SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આપી હતી. યોગેશ્વર શ્રીકૃષ્ણ વિષેની ભ્રામક વાતોનું ખંડન કરી તેમના દિવ્ય આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ભાવિકોને માહિતગાર કર્યા હતા. તેમના આવા પ્રભાવી વ્યાખ્યાનથી ભાવવિભોર ભક્તોએ પૂજ્યશ્રીજીના જ્ઞાન, સમદ્રષ્ટિતથા માનવતાવાદી અભિગમ અને સર્વધર્મસમભાવની ભારે પ્રશંસા કરી હતી. તા. ૨૩-૪-૧૯૪૯ ના રોજ મુંબઇમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં ભાગ લેવા પૂજ્ય ગુરુદેવને સાદર નિમંત્રિત કરવામાં આવ્યાહતા, પરંતુ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે પૂજ્યશ્રીજીએ સાદડીથી વિશ્વશાંતિને અનુલક્ષી પોતાનો સંદેશો મોકલાવ્યો હતો. એ સંદેશામાં તેમણે વ્યકત કરેલા ઉદારમતવાદી બહુમૂલ્ય વિચારો પૈકી કેટલીક વિચારકણિકા જોઈએ... ‘આધ્યાત્મિક પુરુષ હંમેશા શાંતિની ખોજ કરે છે. એવી વ્યકિત સુખમાં સુખ માને છે. દુઃખને પોતાના કર્મોનું પ્રાયશ્ચિત્તમાની શાંતિપૂર્વક તેને સહન કરે છે. તે સદાયકર્તવ્યપરાયણ રહે છે. રાત્રિકાળમાં એટલે અજ્ઞાનના અંધકારમાં લોકો જીવન ધ્યેયથી બેખબર જીવતા હોય છે. અર્થાત્ આત્મિક દ્રષ્ટિએ ઊંઘતા હોય છે, ત્યારે આત્માના ઉપાસકયોગીઓ જ્ઞાનચક્ષુ દ્વારા આત્મદર્શન કરવા પ્રયાસ કરતા હોય છે... જેનામાં કોઈ દોષ નથી, સઘળા ગુણ રહેલા છે, તેમને નમસ્કાર! તે પછી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય કે જિનેશ્વર દેવ, ચાહે કોઈપણ ભગવાન હોય, બધા જનમસ્કારને પાત્ર છે. બધા આત્માઓનો એક જ ધર્મ છે - આત્મશાંતિ. એની પ્રાપ્તિના માર્ગ ભિન્ન હોઈ શકે. સઘળા ધર્મોને એક જ કેન્દ્ર પર સ્થિત કરવા “ગીતાજીમાં કહેવાયું છે. “સ્વધર્મનિધનશ્રેયઃ પરધર્મો ભયાવહ !' યથાર્થ દ્રષ્ટિથી આ વાક્યનો વિચાર કરીએ, તો લાગશે કે પરિકલ્પિત વિચારધારાને બદલે આ વાક્ય જ વિશ્વધર્મ બનવા યોગ્ય છે. સ્વધર્મનો અર્થ છે, આત્મધર્મ અને પરધર્મનો અર્થ છે, માયા ધર્મ-પુગલિક ધર્મ! એટલેજસ્વધર્મસત્ય ધર્મ આત્મશાંતિ આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ માટે સર્વોત્તમ છે.” આ સંદેશામાં પૂજ્ય ગુરુદેવની સર્વધર્મ સમભાવની વિશાળતા દ્રષ્ટિગોચર થાય છે. તેમનું યથાર્થ મૌલિક ચિંતન જગતના સર્વે ધર્મોના મૂળભૂત આત્મકલ્યાણકારી સિદ્ધાંતોની એકરૂપતાપ્રગટ કરે છે. રાયકોટના ચાતુર્માસ દરમ્યાન એકમંદિરના કામ માટે ઉજાગરસિંહશીખ નામનાપૂજ્ય ગુરુદેવના ભક્ત પોતે સુથાર હોવાથી મંદિરજીના દરવાજા બારી-બારણાં વગેરેનું કામ એક મહિના સુધી કરી તેની મજૂરીના પૈસા મંદિરના નિર્માણમાં આપવાની ભાવના વ્યક્ત કરી. આ ભક્તની ઉદાર ભાવનાને અનુલક્ષીને પૂજ્યશ્રીજીએ કહ્યું... આ ભેટખૂબ કિંમતી છે. એનું મૂલ્ય ઓછું ન આંકશો. એક બાજુ લાખોપતિ પાંચ હજારનું દાન કરે છે. બીજીબાજુએક ગરીબકે જેનું ગુજરાન દૈનિક વેતન પર ચાલે છે, તે પોતાની એક દિવસની બધી જકમાણી પુણ્યકાર્યમાં આપી દે છે. તે દિવસે તેને ઉપવાસ કરવો પડે છે. તેમજ વિચારો, ભાઈઓ! આબન્નેમાં કોનુદાન મોટુંગણાય? શ્રીમાન ઉજાગરસિંહજીનું દાન ગૌરવપૂર્ણ છે. યાદરાખજો જૈન ધર્મમાત્ર વાણિયાઓનો જધર્મનથી, એતો વિશ્વ ધર્મ છે!' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy