SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬] દ્રવ્ય આદિનાં વૃદ્ધિનહાનીનો નિયમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ ગાથાના અર્ધભાગની વ્યાખ્યા બીજા પ્રકારે છે, એક દ્રવ્યાદિની વૃદ્ધિમાં બીજાની વૃદ્ધિજ પણ હનિરૂપ વિપર્યાસ નહી, પણ એકની વૃદ્ધિમાં બીજાનું અવસ્થાન પણ હોય છે. અને એક દ્રવ્યાદિની હાનીમાં બીજાની હાનીજ હોય પણ વૃદ્ધિરૂપ વિપર્યાસ નહીં પણ અવસ્થાન તો હોય છે. અને ક્ષેત્રાદિની અસંખ્યાતમા ભાગે વૃદ્ધિ છતે બીજાની પણ ભાગવૃદ્ધિ થાય અથવા અવસ્થાન રહે છે. ગુણાકાર વૃદ્ધિ નથી થતી, અને ગુણવૃદ્ધિ છતે બીજાની ગુણવૃદ્ધિ થાય છે અથવા અવસ્થાન રહે છે; પણ ભાગવૃદ્ધિ નથી થતી. તેમજ દ્રવ્યાદિની સંખ્યાતાદિ ભાગે વૃદ્ધિ થતાં અન્યની સંખ્યાતાદિ ભાગે વૃદ્ધિ થાય (પણ સંખ્યાતાદિ ગુણ ન થાય). અને સંખ્યાતાદિ ગુણ વૃદ્ધિ થતાં અન્યની પણ સંખ્યાતાદિ ગુણ જ વૃદ્ધિ થાય (પણ ભાગવૃદ્ધિ ન થાય). (આ પ્રમાણે વૃદ્ધિ-હની પ્રાયઃ સમજવી, કેમકે ક્ષેત્રાદિમાં સંખ્યાતાદિ ભાગવૃદ્ધિ થયે દ્રવ્યાદિમાં સંખ્યાતાદિ ગુણવૃદ્ધિ પણ થાય છે). ૭૩૩. આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે : कह खेत्तसंखभागाइसंभवे संभवो न दव्वेऽवि ? । किह वा दब्बेऽणते, पज्जवऽसंखिज्जभागाइं ।।७३४॥ ક્ષેત્રની અસંખ્યાત ભાગાદિ વૃદ્ધિ થએ, દ્રવ્યમાં પણ તેવી વૃદ્ધિ કેમ ન થાય? તથા દ્રવ્યની અનન્ત ભાગાદિ વૃદ્ધિ થયે, પર્યાયોની અસંખ્યાત ભાગાદિ વૃદ્ધિ કેમ થાય છે? ૭૩૩. આધારભૂત ક્ષેત્રની અસંખ્યાત ભાગાદિ ચારે પ્રકારે વૃદ્ધિ થતાં, તે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યોની પણ એ પ્રમાણે વૃદ્ધિ કેમ નથી થતી? અને છ એ પ્રકારેજ કેમ થાય છે? તથા દ્રવ્યના અનંતપણામાં દ્રવ્યની અનન્ત ભાગાદિ બે પ્રકારે વૃદ્ધિ થતાં, પર્યાયોની અસંખ્યાત ભાગાદિ વૃદ્ધિ કેમ થાય છે? અથવા દ્રવ્યમાં અનંતગુણવૃદ્ધિમાં પર્યાયોની અસંખ્યાત ગુણવૃદ્ધિ કેમ થાય છે ?, મતલબ કે દ્રવ્યો ક્ષેત્રના આધારે છે, અને પર્યાયો દ્રવ્યના આધાર છે, તેથી જેવી હાની-વૃદ્ધિ આધારની થાય, તેવીજ હાની-વૃદ્ધિ આધેયની પણ થવી જોઇએ, તેમ છતાં ક્ષેત્રની વૃદ્ધિ-હાની ચારે પ્રકારે, દ્રવ્યની બે પ્રકારે અને પર્યાયની છ પ્રકારે કેમ થાય છે એમ વિચિત્રતા કેમ ? ૭૩૪. આચાર્યશ્રી એ પ્રશ્નોના ઉત્તર આપે છે खेत्ताणवत्तिणो पोग्गला, गणा पोग्गलाणवत्तीय। सामण्णा विण्णेया, न उ ओहिन्नाणविसयम्मि ।।७३५॥ ક્ષેત્રાનુવર્તિ યુગલો છે અને પુદ્ગલાનુવર્તિ ગુણ અનેક પર્યાયો છે, એમ સામાન્યથી જાણવું. પણ અવધિજ્ઞાનથી જાણવાના વિષયમાં એમ નથી. ૭૩૫. પરમાણુ-સ્કંધ વિગેરે પુદ્ગલો ક્ષેત્રાનુવતિ છે, અને ગુણ-પર્યાયો પુદ્ગલાનુવર્તિ છે, એ એમનું સામાન્ય સ્વરૂપ છે. કારણ કે સમસ્ત લોકાકાશના અસંખ્યાતમા ભાગાદિમાં સમસ્ત પુદ્ગલાસ્તિકાયનો અસંખ્યાતમાદિ ભાગજ સામાન્યસ્વરૂપે વર્તે છે, તથા સમસ્ત પુદ્ગલાસ્તિકાયના અનન્તમાદિ ભાગમાં સમસ્ત પર્યાય રાશીના પણ અનન્તમાદિ ભાગો છે. આ કારણથી ક્ષેત્રની અસંખ્યયાદિ ભાગે વૃદ્ધિ-હાની થતાં, તદનુસારે દ્રવ્યની પણ તેવીજ વૃદ્ધિનહાની થાય, તથા દ્રવ્યની અનન્તમાં ભાગાદિ વૃદ્ધિ-હાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy