SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત સભામાં ઘણા અગ્રણીઓએ પણ નશાબંધી પર પોતાના વિચારો પ્રગટકર્યા હતા. સભાના અંતમાં કેટલાય લોકોએ દારૂ-જુગાર, તમાકુ, તપખીર તથા ધુમ્રપાન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. વ્યસની માણસ સ્વયંની શારીરિક તથા માનસિક હાનિ કરતો હોય છે. વ્યસન કરવાથી તેની માનવતા મરી પરવારે છે અને તે પોતાના પરિવાર તથા સમાજ માટે ભયજનક બની જાય છે. નશાના પ્રભાવ નીચે મારામારીકરવી, ગાળાગાળી કરવી, ક્યારેક ખૂનખરાબા કરતા પણ આવી વ્યક્તિ અચકાતી નથી. વળી વ્યસનના કારણે આર્થિક પાયમાલી થતાં પરિવારમાં સ્ત્રી તથા બાળકોને શોષાવું પડે છે. વ્યસનથી અનેક પ્રકારે હિંસા જન્મ લેતી હોય છે. તે જ પ્રમાણે માંસાહાર, શિકાર તથા પરસ્ત્રીગમન અને જુગાર જેવી બદીઓ પણ હિંસાને જન્મ આપે છે. પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે એટલે જ સમાજને નિર્વ્યસની બનાવવા આજીવન પ્રયાસ કર્યા હતા અને એ રીતે જૈન ધર્મના પાયાના સિદ્ધાંત અહિંસાનો પૂર્ણ પ્રચાર કરી લોકોને આત્મકલ્યાણના માર્ગે વાળ્યા હતા. તેમના જ પ્રયાસોથી જૈન સમાજની સંપૂર્ણ કાયાપલટ શક્ય બની હતી તથા લોકોમાં ધાર્મિક સંસ્કારોનું અસરકારક સિંચન થઈ શક્યું હતું. પૂજ્ય ગુરુદેવ સૂક્ષ્મ અહિંસાના પરમ સમર્થક હતા. તેમના જીવનની પ્રત્યેક ક્ષણના આચરણમાં, પ્રત્યેક પ્રસંગ સાથે અહિંસાની ભાવના સ્વાભાવિક રૂપે જ વણાઈ ચૂકી હતી. Jain Education International : ન ૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy