SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦] ઋદ્ધિઓનું વર્ણન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્પન્ન ન થયું હોય તેવા મતિશ્રુત ચારિત્રવાળાને પ્રથમ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે મન:પર્યવજ્ઞાનીમાં પણ કેટલાકને પાછળથી અવધિજ્ઞાન થાય છે. વળી અનાહારી અને અપર્યાપ્તા પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાનવાળા જ કહ્યા છે, પામતા નથી કહ્યા; પરંતુ અહીં તો જેઓ સમ્યક્ત્વથી પડ્યા ન હોય એવા તિર્યંચ-મનુષ્યોમાંથી જેઓ દેવ-નારકી થાય છે, તેઓ અવિધજ્ઞાન પામતા પણ હોય છે. પૂર્વપ્રતિપત્ર પણ મતિજ્ઞાનની પેઠેજ સમજવા એટલે કે જેઓ પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાનવાળા કહ્યા છે, તે અવધિજ્ઞાનના પણ પૂર્વપ્રતિપત્ર જાણવા. તેમાં વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય અવધિજ્ઞાનના પૂર્વપ્રતિપક્ષ નથી હોતા, કારણ કે તેઓ જો સાસ્વાદનસમ્યગ્દષ્ટ હોય તો મતિજ્ઞાનના પૂર્વપ્રતિપત્ર કહ્યા છે. પણ તેઓ અવધિજ્ઞાનના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન એ બેમાંથી એક પણ ભેદમાં નથી. ૭૭૭-૭૭૮. ગતિ આદિ દ્વાર પૂર્ણ થયું, હવે બાકીની ઋદ્ધિઓ કહે છે. (૬૬) ગામોહિ વિઘ્નોસહિ, એનોસદ્ધિ નન્નોસઠ્ઠી જેવ । संभिन्नसोय उजुमइ, सव्वोसहिचेव बोद्धव्या ॥ ७७९ ।। (७०) चारण आसीविस केवली य, मणनाणिणो य पुव्वधरा । ગર્હતું-ચવટ્ટી, વ તેવા વાસુદેવા ૪ ૦૮૦ની ૧. આમર્ષઔષધિ, ૨. વિષુૌષધિ, ૩. શ્લેષ્મઔષધિ, ૪. મલૌષધિ, ૫. સંભિન્નશ્રોતા, ૬. ઋમતિ, ૭. સર્વોષધિ, ૮. ચારણવિદ્યા, ૯. આશીવિષ, ૧૦. કેવળી, ૧૧. મન:પર્યવજ્ઞાની, ૧૨. પૂર્વધર, ૧૩. અર્હન્ત, ૧૪. ચક્રવર્તી, ૧૫. બળદેવ, અને ૧૬. વાસુદેવ; એ ઋદ્ધિઓ જાણવી. ૭૭૯-૭૮૦. ૧. આમર્ષઔષધિ હસ્તાદિના સ્પર્શમાત્રથી જ કોઈપણ રોગીના રોગને દૂર કરવાને સમર્થ જે લબ્ધિ થાય તે. અહીં લબ્ધિ અને લબ્ધિમાનનો અભેદ ઉપચાર કરવાથી એ લબ્ધિમાન્ સાધુ જ આમર્ષઔષધિ કહ્યા છે. ૨. વિઝુડૌષધિ, ૩. શ્લેષ્મઔષધિ, ૪. મલૌષધિ, આલબ્ધિવાળાના ઝાડો, પિશાબ, શ્લેષ્મ (કફ) અને મેલ એ બધા સુવાસિત હોય છે, તેમજ પોતાના અથવા પરના રોગોને દૂર કરવાની બુદ્ધિથી તેનો સ્પર્શ કરતાં તે રોગો દૂર થાય છે. ૫. સંભિન્નશ્રોતલબ્ધિ-જે લબ્ધિથી શરીરના સર્વ ભાગો વડે સાંભળી શકે તે. અથવા પાંચમાંની કોઈપણ ઈન્દ્રિયવડે બાકીની સર્વ ઈન્દ્રિયવડે જાણી શકાય એવા વિષયોને જાણે તે સંભિન્નશ્રોતા કહેવાય. અથવા શ્રોત્ર ઈન્દ્રિય ચક્ષુનું કાર્ય કરનાર થવાથી ચક્ષુપણાને પામેલ હોય, અને ચક્ષુ શ્રોત્રનું કાર્ય કરનાર થવાથી શ્રોત્રપણાને પામેલ હોય, એમ જેની સર્વઈન્દ્રિયો પરસ્પર એકરૂપતાને પામેલ તે સંભિન્નશ્રોતા કહેવાય. તેમજ બાર યોજન પર્યંત વિસ્તારાએલા અને એકીસાથે બોલનારા ચક્રવર્તીના લશ્કરના શબ્દોને, તથા એકીસાથે વગાડાતા તેમના વાજિંત્રોના પરસ્પર લક્ષણ અને ભેદથી જુદા જુદા એવા શબ્દો, અને ભિન્ન ભિન્ન મનુષ્યોથી થયેલા શંખભેરી આદિના ઘણા શબ્દો જે એકીસાથે સાંભળે તે પણ સંભિન્નશ્રોતા કહેવાય છે. આ સંભિન્નશ્રોતાલબ્ધિ પણ ઋદ્ધિજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy