SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર પૂજ્ય ગુરુદેવ સનખતરાબાજુ વિહાર કરતા રસ્તામાં વિશનાર નામના ગામની ધર્મશાળામાં રોકાયા. એ ધર્મશાળામાં એક પંડિતે પૂજયશ્રીજીના રોકાણ સામે વાંધો લીધો. એ ગુસ્સે ભરાયેલા પંડિતને પૂજ્ય ગુરુદેવ પ્રેમથી મળવા ગયા. ‘તમે કેવા પ્રકારના સાધુ છો?’ પંડિતે પ્રશ્ન પૂછો. પૂજ્યશ્રીજીએ શાંતિથી પંડિતને બેસાડ્યા અને સાધુ ધર્મ તથા જૈન ધર્મના સાધુના કડક આચરણ વિશે પ્રેમથી માહિતી આપી. ‘વશિષ્ટ સ્મૃતિ'માં બ્રહ્મચારીના વર્ણન કરાયેલા સન્માનની વાત કરી. તુલસીદાસ તથા ભતૃહરિની સાધુ માટેની વ્યાખ્યા સમજાવી. પૂજ્યશ્રીજીના પ્રેમાળ શાંતિભર્યા જ્ઞાનપૂર્ણ વહેવારથી પંડિતનો રોષ શમી ગયો. અંતમાં તેમાગે પૂજ્યશ્રીજીની ક્ષમા માંગી પૂજ્યશ્રીજી પાસે શાંતિ, સહિષ્ણુતા, સદ્ભાવ તથા સમભાવની સંપત્તિ હતી. અને સાચા સાધુ પોતાની આવી સંપત્તિ લૂંટાવી બીજાઓના જીવનમાં પરિવર્તન આણતા હોય છે. જંડિયાલા ગુરુ તથા લાહોર વચ્ચે આવેલા બર્કિયા નામના ચોર લૂંટારા તથા હિંસક લોકોથી વસેલા ગામમાં પૂજ્ય ગુરુદેવ પોતાના ભકતો સાથે સવારે લાંબો વિહાર કરી આવ્યા હતા. ગામમાં પ્રવેશતાં જ ઠેર-ઠેર માંસની ખુલ્લી દુકાનો, રસ્તે રખડતા શરાબીઓને જોઈ પૂજ્યશ્રીજીનું મન અશાંત થઇગયું. એટલામાં ગામના નામચીન ચોરની સદ્ગુણી પત્નીએ આવીને પૂજ્ય ગુરુદેવને ગામના લોકોની સાચી હકીકત જણાવી, ત્યાંથી ચાલ્યા જવા વિનંતી કરી. એક વૃદ્ધ શીખે પણ ત્યારબાદ પૂજ્ય ગુરુદેવને આવી સલાહ આપી. ખૂબ લાંબો વિહાર કરી પૂજ્યશ્રીજી તથા ભક્તો થાકીને લોથપોથ થયેલા હતા. પરંતુ પૂજ્ય ગુરુદેવે પોતાના ભકતોના જાનમાલની રક્ષા થાય તે સારુ માનવતાથી પ્રેરાઈસૌને ત્યાંથી આગળ વિહાર કરવાની સૂચના આપી. પોતાના સુખચેન આરામને ગૌણ ગણી બીજા લોકોના હિતનો વિચાર કરનાર કરુણાનિધિ, માનવતાના પૂજારી પૂજ્ય ગુરુદેવ ખરેખરમાનવધર્મના પરમ ઉપાસક હતા. પૂજ્યશ્રીજીના મનમાં નાના-મોટા, ગરીબ તવંગર, શેઠ-નોકરના કોઈ ભેદભાવનહોતા. મનુષ્યમાત્રમાં તેમને પરમાત્માના દર્શન થતા. નાનામાં નાની વ્યક્તિ માટે પણ તેમના અંતરમાં દયા કરુણા તથા અનુકંપાનો ભાવ રહેતો. બાલીથી બેડા વચ્ચે બીજાપુરના રસ્તામાં લગ્નની જાનને લૂંટવા બેઠેલા લૂંટારાઓને કોઈન મળ્યું, તો પૂજ્યશ્રીજી તથા તેમના ભક્તોને લૂંટી લીધા. પૂજ્યશ્રીજી સાથે તે બધાના રક્ષણ માટે એક રાજપૂત સિપાહીપણ હતો. ચોરોનો સામનો કરવા જતા તેને એ લોકોએ ગંભીરમાર મારી ઘાયલ કર્યો હતો. ચોરોના ચાલ્યા ગયા પછી પૂજ્યશ્રીજી એ સિપાહીંપાસે ગયા. તેને ઢંઢોળ્યો. તે બેહોશ હતો. પૂજ્યશ્રીજી ક્ષણવારમુંઝાયા. ત્યાં તેમને યાદઆવ્યું. તેમની તપણીમાં થોડુંક પાણી હતું. એકપળ વિચાર કર્યો અને બીજી જ પળે તાપણીનાએ પાણીનો ઉપયોગ કરી રાજપૂત પર છાંટી તેને હોશમાં લાવ્યા. સાધુ ધર્મની મર્યાદા પ્રમાણે એ પાણીનો ઉપયોગ થઈ શકે નહીં. પરંતુ અહીંયા એક જીવાત્માના જીવનનો સવાલ હતો. માનવધર્મના પુરસ્કર્તા પૂજ્યશ્રીજીએ ત્યારે અપવાદરૂપે એ મર્યાદાનો ભંગ કર્યો. યાદ કરો સંત એકનાથને રામેશ્વરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy