SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ તો સર્વ અર્થને અગ્રહણનો પ્રસંગ થાય. એટલે કે જેમ ભાવ મન ઈષ્ટ અર્થોને, અગ્રાહ્યપણું હોવાથી પ્રહણ ન કરે તેમ ઈષ્ટ અર્થોને, ગ્રાહ્યપણે પણ ન ગ્રહણ કરે, કારણ કે પ્રાપ્તપણે બન્નેમાં સમાન છે. પ્રાપ્તપણું સમાન છતાં એ ભાવ મન કેટલાક અર્થને ગ્રહણ કરે છે, અને કેટલાકને નથી ગ્રહણ કરતું એમ કહેવું, તેના કરતાં એ સર્વ ઈશ્વર ચેષ્ટિત છે, એમ સ્પષ્ટ કહેવામાં આવે તો ખોટું શું છે ? પરંતુ એ સર્વ કથન મુક્તિની કસોટી ઉપર ટકી શકતું નથી. આ સિવાય “આત્મા સર્વગત” માનવામાં બીજા પણ ઘણાં દૂષણો છે. જેમ કે જેવી રીતે અંગુષ્ઠઆદિ અવયવમાં દાહઆદિ વેદના થતી હોય છે, ત્યારે મસ્તકઆદિમાં પણ તે વેદના અનુભવાય છે. તેવી જ રીતે સર્વ સ્થળે, સર્વ કોઈ જીવને તે વેદનાનો અનુભવ થવો જોઈએ, પરંતુ તેમ થતું નથી. તેવો અનુભવ પણ થતો નથી. એ પ્રમાણે વેદના નહિ અનુભવાતાં છતાં, તે આત્માનો સર્વ સ્થાને સદ્ભાવ માનવામાં આવે, તો અતિ પ્રસંગ થાય. વળી આત્માને સર્વગત માનતાં, ભિન્ન ભિન્ન દેશમાં રહેલ પુષ્પમાળા ચંદન-સ્ત્રી આદિનો સ્પર્શ થતાં, નિરંતર સુખ પ્રાપ્ત થાય. અને અગ્નિ શસ્ત્ર-જલ આદિનો સ્પર્શ થતાં, નિરંતર બળવું, ચીરાવું, ભીંજાવું વિગેરેનો પ્રસંગ થાય. આત્મા સર્વગત હોવા છતાં જ્યાં શરીર હોય ત્યાં જ એ પ્રમાણે સર્વ અનુભવાય છે અન્યત્ર નહિ. એમ કહેવામાં આવે, તો અમે પૂછીએ છીએ કે શાથી એમ કહો છો ? જો આજ્ઞા માત્રથી જ એમ કહેવામાં આવતું હોય, તો તે અયોગ્ય છે, કારણ કે તે વિચારણીય વિષય છે. સહકારી ભાવે આત્માને શરીરની અપેક્ષા છે, એમ કહેવામાં આવે તો તે ખોટું છે. કારણ કે નિત્ય પદાર્થને સહકારીની અપેક્ષા ઘટે નહિ. વિવાદ ખાતર કદાચ માની લઈએ કે નિત્ય પદાર્થને સહકારની અપેક્ષા છે, પરંતુ તે અપેક્ષ્યમાણ સહકારી એ નિત્ય પદાર્થને કંઈ વિશેષ-ઉપકાર કરે છે કે નહિ ? જો કંઈ વિશેષઉપકાર કરે છે, તો તે ઉપકાર અર્થાન્તર ભૂત-ભિન્ન કરે છે કે અભિન્ન કરે છે ? અર્થાન્તરભૂત કરાતો હોય તો તે વિશેષ-ઉપકાર કંઈ નિત્ય પદાર્થને કર્યો ન ગણાય. હવે એ અપેક્ષ્યમાણ સહકારી નિત્ય પદાર્થ અનર્થાન્તરભૂત એવો વિશેષ-ઉપકાર કરે છે, એમ બીજા પક્ષથી કહેવામાં આવે, તો એ ઉપકારથી અવ્યતિરિક્ત આત્મા પણ કૃતક થાય. અને જે કૃતક એટલે કરાયેલ હોય તે અનિત્ય હોય છે. તેથી આત્માને અનિત્યપણાનો પ્રસંગ થશે. અપેક્ષ્યમાણ સહકારી, “નિત્ય પદાર્થને કંઈ વિશેષ ઉપકાર નથી કરતો,” એમ માનીશું તો ઉપરોક્ત દોષ નહિ આવે. એમ કહેવામાં આવે તો નિત્ય પદાર્થને અંગે સહકારીનું સહકારીપણું નહિ ઘટે. કેમકે તે કંઈ વિશેષ-ઉપકાર કરતું નથી. તે વિશેષ-ઉપકાર નહિ કરવા છતાં પણ તે સહકારી માનવામાં આવે, તો સમસ્ત ત્રણે ભુવન સહકારી બની જાય. કેમકે તે પણ કંઈ વિશેષઉપકાર નથી કરતું. માટે “જયાં શરીર હોય ત્યાં જ એ પ્રમાણે દાહાદિનો અનુભવ સર્વગત આત્માને થાય છે.” એમ કહીને સર્વગત આત્માને તે તે પ્રકારના અનુભવમાં શરીરની અપેક્ષા કહી તે વ્યર્થ છે. અહીં આ સંબંધમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ ગ્રંથ બહુ ગહન થઈ જાય તેથી નથી કહેતા. આ સર્વ વિવેચનથી એ ચરિતાર્થ થયું કે આત્મા શરીર માત્ર વ્યાપી છે, પણ સર્વ વ્યાપી નથી. અને એથી આત્માથી અભિન્ન એવું ભાવ મન પણ માત્ર શરીર વ્યાપિ છે, તેથી તે શરીર બહાર જઈ શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy