SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યમાં આપણે તેમને સહાયભૂત થવું જોઈએ.'પૂજ્ય ગુરુદેવની વાત અગ્રણીઓના ગળે ઉતરી અને તેમણે મુસ્લિમ બિરાદરોને એ માર્ગની થોડી વધુ જગ્યા ફાળવી આપી તેમની મુશ્કેલી દૂર કરી. પૂજ્યશ્રીજી જેવા સમભાવી સંતપુરુષ જ આવું કામ કરાવી શકે. એકવાર પૂજ્ય ગુરુદેવ બિનૌલીનામના ગામમાં રોકાયા હતા. અહીં તેમને ગામના હરિજન ભાઈઓ મળ્યા અને તેમણે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ થઈ જવાની વાત કરી. પૂજ્યશ્રીએ તેમને કારણ પૂછયું. તેમણે જણાવ્યું કે “શાહુકાર લોકો તેમને ગામના કૂવા પર પાણી ભરવા દેતા નથી, પરંતુ મુસ્લિમો તેમને પાણી ભરવામાં મદદ કરે છે.' પૂજ્યશ્રીજી તેમની વાત સાંભળી વ્યથિત થયા. તેમણે હરિજનભાઈઓને બીજા દિવસે મળવા જણાવ્યું. બીજા દિવસે પૂજ્ય ગુરુદેવે પોતાના વ્યાખ્યાનમાં ઉપસ્થિત સૌ જૈન-જૈનેતરોને હરિજન ભાઈઓની સમસ્યા દૂર કરવા અપીલ કરી. તાત્કાલિક ભક્તજનોએ ફાળો એકત્ર કરી તેમના માટે અલગ નવો કૂવો એક જ મહિનામાં બનાવી આપ્યો. પૂજ્ય ગુરુદેવ દયાળુ સ્વભાવના સરળ વ્યક્તિ હતા. તેમનાથી હરિજન ભાઈઓની મુશ્કેલી,દુઃખ જોયું ગયું નહીં. તેમણે અહિંસાપ્રધાન જૈન ધર્મ સ્વીકારવાની શરત પણ બિનૌલીના હરિજન ભાઈઓ સાથે કરી નહોતી. કેવળ માનવતાના ધર્મથી પ્રેરાઈતેમણે એ લોકોની સમસ્યા દૂર કરાવી હતી. આવી ઉદારતા પૂજ્ય ગુરુદેવ ધરાવતા હતા. માત્ર પાણીની સુવિધા ખાતર લોકો ધર્મ પરિવર્તન કરે એ માનવ ધર્મ માટે અપમાનની વાત હતી અને પૂજ્યશ્રીજી જેવા સમભાવી વ્યક્તિ આ વાત શી રીતે સાંખી લે? - પૂજ્ય ગુરુદેવના વહેવારમાં મૂદતા, સરળતા, પરગજુ વૃત્તિના દર્શન થતા. દીક્ષા પર્યાયમાં મોટા વડીલ સાધુ ભગવંતો પ્રત્યે તેમણે હંમેશાં પૂજ્યભાવસેવ્યો હતો. વિ. સં. ૧૯૮૯માં પાલનપુરનો ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીજી પાલિતાણા જવા નીકળ્યા. હજુ તો તેઓ પાંચ કિ.મી. દૂર આવેલા જગાણા ગામે પહોંચ્યા હશે, ત્યાં જ તેમને સંદેશો મળ્યો કે પાટણમાં મુનિરાજ શ્રી હંસવિજયજી મ.સા. બીમાર છે. તત્કાર તેમણે વિહાર માર્ગ બદલ્યો. તેઓ પાટણ પહોંચી ગયા અને મુનિરાજશ્રીના ખબર અંતર પૂછી શુશ્રુષાનો પાકો પ્રબંધ કરાવ્યો. તેઓ હંમેશાં માનવતાને ટોચની અગ્રીમતા આપતા હતા. પોતાના શિષ્ય સમુદાય તથા સાધુ સાધ્વીગણની પણ પૂજ્ય ગુરુદેવ વિશેષ ખયાલ રાખતા હતા. વડોદરાના શિક્ષણપ્રેમી મહારાજાના આગ્રહથી ન્યાયમંદિર વિસ્તારમાં પૂજ્ય ગુરુદેવના સાર્વજનિક ધર્મ પરના બે સુંદર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વ્યાખ્યાન સાંભળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. વ્યાખ્યાન બરાબર જામ્યું હતું. સાંજ ઢળવા લાગી હતી. અચાનક વ્યાખ્યાન અટકાવી પૂજ્ય ગુરુદેવે વચ્ચે કહ્યું કે ‘સાંજ ઢળી રહી છે. સમય ઓછો છે એટલે હું વ્યાખ્યાનને સંક્ષિપ્તમાં પૂર્ણ કરીશ. તેમને પોતાની સાથે આવેલા બીજા સાધુ ભગવંતોમુનિરાજોનો ખયાલ આવ્યો હતો. તેમને તો એકાસણું હતું એટલે આહાર પાણી લેવાના નહોતા, પરંતુ તેમની સાથે આવેલા બીજા સાધુ ભગવંતો સૂર્યાસ્ત પછી આહાર પાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy