SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ફળકૂલ, અનાજ તથા શાકભાજીથી માનવીની સુધા શાંત થઈ શકે છે, તો પછી અન્ય જીવોના પ્રાણના ભોગે માંસાહાર કરવાનીશું આવશ્યકતા છે? માનવી જ્યારે સુસંસ્કૃત નહોતો, અજ્ઞાની અવસ્થામાં સબડતો હતો, ત્યારે તે માંસાહાર કરતો હતો, પરંતુ આજના વિકસિત યુગમાં પણ તેની માંસાહારની વૃત્તિ સરાહનીય નથી. માંસાહાર તેના પાચનતંત્ર માટે પણ અનુકૂળ નથી. કયારેક આવા પ્રાણીના શરીરમાં રહેલા રોગના કીટાણુઓ માંસાહાર દ્વારા માનવીના શરીરમાં પણ રોગો ઉત્પન્ન કરતા હોય છે. વળી માંસાહારથી માનવીમાં તમોગુણનીવૃદ્ધિ થતાં તેનામાં કામ, ક્રોધ, આવેશમાં વધારો થાય છે. આવી વ્યક્તિઓ ધર્મધ્યાન કરી પોતાના આત્માનું કલ્યાણ કરી શકતી નથી. વળી હિંસામાં ભાગીદાર થવાથી તેના પાપકર્મ બંધાય છે, જે ભોગવવા તેને ભવોમાં ભ્રમણ વધુ કરવું પડે છે. જગતના તમામ ધર્મોતથા મહાપુરુષો પણ સઘળાજીવો પ્રત્યે દયાભાવ ધારણ કરવાનો તથા અહિંસાપાલનનો જ ઉપદેશ આપે છે. કોઈપણ નિપ્રાણજીવને ચૈતન્ય બક્ષવાની શક્તિ | આપણામાં નથી, તો તેને મારવાનો અધિકાર આપણને શી રીતે હોઈ શકે? પ્રેમ, કરૂણા, દયાભાવ, સમભાવ તથા અહિંસાના વાતાવરણમાં જ આત્મકલ્યાણની યાત્રા સંભવ બને છે. પૂજ્ય ગુરુદેવ પોતાના પ્રવચનોમાં અહિંસાની વાત એટલી સુંદર પ્રભાવી શૈલીમાં પ્રસ્તુત કરતા કે જેના પરિણામે ઘણા ક્ષત્રિયો તથા મુસ્લિમ બિરાદરો આજીવન માંસાહાર ત્યાગવાની પ્રતિજ્ઞા કરતા હતા. ગુજરાવાલામાં પૂજ્ય ગુરુદેવના સુંદર વ્યાખ્યાન થતાં હતાં. તેમના વ્યાખ્યાનોમાં મુસ્લિમ સજનો પણ હોંશભેર આવતા હતા. એક દિવસ વ્યાખ્યાન પૂર્ણ થતાં મૌલવી અહમુદ્દીન પૂજ્યશ્રીજીને મળ્યા. વંદન કરીને બોલ્યા, ‘મહારાજ!આજે અમારે ઈદનો મોટો તહેવાર છે, છતાં આપની પવિત્ર વાણીનું શ્રવણ કરવા હું અહીં આવ્યો છું. માંસાહારનો ત્યાગ તો મેં વર્ષોથી કરી દીધો છે, પરંતુ મારા સંબંધીઓનો આગ્રહ છે કે હું ફરીમાંસાહાર શરુ કરી દઉં. તેમ છતાં હું મારી પ્રતિજ્ઞા પર અટલ છું. એટલું જ નહીં, મેં મારા યાર દોસ્તોને પણ માંસાહારના ગેરલાભ સમજાવ્યા છે. આપે જ્યારથી બતાવ્યું કે કુરાન શરીફમાં પણ ગોશ્ત ખાવાની મનાઈ છે, ત્યારથી માંસાહાર નહીં કરવાની મારી પ્રતિજ્ઞા વધુ બળવત્તર થઈ ગઈ છે.” પૂજ્ય ગુરુદેવના અહિંસા સંબંધી વિચારો કેટલા સ્પષ્ટ, આધારભૂત તથા પ્રભાવશાળી હશે તેની પ્રતીતિ આ ઘટનામાં થાય કાયિક, વાચિક તથા માનસિક અહિંસાનું પાલન ખૂબ જકઠિન છે. જીવનમાં પળે પળે પ્રત્યેક ઘટનામાં હિંસાચાર થવાની શક્યતા રહેલી છે. ધારો કે તમે ઉપવાસ કર્યો છે, તમારા સાથીદારોએ છૂટું રાખ્યું છે. તમે તમારી ઓફિસના બોસ, માલિક સર્વેસર્વાછો અને એક ખાસ કામ ચાલી રહ્યું છે, જેમાં તમારા કર્મચારીઓ શામેલ છે. કામ અગત્યનું છે, સમય બગાડે પાલવે તેમ નથી અને બપોરના એકબે વાગી જવા છતાં તમે કર્મચારીઓને જમવાની રજા નથી આપતા, તો એ પણ શોષણ દ્વારા તમારા નિમિત્તથી હિંસા જ થાય છે. અહિંસાવાદીમહાપુરુષો જીવનની પ્રત્યેક ક્ષણે સાવધ વિવેકપૂર્ણ અને સભાન હોય છે. પૂજ્ય ગુરુદેવ નિમિત્તથી પણ હિંસા ન થાય એની વિશેષ કાળજી રાખતા હતા. - ૨૯ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy