SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨] કુવઆદિ વર્ગણાનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જેની પાસે હોય તે તેના જેવી જણાય છે, તે કારણથી તે તે વર્ગણાના અયોગ્યપણાનો વ્યવહાર કરાય છે. એમ પહેલાં જ કહ્યું છે. આ પ્રમાણે દરેકના ત્રણ ત્રણ ભેદો થાય છે. ૬૩૭. હવે કાશ્મણ વર્ગણાની ઉપર બીજી વર્ગણાઓ છે કે નહિ ? તેના ઉત્તરમાં કહે છે. (४०) कम्मोवरिं धुवेयर-सुण्णेयरवग्गणा अणंताओ । चउधुवणंतरतणुवग्गणा य मीसो तह अचित्तो ॥६३८॥ કર્મવર્ગણા ઉપર ધ્રુવ-અધુવ-શૂન્ય અને અશૂન્ય વર્ગણાઓ અનંતી છે. તે પછી ચાર ધુવાનન્તર અને ચાર શરીરવર્ગણા છે, તેમજ (તે ઉપર) મિશ્રવર્ગણા અને અચિત્ત મહાત્કંધ છે. ૬૩૮. એ નિર્યુક્તિની ગાથા છે, તેના અર્થને ભાગ્યકાર મહારાજ સવિસ્તાર કહે છે. निच्चं होंति धुवाओ, इयरा लोए न होंतिवि कयाइ । एगुत्तरवुड्डीए, कयाइ सुण्णंतराओऽवि ॥६३९॥ जाओ हवंति ताओ, सुण्णंतरवग्गणत्ति भण्णंति । નિયયં નિરંતરાડો, દોતિ સુviતરી૩ ત્તિ ૬૪ના ધ્રુવવર્ગણાઓ હંમેશાં હોય છે અને અધુવવર્ગણાઓ લોકમાં ક્યારેક નથી પણ હોતી. તથા એકેક પ્રદેશની વૃદ્ધિએ શૂન્યાન્તર વર્ગણાઓ પણ કદાચિત્ત હોય છે. એવી રીતે આંતરાની શૂન્યતાવાળી જે હોય છે તે શૂન્યાન્તર વર્ગણાઓ કહેવાય છે, અને જે અંતર રહિત હોય છે તે અંશૂન્યાન્તર વર્ગણાઓ છે. ૬૩૯-૬૪૦. કામણ શરીરને અગ્રહણ યોગ્ય વર્ગણાની ઉપર એકેક પરમાણુએ વધતી અતિ સૂક્ષ્મ પરિણામવાળી અનંતસ્કંધાત્મક પહેલી ધ્રુવવર્ગણા છે. તે પછી એકેક પરમાણુની વૃદ્ધિએ વધતા અનંતા સ્કંધોથી બનેલી ધ્રુવવર્ગણાઓ પણ અનંતી છે. ધ્રુવ એટલે બધા લોકના ભાગમાં વ્યાપ્ત હોવાથી, જે સર્વકાળ અવસ્થાયિ-નિત્ય છે, તેને યુવાવર્ગણા કહે છે, આ વર્ગણાઓને ધ્રુવ કહેવાથી આની પહેલાની ઔદારિકથી કાર્મણપર્યંતની બધીએ વર્ગણાઓ ધ્રુવ સમજવી. કેમ કે એ વર્ગણાઓ પણ હંમેશાં લોકમાં વિદ્યમાન છે. હમણાં ઉપર કહેલી ધ્રુવવર્ગણાઓ અને હવે પછી કહેવાશે તે અધ્રુવ આદિ સર્વ વર્ગણાઓ અગ્રહણ યોગ્ય છે, કેમકે એ બધી અતિ ઘણાં દ્રવ્યથી બનેલી અને અતિ સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી કોઈ પણ જીવે ઔદારિકાદિભાવે કદિ પણ ગ્રહણ કરી નથી. - એ ધ્રુવ વર્ગણા ઉપર એકેક પ્રદેશે વધતી અનંતી અદ્ભવ વર્ગણાઓ છે. એ અદ્ભવ વર્ગણાઓ, તથાવિધ પુદ્ગલ પરિણામની વિચિત્રતાથી કયારેક લોકમાં નથી પણ હોતી, એજ કારણથી તે ધ્રુવ કહેવાય છે. તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અનંતી શૂન્યાન્તર વર્ગણાઓ હોય છે, એ વર્ગણાઓ એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી હંમેશા હોય છે. પરંતુ કોઈ વખત એ વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે એકેક પ્રદેશની વૃદ્ધિ તૂટી પણ જાય છે, નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિવાળી નથી હોતી, એ કારણથી તેને શૂન્યાન્તર વર્ગણાઓ કહેવાય છે. એ પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અશૂન્યાન્તર વર્ગણાઓ છે, એ વર્ગણાઓ લોકમાં નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી હોય છે, એમાં વચ્ચે કદિ પણ વૃદ્ધિ તૂટતી નથી. તેથી તેને અશૂન્યાન્તર વર્ગણા કહેવાય છે. ૬૩૯-૬૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy