SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦] સ્વપ૨પર્યાયની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જણાવનારા જ સ્વ અને પર શબ્દો છે, પરંતુ તેમને તેમાં સર્વથા સંબંધ કે અસંબંધ જણાવનારા નથી. આ કારણથી ઘટાદિ પર્યાયો અક્ષરની અંદર વિદ્યમાનપણે જોડાયેલા ન હોવાથી ૫૨૫ર્યાયો કહેવાય છે, પરંતુ તે પર્યાયો તેમાં સર્વ પ્રકારે નથી જોડાયેલા એમ નહી અવિદ્યમાનરૂપે તો તેમાં પણ જોડાએલા છે જ. અહીં એવી શંકા પણ ન કરવી, કે એકનો સંબંધ ઉભય તર૬ અયોગ્ય છે, કારણ કે હિમવંતાદિ એક જ છતાં, તેના બે અંશવડે તેનો પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર આદિ સાથે સંબંધ છે. તેવી જ રીતે અહીં પણ પર્યાયોને ઉભય સાથે સંબંધ થાય છે એમ સમજવું. જો એકજ રૂપે એકનો ઉભય તરદ્દ સંબંધ માનીએ, તો વિરોધ આવે. એવું તો કંઈ છે નહિ, કેમકે બે રૂપે ઘટાદિ પર્યાયોનો સંબંધ બન્ને સ્થળે છે, એટલે કે તે ઘટાદિના પર્યાયોનો વિદ્યમાનરૂપે ઘટાદિમાં સંબંધ છે. અને અવિદ્યમાનરૂપે અક્ષરાદિમાં છે. ગધેડાના શીંગડાની જેમ અસત્પણું એ અભાવસ્વરૂપ હોવાથી વસ્તુનું સ્વરૂપ જ નથી, તો પછી અસપણે એટલે અવિદ્યમાનરૂપે તેનો તેમાં સંબંધ છે. એમ કેમ કહેવાય ? આવી શંકાપણ અહીં ન કરવી; કારણ કે ખવિષાણ (ગધેડાના શીંગડા)ની કલ્પના વસ્તુનો અભાવ સિદ્ધ નથી કરતી. જેમ કે પ્રાગભાવ (પૂર્વનો અભાવ) પ્રધ્વંસાભાવ (વિદ્યમાન વસ્તુનો નાશ) જેમ કે ઘડો ભાંગી જવાથી તેનો નાશ થયો તે પ્રÜસાભાવ કહેવાય, (ઘટાભાવ) ઘડાનો અભાવ પટાભાવ (પટનો અભાવ) આદિ વસ્તુના અભાવના વિશેષણની પેઠે, ખરવિષાણાદિમાં પણ એવું વિશેષણ સંભવતું નથી, અભિલાપ રહિત નીરૂપ છઠ્ઠા ભૂતની પેઠે ખરવિષાણાદિનો લોકોએ માત્ર સંકેત કર્યો છે, પરંતુ છઠ્ઠા ભૂતની પેઠે અમે વસ્તુનો અભાવ નિરૂપ નથી માનતા, કારણ કે નીરૂપ એ અભિલાપ રહિત હોવાથી પ્રાગભાવાદિ વિશેષણો તે અભાવને ઘટે નહિ; પરંતુ વસ્તુસ્વરૂપ એવું છે કે જેમ નૃષિંડાદિ પર્યાય (માટીનો પિંડ) ભાવ રૂપ છતાં પણ, ઘટાકારાદિ રૂપે નહિ હોવાથી (ઘટનો) પ્રાગભાવ કહેવાય છે. અથવા જેમ કપાલ આદિ પર્યાય ભાવરૂપ છતાં પણ ઘટના આકારનો નાશ થવાથી (ઘટનો) પ્રધ્વંસાભાવ કહેવાય છે, તેવી જ રીતે ભિન્ન પર્યાય પામેલ અક્ષરાદિ ભાવરૂપ છતાં પણ ઘટાદિ વસ્તુના અભાવરૂપે કહેવાય છે, પણ સર્વથા અભાવરૂપે નથી કહેવાતા, કેમ કે સર્વથા અભાવ તો સ્વરૂપરહિત નિરભિલાપ્ય છે. (ન કહી શકાય એવો છે.) ખરવિષાણાદિ શબ્દ વડે એ અભાવ કહી શકાય છે, તો તેને નિરભિલાપ્ય કેમ કહેવાય ? એમ પણ ન કહેવું. કારણ કે તે અભાવનું સર્વથા અવાચ્યપણું જણાવવાને માટે જ સંકેત માત્રથી થતા ખરવિષાણાદિ શબ્દોનો લોકોએ ત્યાં વ્યવહાર કર્યો છે. વળી જો ઘટાદિપર્યાયોનો નાસ્તિપણે (અવિદ્યમાનરૂપે) અક્ષરમાં સંબંધ ન માનવામાં આવે, તો અસ્તિ-નાસ્તિપણું (વિદ્યમાન-અવિધમાનરૂપ) પરસ્પર ભિન્ન સ્વરૂપ હોવાથી, અસ્તિપણે (વિદ્યમાનરૂપે) ઘટાદિ પર્યાયોનો સંબંધ તેમાં માનવો પડે, તેમ માનવાથી અક્ષર પણ ઘટાદિરૂપ થઈ જાય. અને એમ થવાથી આખું જગત એકરૂપ બની જાય. અને તેથી સર્વની સાથે જ ઉત્પત્તિ અને નાશ આદિનો પ્રસંગ પ્રાપ્ત થાય. પ્રશ્ન :- ઘટાદિમાં રહેલા ઘટાદિ પર્યાયોનું નાસ્તિપણે સ્વરૂપ અક્ષરમાં કેવી રીતે મળ્યું ? કારણ કે રૂપી વિના રૂપનો સંબંધ ઘટે નહિ, અને તેમ છતાં જો તેમાં તે ઘટે તો આખું જગત એકરૂપ જ થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy