SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાચાર્યજી, આચાર્ય શ્રી મલ્લવાદીજી મ.સા. જેવા અનેક સામર્થશીલ ગુરુ ભગવંતોએ સમયે સમયે પોતાનાં શક્તિસામર્થ્યથી જિનશાસનની પ્રભાવના કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિજીએ પણ પોતાના જીવનકાળમાં કુમારપાળરાજાને પ્રતિબોધિત કરી જૈન ધર્મની પ્રભાવના કરી હતી. ૧૬મી સદીમાં શ્રી હીરવિજ્ય સૂરિજી મ.સા.એ પણ અકબર બાદશાહને પ્રતિબોધિત કરી જૈન ધર્મની પ્રભાવના કરી હતી. ત્યાર પછી વચ્ચે એક એવો સમયગાળો આવ્યો, જે દરમ્યાન જૈન ધર્મમાં અરાજકતા શિથિલતાનો પ્રવેશ થયો, પરંતુ ૧૯મી સદીમાં જૈન ધર્મના ભાગ્યવિધાતા બની એક તેજસ્વી મહાપુરુષે જન્મ લીધો. પૂજ્ય આત્મારામજી મ.સા. એ વીર પુરુષ હતા, જેમણે જૈન ધર્મમાં નવીન પ્રાણ સંચાર કર્યો. ન્યાયાભાનિધિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. (પૂજ્ય આત્મારામજી મ.સા.) એ પોતાનું સમગ્ર જીવન ધર્મોત્થાન માટે અર્પણ કરી દીધું. એમણે આચાર્યપદવીની ફરીથી શરૂઆત કરાવી. પાલિતાણાની યાત્રા પુનઃ શરૂ કરાવી. આગમોના પ્રમાણ આપીદેવપૂજાનો પ્રારંભ કરાવ્યો. નવીન પાઠશાળાઓ શરૂ કરાવી. ઠેર ઠેર જિનાલયોનું નિર્માણ કરાવ્યું. ધાર્મિક પૂજાઓ માટેના સ્તવનો સજઝાયોની રચના કરી તથા પરમાત્માના દિવ્ય સિદ્ધાંતોનો પૂરા ભારતમાં પ્રચાર-પ્રસાર કરાવ્યો. એટલું જ નહીં, પરંતુ ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાની શિકાગો ખાતે મળેલી ‘વિશ્વ ધર્મ પરિષદમાં વીરચંદભાઈ ગાંધીને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલી જૈન ધર્મનો વિશ્વમાં પ્રચાર કરાવ્યો. અને આવા ક્રાંતિકારીયુગ પ્રવર્તક પૂજ્ય આત્મારામજી મ.સા.ના પ્રિય અનુગામી પ્રિય શિષ્યરત્ન બન્યા હતા, આપણાચારિત્રનાયક કલિકાલ કલ્પતરુ, આચાર્ય શ્રીમદ્ વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા. જેવા ગુરુ એવાચેલા એવી કહેવત છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એકસમર્થ ગુરુ હતા અને તેમના પ્રતાપે જ સ્વામી વિવેકાનંદે પણ તેમના પ્રભાવશાળી શિષ્ય તરીકે નામ કર્યું હતું. પૂજ્ય આત્મારામજી મ.સા.નાસઘળા સદ્દગુણો તથા કાર્યપ્રણાલીનો વારસો પૂજ્ય ગુરુદેવમાં ઉતર્યો હતો. એટલે જ પૂજ્યશ્રીજીએ પણ ક્રાંતિકારી વિચારધારાને અપનાવી તેમના ગુરુદેવજીના આરંભેલા જિનશાસનના પ્રભાવનાના યજ્ઞને પ્રજવલિત રાખ્યો હતો. પોતાના ગુરુદેવજીની જેમ જ પોતે પાણકર્મયોગી બન્યા. સાધુતાને સાંગોપાંગ આત્મસાત કરી. ભૂખ, ટાઢ, તડકો, આહારપાણીની તકલીફો ઉઠાવી,અજાણ્યા વિક્ટ ખડકાળ પ્રદેશોમાં વિહાર કરી તેમણે ધર્મપ્રભાવનાની જ્યોતમાં પ્રાણ પૂર્યા હતા. પૂજ્યશ્રીજીએ પોતાના ગુરુદેવના અધૂરાં અપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા આજીવન પ્રયાસો કર્યા હતા. શિક્ષણ પ્રચાર, સમાજસુધારણા, વ્યસનમુક્તિ, રાષ્ટ્રસેવા, એકતા, કુરિવાજની નાબૂદી જેવા સામાજિક કાર્યો કરી તેમા સમાજને સ્વસ્થતા, સુદ્દઢતા આપવા પ્રયાસો કર્યા હતા. સ્વસ્થ શિક્ષિત મજબૂત સમાજ જધર્મને સાચી રીતે સમજી અપનાવી શકે. આવો સમાજ જ રાષ્ટ્રહિતની પ્રવૃત્તિમાં સહયોગી બની રાષ્ટ્ર તથા સમાજની સુરક્ષા કરી શકે. તેમની સુધારાવાદી પ્રવૃત્તિઓને સાંસારિક કાર્યો ગણાવી તત્કાલિન અન્ય ફિરકા તથા સમુદાયના લોકોએ પૂજાશ્રીજીનો વિરોધ પણ કર્યો, પરંતુ પૂજ્ય ગુરુદેવે સમતાભાવ સહનશીલતા કેળવી સહેજપાગ ચલાયમાન થયા સિવાય પોતાના કર્મયોગને ચાલુ રાખ્યો. કાળ, ક્ષેત્ર ભાવ ઈત્યાદિ વાતોને ધ્યાનમાં લઈ પૂજ્ય ગુરુદેવે પોતાના સમ્યક જ્ઞાન ( ૪૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy