SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલાટાણે પૂજ્ય ગુરુદેવ ગુજરાંવાલામાં હતા. ત્યાં તેમની સાથે સાધુ-સાધ્વીઓ ઉપરાંત ૨૫૦ જેટલા શ્રાવકો પણ રોકાયેલા હતા. ધર્મઝનૂની તત્ત્વોએ બેફામ બની ગુજરાંવાલામાં મંદિરજી તથા ઉપાશ્રય ઉપર હુમલા કરવા માંડ્યા, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રાવકોને જણાવ્યું કે, 'તમે લોકો તક મળે તો ઝડપથી અહીંથી નીકળી ભારત પહોંચી જાઓ. તમે લોકો અમારી ચિંતા કરશો નહીં. શાસનદેવ અમારી રક્ષા કરશે. જો કે શ્રાવકોએ હિમ્મત દાખવી ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ ઘટનાસ્પષ્ટ જણાવે છે કે પૂજ્યશ્રીજી નિઃસ્વાર્થ ભાવથી, માનવતાથી પ્રેરાઈ શ્રાવકોને વહેલી તકે ભારત મોકલવા તૈયાર થઈ ગયા હતા. જોકે પાછળથી જ્યારે ભારત સરકારે પૂજ્ય ગુરુદેવ તથા સાધુસાધ્વીગણને ભારત સહીસલામત લઈ આવવા ખાસ વિમાન મોકલાવ્યું, તો તેમણે શ્રાવકોને સાથે લઈને આવવાનો દ્દઢ નિર્ધાર જણાવી વિમાનને પાછું મોકલાવી દીધું હતું. છેવટે પૂજ્યશ્રીજી સાધુ-ભગવંતો તથા સૌશ્રાવકોને સહીસલામત પોતાની સાથે જ ભારત લઈ આવ્યા હતા. આવા નિઃસ્વાર્થ માનવતાના પૂજારી પૂજ્ય ગુરુદેવ હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી હજારો હિંદુ પરિવારો હિજરત કરી ભારતમાં આવી ગયા હતા. ઘરબાર, માલ મિલ્કત, ધંધા રોજગાર છોડી આવેલા આવા અસંખ્ય લોકોનીયનીય હાલત હતી. આવા સઘળા હિંદુ, શીખતથા જૈન ભાઈઓની આવાસ, ભોજન વ્યવસાયની સમસ્યા ઉકેલાય તે માટે અમૃતસરમાં રોકાયેલા પૂજ્ય ગુરુદેવ પોતાના વ્યાખ્યાનોમાં દોલતમંદ લોકોને હૃદયસ્પર્શી અપીલ કરતા કહેતા.... - આજે આપણો દેશ સંકટમાં છે. એટલે હિંદ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન તથા આર્યસમાજી વગેરે જે પણ ભારત માતાની સંતાન છે, તેથી સૌએ એક વિશાળ પરિવાર જેવી સમજણ કેળવી અરસ પરસ મદદ કરવી જોઈએ... આપણા જરૂરતમંદબાંધવોની મદદ કરવી, સેવા કરવી એ આજની તારીખમાં પ્રત્યેક ભારતવાસીનો ધર્મ છે...! સેવા જ આજની પરિસ્થિતિમાં સાચી પૂજા, સાચી ઈબાદત અને સાચી ગુરુવાણી છે. જો મનુષ્ય જીવિત રહેશે, તો જધર્મજીવંત રહી શકશે. જો સમાજ સમૃદ્ધ, સુદ્દઢ, બળવાન અને પ્રાણવાન થશે, તો જ દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રાણવાન થશે.” સમયનાતકાજાને માન આપી પૂજ્યશ્રીએ અખિલ હિંદની આમ જનતાને જેદર્દનાક અપીલ કરી હતી, તે તા. ૧૭-૧૦-૧૯૪૭ના અમૃતસરથી પ્રસિદ્ધ થતા ઉર્દૂ અખબાર ‘વીર ભારતમાં પ્રકાશિત થઈ હતી. એ અપીલમાં પૂજ્યશ્રીજીનો સંદેશ હતો... “જે હિંદુ, શીખ અને જૈન ભાઈ-બહેનો પાકિસ્તાનથી પરેશાન થઈ આવ્યા છે, એ સઘળા તારાજ થયેલા લોકો તમારી સહાયતાની પ્રતીક્ષા કરે છે... તમે અમને તમારા સ્વજન સમજી સેવા કરો, એ જ આપણું પ્રથમ કર્તવ્ય છે. પંજાબ સરકારને અમે નિવેદન કરીએ છીએ કે જે લોકો પાકિસ્તાનમાં ફસાઈગયા છે, તેમને સત્વરે સહીસલામત ભારત લઈ આવવાનો પ્રબંધ કરે અને પાકિસ્તાન સ્થિત ધર્મસ્થાનો છે એમની જાળવણીની ઉચિત વ્યવસ્થા કરાવે.” પૂજ્ય ગુરુદેવની એ દર્દનાક અપીલને સકારાત્મક સુંદર પ્રતિભાવ સાંપડ્યો. શ્રીમંતોના દિલમાં દયા વસી. તેમણે નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી. અમૃતસરમાં કપડાંની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy