SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬]. બૌદ્ધના ક્ષણિકવાદનું ખંડન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેમને સહકારીપણે માનવામાં આવે તો અતિપ્રસક્તિ દોષ આવશે. જેમકે કંઈ પણ વિશેષ કર્યા વિના પણ સહકારની અપેક્ષા રાખવામાં આવે, તો વિશ્વના સર્વે ભાવોનું સહકારીપણું તે એકમાં જ આવે, કારણકે જેમ એક વસ્તુ તે કાર્યમાં કંઈ વિશેષ નથી કરતું, છતાં સહકારી મનાય છે, તેમ સર્વ વસ્તુ પણ તે કાર્યમાં વિશેષ નથી કરતી, તેથી સર્વને સહકારી માનવા પડશે અને એમ વિશેષ નહિ કરવાપણું સમાન હોવાથી જુદા જુદા કોઈ પણ કાર્યનું પ્રતિનિયત સહકારી કારણ છે, એમ માનવું મિથ્યા થશે. વસ્તુ માત્રનો સ્વભાવ જ એવો છે, કે જેથી કંઈ પણ વિશેષ ન કરે, તો પણ પ્રતિનિયત સહકારીની અપેક્ષા રાખીને જ કાર્ય ઉત્પન્ન થાય છે, આમ કહેવું, એ તો કેવળ મનોરથમાત્ર છે. કેમ કે જે વખતે વસ્તુ ઈષ્ટ સહકારની અપેક્ષાએ કાર્ય ઉત્પન્ન કરે છે, તે વખતે તે વસ્તુમાં તેની અપેક્ષા રાખવા રૂપ સ્વભાવ રહે છે કે નથી રહેતો? જો સ્વભાવ નથી રહેતો, તો વસ્તુ અનિત્ય થાય છે, કેમ કે સ્વભાવના નાશ થતાં સ્વભાવવાન પણ તેથી અભિન્ન હોવાથી નાશ પામે છે. અને એ સ્વભાવ તે વખતે (કાર્યોત્પતિ વખતે) રહે છે. એમ કહેવામાં આવે, તો કાર્યની ઉત્પત્તિ ન થાય, કેમ કે જેમ કાર્યોત્પત્તિ પહેલાં અપેક્ષા રાખવારૂપ સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થઈ, તેમ તે વખતે (કાર્યોત્પત્તિ વખતે) પણ તે સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થાય. અથવા એ સ્વભાવ છતાં પણ કાર્યોત્પત્તિ થાય, તો નિરંતર એ પ્રમાણે કાર્યોત્પત્તિ થવી જ જોઈએ; કેમ કે એ સ્વભાવ હંમેશાં અવસ્થિત છે, વળી સહકારી કારણો પણ નિત્ય હોવાથી હંમેશાં, બધા મળીને કાર્યોત્પત્તિ રૂપ ઉપકાર કરે, અથવા એવો ઉપકાર ન જ કરે, કારણ કે નિત્યવસ્તુ હંમેશાં એક જ સ્વભાવવાળી હોય છે. તેથી કાર્યનો હંમેશાં સદ્ભાવ હોય અથવા તો બીલકુલ અભાવ જ હોય. હવે જો એકાંત અનિત્ય-ક્ષણસ્થિતિ ધર્મવાળી સર્વ વસ્તુ માનવામાં આવે, તો તે પણ અયોગ્ય છે; કેમ કે ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુને ક્ષણભાવસ્વભાવવાળી કહેવાય છે, તેથી બીજી ક્ષણોમાં તેનો અભાવ અનિચ્છાએ પણ માનવો જોઈએ. હવે એ ભાવ અને અભાવમાં પરસ્પર અન્યપણું છે, કે અનન્યપણું છે? જો અન્યપણું-જુદાપણું છે, તો તે સર્વથા છે, કે કથંચિત્ - કોઈક અપેક્ષાએ છે ? જો સર્વથા જુદાપણું છે, તો બીજી ક્ષણોમાં પણ તે વસ્તુનો સદૂભાવ થશે. કેમકે તે સિવાય પ્રથમ ક્ષણના ભાવનું બીજી ક્ષણોના અભાવથી ભિન્નપણું ઘટે નહિ. કારણ કે એકાન્ત ભિન્ન અભાવથી ભાવની નિવૃત્તિ-નાશ ઘટે નહિ. જો ઘટે, તો પટના અભાવથી ઘટભાવનો પણ નાશ થવો જોઈએ, ભાવ અને અભાવમાં કથંચિત્ જુદાપણું છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કેમકે એમ માનવાથી ક્ષણિકવાદનો ત્યાગ કરીને અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) માનવો પડશે. હવે જો ભાવ અને અભાવમાં અનન્યપણું (અભિન્નપણું) માનવામાં આવે, તો તે અનન્યપણું સર્વથા પ્રકારે છે, કે કથંચિત્ છે ? જો સર્વથા અભિન્નપણું છે, તો પ્રથમ ક્ષણનો અભાવ, બીજી ક્ષણોમાં અભાવ છે અને તેથી બીજી ક્ષણોમાં પણ ભાવ જ (સભાવજ) થશે. અથવા બીજી ક્ષણોનો અભાવ નિરૂપાખ (તુચ્છ) હોવાથી અને તેજ પ્રથમ ક્ષણના ભાવરૂપ હોવાથી પ્રથમ ક્ષણનો ભાવ એજ અભાવ થશે; અને જો કથંચિત્ ભાવાભાવનું અભિન્નપણું માનતા હો, તો ઉપર કહ્યા મુજબ અનેકાંત મત અંગીકાર કરવો પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy