SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કારણકે એ જૈન સાહિત્ય જગતના જૈન ધર્મના જ્ઞાનપિપાસુઓ માટે અમૂલ્ય હતું. ધર્મપ્રભાવના સારૂ પૂજ્ય ગુરુદેવ અંતરિયાળ ગ્રામ્ય પ્રદેશોમાં વિહાર કરતા ચાતુર્માસ પણ કરતા. પંજાબમાં રાયકોટ એવું ક્ષેત્ર હતું, જ્યાં કોઈનું ચોમાસું થયું નહોતું. પૂજ્યશ્રીએ રાયકોટમાં ચાતુર્માસ કરવાનો નિશ્ચય કર્યો. ચોમાસાંને શરૂ થવા આડે થોડા દિવસો બાકી હતા. એક દિવસ પંજાબના અગ્રણી શ્રાવકો પૂજ્ય ગુરુદેવને મળ્યા. તેમણે પૂજ્યશ્રીજીને જણાવ્યું કે ‘રાયકોટમાં હિંદુમુસ્લિમો વચ્ચે હુલ્લડ થવાની ગરમાગરમ ચર્ચાઘેર ઘેર થાય છે, તેથી આપ રાયકોટમાં ચાતુર્માસનકરો એવી અમારી વિનંતી છે.” પૂજ્યશ્રીજી અડગ રહ્યા. તેમણે કહ્યું “અહીંના જૈન, હિંદુ, મુસ્લિમ સૌની વિનંતી તથા આગ્રહને વશ થઈમેચોમાસું કરવાનો નિર્ણય કર્યો છે. સઘળીવર્ગના લોકો નિયમિત વ્યાખ્યાનમાં આવે છે. હુલ્લડની વાત અફવા છે. આમ ડરીને ચાલવું અમારા માટે ઠીક નથી. ભવિતવ્યતાવશ જે થવાનું હોય તે ભલે થાય. બાકી ચાતુર્માસ તો અહીં જ કરીશું.' ખરેખર રાયકોટમાં કોઈ તોફાનન થયું. પૂજ્યશ્રીએ સુંદર ધર્મપ્રભાવના સાથે શાંતિથી ચોમાસું પૂર્ણ કર્યું. સંવત ૧૯૭૭માં પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી ફાજલકા નામના ગામમાં મૃતઃ પ્રાય અવસ્થામાં રહેલા જિનાલયનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો. ફાગણ સુદ બીજના દિવસે પૂજ્ય ગુરુદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ભગવાન શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીની પ્રતિમાને સિંહાસન પર પ્રતિષ્ઠિત કરાવી. આ પ્રતિષ્ઠાના પ્રસંગમાં વિશેષ સહયોગ આપનાર સંઘના અગ્રણીશાહરૂપરામજીના પુત્ર ભેરૂદાનજીનીધર્મપત્નીને શાંતિકળશ લઈ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રાત્રિ જાગરણ પણ તેમના ઘેર રાખવામાં આવ્યું હતું. આ બહેન લાંબા સમયથી બીમાર રહેતા હતા. તે નિઃસંતાન પણ હતાં. પરંતુ શાંતિકળશ લઈગયા પછી તેમની બીમારી ચમત્કારિક રીતે ગાયબ થઈગઈ, એટલું જ નહીં સમયાંતરે દસ મહિના બાદ તેમના ઘેર પારણું પણ બંધાયું. ખરેખર તપસ્વી ગુરુદેવના હાથે થયેલી એ પ્રતિષ્ઠા પ્રાણવાન હતી. જેનું પ્રમાણ આ ઘટના આપે છે. આમ મૃત:પ્રાય જિનાલયનો પુનરોદ્ધાર કરાવી, ચમત્કારિક પ્રાણ પ્રતિષ્ઠા કરાવી પૂજ્ય ગુરુદેવે ફાજલકા તથા આસપાસના વિસ્તારમાં લોકોની ધર્મમાં શ્રદ્ધા દ્રઢીભૂત કરી અભુત ધર્મપ્રભાવના કરી હતી. વિહારકરતાક્રતા એકવાર પૂજ્ય ગુરુદેવ પાલનપુર પાસેનામાલણ ગામે પધાર્યા. અહીંયા તેમણે વિશાળ જનમેદની સમક્ષ જૈન વ્રતોના મહિમા પર હૃદયસ્પર્શીવ્યાખ્યાન આપ્યું. ઉપસ્થિત સૌભક્તો પ્રભાવિત થયા પૂજ્ય ગુરુદેવની અમૃતવાણીથી પ્રભાવિત થયેલાશાહમણિલાલ અમીચંદ તથા તેમના ધર્મપત્નીએ ચતુર્થવ્રત ધારણક્ય. ઉમરચંદભાઈતથા હેમચંદભાઈએબારવ્રત અંગીકાર .ટલીકબહેનોએ છમાસ તથા બારમાસની તિથિઓ પાળવાનું વ્રત ધારણ કર્યું પાલનપુરના કીર્તિલાલ ભોગીલાલ શાહ લગભગ ૨૯ વર્ષની વય સુધી નાસ્તિક વિચારસરણી ધરાવતા હતા. દેવદર્શન, ગુરુદર્શન, ગુરુવાણી, વ્રતો બધાથી દૂર રહ્યા હતા. પૂજ્યશ્રીજી વિશે તેમણે ઘણું બધું સાંભળ્યું હતું, વાંચ્યું હતું. એક જિજ્ઞાસાયુક્ત અહોભાવ પૂજ્યશ્રીજી માટે તેમના મનમાં હતો. પૂજ્યશ્રીજી જ્યારે પાલનપુર પધાર્યા, ત્યારે કુતૂહલવશ - ૫૬ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy