SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને સાંભળવા રસપૂર્વક આવતા હતા. સૌતેમના ભક્ત થઈ ગયા હતા. પૂજ્યશ્રીજીની વિહારની વેળા આવી. રામનગરના પોસ્ટ માસ્તર શીખ કરતારસિંહજીની આગેવાનીમાં લોકોએ એક માસ ત્યાં રોકાઈ જવાની પૂજ્યશ્રીજીને વિનંતી કરી. પૂજ્યશ્રીજીની જ્ઞાનવાણીનો લાભ મેળવવા કરતારસિંહજી સપરિવાર નોકરી ધંધો છોડી વયસ્ક સાધુ ભગવંત શ્રીકુશલવિજયજી સામે ભૂખ હડતાળ પર ઉતરી ગયા. છેવટે શ્રીકુશલવિજયજી મ.સા. એ પૂજ્યશ્રીજીને રામનગરમાં એક મહિનો રોકાઈ જવાની રજા આપી. એ મહિના દરમ્યાન પૂજ્યશ્રીજીએ ખૂબ જ મનનીય હૃદયદસ્પર્શી પ્રવચનો આપી ધર્મની ભારે પ્રભાવના કરી. એક વાર અંબાલાથી વિહાર કરી પૂજ્યશ્રીજી પટિયાલા રાજ્યના સમાના મુકામે પધાર્યા. એક જ્ઞાની વિદ્વાન સેવાભાવી સમર્થ સાધુ તરીકે જાણીતા થયેલા પૂજ્યશ્રીજીના પ્રવેશના વરઘોડામાં, એ ગામમાં પાંચ જ મૂર્તિપૂજક શ્રાવકોના ઘર હોવા છતાં, બાકીના તમામ સ્થાનક્વાસી શ્રાવકો પણ જોડાયા હતા. સૌએ પૂજ્ય ગુરુદેવનું ભાવભીનું સ્વાગત કર્યું. ઉપાશ્રયમાં પૂજ્યશ્રીજીએ હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. તેમના ઉપદેશના પ્રભાવથી સત્ય ધર્મના દર્શન થતાં કેટલાક સ્થાનકવાસીઓએ પુનઃ વીતરાગનો શુદ્ધધર્મ અંગીકાર કર્યો. સમાના ગામમાં જ સૂરનમલ નામના સ્થાનકવાસી શ્રાવકે પૂજ્યશ્રીજી સામે શાસ્ત્રોક્ત ચર્ચા કરી, પરંતુ થોડીવારમાં જ તેઓ પરાસ્ત થઈ ગયા. તેમણે પૂજ્યશ્રીજી સામે પ્રસ્તાવ મૂક્યો, ‘હું મારા ગુરુદેવ પૂજ્ય સોહનલાલજીને આપની સાથે શાસ્ત્રોક્ત ચર્ચા કરવા અહીંયા તેડાવું. જો અમારા ગુરુદેવ ચર્ચામાં હારી જશે તો હું શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા અપનાવી લઈશ અને જો આપ હારી જાઓ તો આપે સ્થાનકવાસી બનવું પડશે એ મારી શરત છે.’ પૂજ્ય ગુરુદેવે એ શરત સ્વીકારી લીધી, કારણ કે મૂર્તિપૂજક પરંપરા તો પ્રાચીન જૈન ધર્મના શુદ્ધ સિદ્ધાંતો પર ચાલતી હતી અને તેમણે જૈન ધર્મનો તલસ્પર્શી અભ્યાસ પણ કર્યો હતો. સ્થાનકવાસી પરંપરામાં પૂજ્ય સોહનલાલજીનો ત્યારે ખૂબ સારો પ્રભાવ હતો. તેઓ બુદ્ધિશાળી હતા. પોતાની મર્યાદાઓ જાણતા હતા, એટલે તેમણે આવો શાસ્ત્રાર્થ ન થાય તે માટે બધા પ્રયાસો કર્યા. સાથે સાથે ભક્ત સૂરનમલ તથા બીજાઓમાં પોતાનું સ્થાન ને પ્રભાવ જળવાઈ રહે તેવા પ્રયાસો પણ ચાલુ રાખ્યા. તેમ છતાં શાસ્ત્રાર્થ કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી એટલે તેમણે કર્મચંદજી નામના સાધુ મહારાજને પોતાના પ્રતિનિધિરૂપે મોકલ્યા. એ શાસ્ત્રાર્થની સભામાં યતિ બક્ષીજી નિર્ણાયક હતા. કર્મચંદજીએ યતિજીને વિવાદાસ્પદ પાઠ બતાવ્યો. યતિજીએ જૈન તત્ત્વાદર્શ સાથે પાઠની સરખામણી કરવા જણાવ્યું. કર્મચંદજીએ અંગૂઠા નીચે એ પંક્તિને સંતાડી દીધી, જેમાં પૂજા કરવાની વાત લખેલી હતી. યતિજીએ તેમનો અંગૂઠો હટાવીને એ પંક્તિને સ્પષ્ટપણે વાંચી સંભળાવી. આમ સ્થાનકવાસીઓની હાર થઈ. સત્યધર્મનો વિજય થયો. પૂજ્ય સોહનલાલજીનો પ્રભાવ ઘટચો. ઉપરોક્ત ઘટના પછી પૂજ્યશ્રીજી વિહાર કરી નાભા પધાર્યા. અહીંયા પૂજ્ય સોહનલાલજીનાં ભક્તો વધુ હતા. એટલે પોતાની આબરૂ બચાવવાસ્થાનકવાસીઓ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા તથા પૂજ્યશ્રી વિરૂદ્ધ અપપ્રચાર કરતા હતા. એ લોકો કહેતા હતા, ‘શ્વેતાંબરોમાં એવું કોઈનથી જે અમારી સાથે શાસ્ત્રાર્થ કરી શકે !' no Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy