमावासं । किं सिक्खियाइसुयगुणविसेसणे फलमिहऽभहियं ॥८५८॥ ઉપયોગ શૂન્ય વક્તા આગમથી દ્રવ્યાવશ્યક છે એમ સિદ્ધ થાય છે, તો પછી શ્રુતના શિક્ષિતાદિ ગુણરૂપ વિશેષણો વડે શું અધિક લાભ છે ? ૮૫૮. શ્રીગુરૂ એનો ઉત્તર આપે છે. जह सव्वदोसरहियंपि, निगदओ सुत्तमणुवउत्तस्स । दव्यसुयं दव्यावासयं च तह सवकिरियाओ ॥८५९॥ उवउत्तस्स उ खलियाइयंपि सुद्धस्स भावओ सुत्तं । साहइ तह किरियाओं, सव्वाओ निज्जरफलाओ ॥६॥ જેમ સર્વદોષરહિત એવું પણ સૂત્ર ઉપયોગરહિત બોલનારને દ્રવ્યશ્રુત અને વક્ષ્યમાણ દ્રવ્યાવશ્યક ગણાય છે, તેવી રીતે પડીલેહણાદિ સર્વ ક્રિયાઓ પણ દ્રવ્યક્રિયા ગણાય છે; વળી જેમ શુદ્ધ ઉપયોગ-વાળાને સ્કૂલનાદિ દોષ છતાં પણ તે ભાવઠુત છે, તેમ ઉપયોગવાળાને અલનાવાળી પણ સર્વ ક્રિયાઓ નિર્જરાનું ફળ સાધે છે. ૮૫૯-૮૬૦. શિક્ષિતાદિ વિશેષણો કહેવાનું કારણ એ છે કે શિક્ષિતાદિ ગુણયુક્ત હોવાથી સર્વદોષ રહિત છતાં પણ ઉપયોગ રહિત બોલનારાનું તે શાસ્ત્ર દ્રવ્યાવશ્યક તે દ્રવ્યદ્ભુત છે, અને પડિલેહણ-પ્રમાર્જન આદિ બધી બધી ક્રિયાઓ પણ ઉપયોગ રહિત કરનારને મુખ્ય ફળ રહિત દ્રવ્યક્રિયાઓ જ થાય . છે; પરંતુ શુદ્ધ ઉપયોગ સહિત બોલનારાને અલિતાદિ દોષયુક્ત છતાં પણ તે સૂત્ર તેને ભાવકૃત થાય છે અને પડિલેહણાદિ બધી ક્રિયાઓ પણ અલનાદિ દોષોવાળી હોય, તો પણ ઉપયોગ સહિત કરનારાને કર્મનિર્જરા કરનાર થાય છે, તેથી ભગવંતે કહેલા સર્વ અનુષ્ઠાનોમાં ઉપયોગયુક્ત રહેવાનો યત્ન કરવો. ૮૫૯-૮૬૦. વળી ન્યૂનાધીક અક્ષરવાળું શ્રુત બોલવામાં દોષ છે, તે લૌકિક ઉદાહરણો કહીને સાબિત કરે છે. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy