SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાના પરમ ઉપાસક સત્ય, અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ તથા સમતાભાવ જેવા વિશિષ્ટ સિદ્ધાંતો પર રચાયેલા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી દ્વારા પ્રબોધિત જૈન ધર્મમાં આજના અશાંત યુદ્ધખોર માનસ ધરાવતા જગતના માનવીઓ તથા સમગ્ર જીવસૃષ્ટિના પરમ કલ્યાણની શક્તિ નિહિત છે. પંજાબકેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ સિધ્ધાંતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેમના પર ચિંતન મનન કરી પોતાના જીવનમાં આત્મસાત્ કર્ષ્યા હતા. આ સિધ્ધાંતોની પરમ શક્તિને જાણી તેમણે જૈન ધર્મમાં વૈશ્વિક ધર્મ બનવાની ક્ષમતા હોવા અંગેની ઘોષણા કરી હતી. પૂજ્ય ગુરુદેવ અહિંસાના પરમ ઉપાસક હતા. અહિંસા તેમના જીવનમાં સંપૂર્ણપણે વણાઈચૂકી હતી. પૂજ્યશ્રીજીએ અહિંસાનું ઝીણવટથી અવલોકન કર્યું હતું અને એટલે તેમના વાણીવર્તનમાં વિચારોમાં કદી પણ ક્યારેય હિંસાની ઝલક પણ દ્રષ્ટિગોચર થતી નહોતી. હિંસા ત્રણ પ્રકારે થઈ શકે. એક તો કાયિક હિંસા છે. તમે કોઈને તમાચો મારો, મુક્કો મારો, લાકડીમારો કે કોઈપણ સાધનથી અન્ય જીવને મારો એ કાયિક હિંસા ગણાય. અરે તમે જોરથી ઉચ્છ્વાસ ફેંકીને પણ વાયુકાચિક જીવોને હાનિ કરી શકો છો. બીજા પ્રકારની હિંસામાં તમે ગુસ્સે થઈને ગાળો આપો, ધિક્કારની વાણી બોલો, કોઈના મનને દુઃખ પહોંચે તેવા કટુવચનો કહો, કોઈની નિંદા કરો, આલોચના કરો, અપમાન કરો, કડવા વેણ કહો એ તમારી વાચિક હિંસા ગણાશે. ત્રીજા પ્રકારની હિંસા છે ભાવથી ઉત્પન્ન થતી માનસિક હિંસા. તમે કોઈના પ્રત્યે શત્રુભાવ રાખી તેના વિષે મનમાં ખરાબ ભાવોનું સેવન કરો. તેને શાપ આપો અથવા તેનું અહિત વિચારો, સામેવાળી વ્યક્તિ પ્રત્યે સદ્ભાવન રાખો. અરે ! કોઈપણ વિચાર જે અન્ય જીવને માટે ખરાબ ભાવથી તમારા હૃદયમાં ઉત્પન્ન થાય, તો એ માનસિક હિંસા જ છે. આમ સાચા અર્થમાં અહિંસાનું પાલન કરવું અત્યંત કઠિન છે. કાયિક અહિંસાથી વાચિક અહિંસાનું પાલન કઠિન છે અને આ બન્ને પ્રકારની અહિંસાથી પણ માનસિક અહિંસાનું પાલન તો અત્યંત કઠિન છે. ખરેખર તો આ ત્રણે પ્રકારની અહિંસાનું પાલન થાય ત્યારે જ તમે જીવનમાં અહિંસાનો સિદ્ધાંત સમજી શક્યા છો, તેને જીવનમાં ઉતારી શક્યા છો એમ કહી શકાય. ખૂબ ઉચ્ચ કોટિના જૂજ મહાત્માઓ આ પ્રકારની અહિંસાનું પૂર્ણપણે પાલન કરી શકે છે. પૂજ્ય ગુરુદેવ આ પ્રકારના પરમ અહિંસાવાદીમહાપુરુષ હતા. અહિંસાવાદી મહાપુરુષ સ્વયં તો કદાપિ હિંસા ન જ કરે, પરંતુ પોતાની આસપાસ થતી હિંસા નિવારવા પ્રયાસ કરે છે. અહિંસાવાદી મહાપુરુષ હંમેશાં પોતાની જાતને હિંસામાં ક્યાંય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિમિત્ત થવા દેતા નથી. પૂજ્ય ગુરુદેવ આ સઘળી વાતોથી સુપરિચિત હતા અને જીવનમાં આવા પ્રસંગો ઉદ્દભવ્યા, ત્યારે તેમણે અન્ય જીવોને બચાવ્યા છે. પોતાની પ્રાણ રક્ષા સારુ અન્ય નિર્દોષ જીવોને જોખમમાં તેમણે કદાપિ મુકાવા દીધા નહોતા. એકદ્રષ્ટિએ આ જીવદયાનો જ એક પ્રકાર ગણાય. ભારત પાકિસ્તાનના ભાગલા ઈ.સ. ૧૯૪૭ માં પડ્યા, ત્યારે પૂજ્ય ગુરુદેવ ગુજરાંવાલામાં હતા. ચોમેર લૂંટફાટ, મારામારી, ખૂનામરકી ચાલતા હતા. નિર્દોષ જીવોની ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy