SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] વર્ગણા સાથે અવધિજ્ઞાનનો વિષય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે અવધિ મનોદ્રવ્ય જાણે છે, તે લોકનો અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જાણે છે. જે કર્મયોગ્ય દ્રવ્ય જુએ છે તે લોક અને પલ્યોપમના સંખ્યાતમા ભાગોને જાણે છે. અને સંપૂર્ણ લોક જોનાર અવધિ કંઇક ન્યૂન પલ્યોપમ કાળ જુએ છે. (અહીં દ્રવ્યસાથે ક્ષેત્ર-કાળનો સંબંધ પ્રસ્તુત છતાં) શા માટે શુદ્ધ ક્ષેત્ર-કાળનું અહીં અસ્થાને ગ્રહણ કર્યું છે ? ક્ષેત્ર-કાળ એ બેજ માત્ર જુએ છે એમ જે કહ્યું છે, તે કર્મદ્રવ્ય અતિક્રમીને તે પછી અનુક્રમે ધ્રુવવર્ગણાદિ દ્રવ્ય જોતાં તે અનુમાનથી છેક પરમાવધિ સાધે છે. (એમ સામર્થ્યથી સમજવું) ૬૭૦-૬૭૧-૬૭૨. હવે બીજો પણ દ્રવ્ય-ક્ષેત્ર અને કાળનો સંબંધ કહે છે. (૪૩) તેયા-મસરીરે, તેથી ય માસ ચા યોદ્ધવસંàના, રીવ-સુદાં ય ત ય ૬૭રૂll તૈજસશરીર અને કાર્મણશરીર જોનાર અવધિ, તથા તૈજસદ્રવ્ય અને ભાષાદ્રવ્ય જોનાર અવધિ, ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર અને કાળથી પલ્યોપમના અસંખ્યાતા ભાગોને જુએ છે. ૬૭૩. તૈજસશરીર અને કાર્યણશરીર જાણનાર અવધિજ્ઞાન, તથા તૈજસવર્ગખાદ્રવ્ય અને ભાષાવર્ગખાદ્રવ્ય જાણનાર અવધિજ્ઞાન, ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર અને કાળથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગોને જાણે છે. અહી તેજસ અને કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ક્ષેત્ર અને કાળથી સામાન્યપણે સમાન કહ્યો છે, તો પણ એટલું વિશેષ સમજવું કે તૈજસશરીર કરતાં કાર્મણશરીર સૂક્ષ્મ છે, તેથી કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ક્ષેત્ર અને કાળથી, તૈજસશરીર જોનાર અવધિજ્ઞાન કરતાં વિશેષ સમજવો. કાર્મણશરીર કરતાં પણ નહી બંધાયેલા તૈજસવર્ગખાદ્રવ્ય સૂક્ષ્મ હોવાથી તૈજસવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો વિષય કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનના વિષય કરતાં વધારે જાણવો. તૈજસવર્ગખાદ્રવ્ય કરતાં ભાષાવર્ગખાદ્રવ્ય સૂક્ષ્મ હોવાથી તૈજસવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાન કરતાં ભાષાવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો વિષય વધારે જાણવો. પ્રશ્ન :- પહેલાં કર્મવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો જે વિષય કહ્યો છે, (લોકના તથા પલ્યોપમના સંખ્યાતા ભાગો કહ્યા છે) તે કરતાં કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ઓછો કહ્યો છે, તેનું કારણ. ? ઉત્તર :- પહેલાં જે કર્મવર્ગખાદ્રવ્ય કહ્યાં છે, તે જીવે શરીરપણે નહિ બાંધેલા (નહિ ગ્રહણ કરેલાં) દ્રવ્યો કહ્યાં છે-અને અહિ તો શરીરપણે ગ્રહણ કરેલાં દ્રવ્યો કહ્યાં છે. શરીરપણે નહિ ગ્રહણ કરેલા દ્રવ્યો કરતાં ગ્રહણ કરેલાં દ્રવ્યો પૂલ હોય છે; જેમ નહિ વણાએલા તખ્તઓ કરતાં વણાએલા તખ્તઓ સ્થૂલ હોય છે, તેમ અહીં પણ સમજવું. તેથી અહીં કાશ્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ઓછો કહ્યો છે. ૬૭૩. ઉપરોક્ત અર્થ કહેનાર ભાષ્ય ગાથા કહે છે. एयाइं जओ कम्मयदव्बेहिंतोऽतिथूलयरयाई। तेयाइयाई तम्हा, थोवयरा खेत्त-काल त्थ ॥६७४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy