SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ હવે અવધિજ્ઞાનનો અધિકાર હવે પૂર્વોક્ત સંબંધથી આવેલું અધિજ્ઞાન કહેવાની ઈચ્છાએ આચાર્યશ્રી પ્રસ્તાવના કરતાં કહે છે કે - भणियं परोक्खमहुणा, पच्चक्खं तं च तिविहमोहाई । पुव्वोदितसंबंधं, तत्थावहिमाइओ वोच्छं ||५६७ ।। પરોક્ષજ્ઞાન (મતિ-શ્રુત) કહ્યું; હવે પ્રત્યક્ષજ્ઞાન કહીશું, તે પ્રત્યક્ષ અવધિઆદિ ત્રણ પ્રકારે છે. (અવધિ-મન:પર્યાય-ને કેવળ.) તેમાં પ્રથમ પૂર્વોક્ત સંબંધવાળું અવિજ્ઞાન કહીશું. ૫૬૭. અવધિજ્ઞાનના અસંખ્યાતા ભેદો છે, તે જણાવવા કહે છે કે - (૨૧) સંઆયામો અનુ, મોહિન્નાળસ સવવયરીઓ । काई भवपच्चइया, खओवसमियाओ काओऽवि ।। ५६८ ।। અવધિજ્ઞાનના સર્વ ભેદો સંખ્યાતીત છે. તેમાંના કેટલાક ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષયોપશમપ્રત્યયિક છે. ૫૬૮. વિષયભૂત ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અધિજ્ઞાનના સંખ્યાતીત એટલે અસંખ્ય ભેદો છે. જેમકે અવધિજ્ઞાનનો ક્ષેત્રથી વિષય જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે છે. એકેક પ્રદેશની વૃદ્ધિએ ઉત્કૃષ્ટથી અલોકમાં, પણ લોકપ્રમાણ અસંખ્યાતા ખંડોમાં, તેને દેખવા જાણવા લાયક પદાર્થો હોય, તો તેને જોઈ દેખી શકે. કાળથી પણ અવધિજ્ઞાનીનો વિષય જઘન્યથી આવલીના અસંખ્યાતમા ભાગનો છે. એકેક સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ સુધીનો વિષય છે. એ પણ આગળ કહેવાશે. કારણ કે વિષયના ભેદથી વિષયિનો પણ ભેદ હોય છે, એ ન્યાયથી ક્ષેત્ર અને કાળરૂપ વિષયના અસંખ્યાતા ભેદ હોવાથી અવધિજ્ઞાનરૂપ વિષયના પણ અસંખ્યાતા ભેદ છે. મૂળમાં અનુ શબ્દ છે તે વિશેષાર્થ છે, એથી એમ સમજવાનું છે, કે ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ જ અધિજ્ઞાનના અસંખ્યાતા ભેદ છે. દ્રવ્ય ભાવની અપેક્ષાએ નહિ; કારણ કે દ્રવ્યભાવની અપેક્ષાએ તો અવધિજ્ઞાનના અનંતા પણ ભેદ છે, આ માટે આગળ ૬૨૬મી ગાથામાં કહેવાશે કે તૈજસ અને ભાષાદ્રવ્યની મધ્યમાં રહેલા અનંત પ્રદેશી દ્રવ્યોથી આરંભીને વિચિત્ર વૃદ્ધિએ સર્વરૂપી દ્રવ્યોનો ઉત્કૃષ્ટ વિષય પરિમાણનો અવિધ કહેશે. અને ભાવથી દરેક વસ્તુનો અસંખ્યેય પર્યાયરૂપ વિષય કહેશે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે, કે સર્વ પુદ્ગલાસ્તિકાય અને અવધિબાહ્ય તેના પર્યાયો, એ ઉભયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો અનંતો વિષય છે. “શેયના ભેદથી જ્ઞાનનો પણ ભેદ છે” એ ન્યાયે દ્રવ્ય અને ભાવ લક્ષણ વિષયની અપેક્ષાએ અવધિજ્ઞાનના અનંતા ભેદ છે. પ્રશ્ન :- જો અવધિના અનંતા ભેદ છે, તો પછી મૂળમાં “અવિધના સંખ્યાતીત ભેદ છે” એમ જે કહ્યું છે તેનું શું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy