SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીજીના બીજા આજ્ઞાંકિત કર્મઠ શિષ્ય પંન્યાસ શ્રી લલિત વિજયજી મ.સા.ના કાને પણ આ વાત આવી. તેઓ બીમાર હતા એટલે કંઇ ન કરી શકવાના કારણે ચિંતાતુર થઈ ગયા. મુંબઇમાં શ્રી લલિતવિજયજી મ.સા.ના વૈષ્ણવ ભક્ત શેઠશ્રી વિઠ્ઠલદાસ ઠાકુરદાસે આ વાત જાણી. તેમણે ઉદારતાથી બાકીની રકમ લખાવીદીધી. પૂજ્યશ્રીજીના શિષ્ય એવા પંન્યાસ શ્રી લલિતવિથજીના ભક્તે પોતાના ગુરુને ચિંતામુક્ત ર્કા તો સાથે સાથે આપણા ચારિત્ર્યનાયક વિષે પણ તેમના હૃદયમાં ઊંડો આદર ભાવ હશે જ એમ સહેજે માની શકાય. નહીંતર એ જમાનામાં બત્રીસ હજારનું દાન કોણ ઝટ આપે ? વિ.સં. ૧૯૯૬ માં બડોત મુકામે એક અવિસ્મરણીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરની સઘળીકોમના લોકોએ ભેળા મળી ઉત્સાહ ઉમંગથી નગરની ગલી ગલીને શણગારી હતી. રંગોળીઓ પુરાઈ હતી. ધજાપતાકા લહેરાતી હતી. રસ્તાઓની સફાઈ કરી પાણીનો છંટકાવ થયો હતો. પૂજ્ય ગુરુદેવના ભવ્ય સ્વાગત માટે સનાતન પ્રેમ મંડળ, શ્રી આત્મવલ્લભ જૈન સેવકમંડળ, જૈન પ્રેમચારિણી સભા તથા નગરના અગ્રણીઓ, નગરપાલિકાપ્રમુખ, ૮૪ ગામના ચૌધરી, વકીલો, ડૉકટરો તથા લબ્ધ પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થો સૌ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોની વિશાળ સંખ્યાને સમાવવા નગર બહાર દિગંબર જૈન હાઇસ્કૂલના પટાંગણમાં આત્મવલ્લભનગરનીરચના કરી ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો. પોષ મહિનાની શુકલ ત્રીજના દિવસે ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી. એ પ્રસંગે ત્રણે ફિરકાના શ્રાવક-શ્રાવિકાઓ તથા નગરના હિંદુ-મુસ્લિમ, જાટ, રાજપૂત દરેક કોમના નેતાઓએ ઉલટભેર ભાગ લીધો હતો. આવું બહુમાન તથા સન્માન પૂજ્યશ્રીજીને બડોત નગરના લોકોએ આપ્યું એ તેમની લોકપ્રિયતાને જ આભારી હતું એમ માનવું પડે. નહીંતર સમાજમાં ભાઈ-ભાઈના પ્રસંગે હાજર નથીરહેતા,ત્યાં ત્રણે ફિરકાના જૈન બંધુઓ એક સાથે આવે તેમાં વળી હિંદુ, જાટ, મુસ્લિમ, શીખોના અગ્રણીઓ જોડાય એ ક્યાં સંભવ છે ? પરંતુ પૂજ્યશ્રીજી પ્રત્યેની ચાહના જ આ પ્રસંગે સૌને એકઠા કરવાકારણભૂત બની હતી. વિ.સં. ૧૯૯૭નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે ગુજરાંવાલામાં કર્યો હતો. આ અનોખા ચાતુર્માસ દરમ્યાન ધર્મની જબરજસ્ત પ્રભાવના થઈ હતી. જૈન જૈનેતર લોકોની સાથે સાથે એક હરિજન ભાઈએ પણ ભક્તિભાવથી પ્રેરાઈ અઠ્ઠાઈનું તપ કર્યું હતું. સંવત્સરીના દિવસે કસાઈઓએ પણ કતલખાનાં બંધરાખી જીવદયા દાખવી હતી. લગભગ દોઢસો દુકાનો બંધ રાખી અહિંસાનું પાલન કરી બતાવ્યું હતું. આ કંઈ નાનીસુની વાત નથી. અપાર લાગણીને લોકચાહના તથા અંતરના આદરભાવ વિના આવું સંભવી શકે નહીં. ખરેખર ગુજરાવાલાના ઈતિહાસમાં આ એક અપૂર્વ ઘટના બની હતી. ભારતના જૈનો ઉપરાંત હિંદુઓ, મુસ્લિમો, શીખો, જાટ જેવા અનેક જાતિના લોકોના હૃદયસમ્રાટ બની ચૂકેલા પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતા દરિયા પારના દેશો અમેરિકા તથા યુરોપના દેશોમાં પણ પ્રસરી ચૂકી હતી. પૂજ્યશ્રીજીની પ્રેરણાથી જ જામનગરના વતની પંડિત ફતેહચંદજી ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy