SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ માંગલિક સાંભળી શ્રદ્ધાપૂર્વક વાસક્ષેપ લીધી. પરિવારના સઘળા સભ્યોએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ માંસ મદિરા ત્યાગવાની પ્રતિજ્ઞા લીધી. ચુનીલાલજીએ પણ પરસ્ત્રીગમન નહીંરવાનો નિયમ લીધો. તેમની બન્ને પત્નીઓએ પણ પરપુરુષની છાયાથી અળગા રહેવાની પ્રતિજ્ઞા લીધી. આમ પૂજ્ય ગુરુદેવની પધરામણી થતાં આરોપી પરિવારે વ્યસનમુકત થવાની પ્રતિજ્ઞા લઈઅહિંસાપાલનને જીવનમાં સ્થાન આપ્યું. લાંબા સમયગાળા પછી લુધિયાણા પધારેલા પૂજ્ય ગુરુદેવનું જૈન જૈનેતરભક્તોએ ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું. તેમની આત્મોદ્ધારક અમૃતવાણીનો ભરપૂર આસ્વાદ માગવા જૈનો ઉપરાંત હિંદ, આર્યસમાજી, શીખતથા મસ્લિમ ભક્તોની ભીડલાગી. ભક્તોની સંખ્યા એટલી વધી પડીકે વ્યાખ્યાનખંડની દીવાલ પાણતોડી નાખવી પડી. પૂજ્ય ગુરુદેવના હૃદયના ઊંડાણથી નીતરતા કરણાભાવ અને અહિંસાપૂર્ણ હૃદયસ્પર્શી વાણીનો એટલો જબરદસ્ત પ્રભાવ પડ્યો કે વ્યાખ્યાનમાં આવેલા એક મુસ્લિમ બિરાદરનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે તત્કણ પોતાના પરિવારના સાત સભ્યો સાથે માંસાહાર ત્યાગવાની પ્રતિજ્ઞા લઈ લીધી. એજવ્યાખ્યાનસભામાં આવેલા એક બ્રાહ્મણ યુવકે પણ પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનથી અભિભૂત થઈને મદિરાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. આમ માંસ-મદિરાના ત્યાગ દ્વારા બે ભિન્ન પરિવારો અહિંસાના માર્ગે વળ્યાએ પૂજ્ય ગુરુદેવના ઉપદેશની સાર્થકતા સિદ્ધકરે છે. લુધિયાણામાં જ પૂજ્યશ્રીજીની ઉપસ્થિતિમાં જ્યારે પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ, તે પ્રસંગે ઉપસ્થિત રહેલા બે હજારથી અધિક શ્રાવકશ્રાવિકાઓએ જાણે ગુરુદક્ષિણા આપતા હોય એવા ભાવથી અભિભૂત થઈ જીવનમાં ક્યારેય પણ ચરબીયુક્ત અપવિત્ર વસ્ત્રો તથા રેશમી કાપડનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. આ ઘટનાને પૂજ્ય ગુરુદેવના અહિંસા પ્રચારની સીમાચિહ્નરૂપ અવશ્ય ગણી શકાય. જૂના જમાનામાં માણસોને ગુલામો તરીકે વેચવામાં આવતા હતા. યુદ્ધમાં પરાજિત થયેલા રાજ્યના સ્ત્રી-પુરષો તથા બાળકોને વિજયી થયેલો રાજા પોતાના રાજ્યમાં લઈ જઈ તેમને ગુલામ તરીકે વેચીદતો. આવા ગુલામતરીકે વેચાયેલા સ્ત્રી પુરુષો તથા બાળકો પર તેના માલિકો જોરજુલમ કરતા તથા તેમનું ભરપૂરશોષણ કરતા હતા. ભારતમાં પણ સ્ત્રીઓની દશા ગુલામો જેવી જ હતી. તેમને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી. તેમને ઘૂંઘટમાં રહેવું પડતું. સ્ત્રીઓનું દરેક પ્રકારે શોષણ કરવામાં આવતું હતું. ઘણીવાર યુવતીઓને તેના માતાપિતામોટી ઉંમરના આધેડપુરુષ સાથે પરણાવી તેનું જીવનદુઃખમય કરી દેતા. ચીજવસ્તુઓની જેમ તેમનો વિક્રય કરવામાં આવતો હતો. આ બધા અત્યાચાર એક પ્રકારની હિંસા જ ગણાય. પૂજ્ય ગુરુદેવે સામાજિક સુધારણા અંતર્ગત જૈન સમાજમાંથી આવી કેટલીક બદીઓ નાબૂદકરાવી અહિંસાના સિદ્ધાંતનો સાચા અર્થમાં પ્રચાર કર્યો હતો. સ્ત્રી શિક્ષણ માટે તેમણે કન્યાવિદ્યાલયો શરૂ કરાવ્યા હતાં અને બીજા કુરિવાજો દૂર કરવા સમાજના લોકોને પ્રેમથી (૩૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy