SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કોનો સંદેશ લઈને આવ્યા છો, મહાનુભાવ?” પૂજ્યશ્રીજીએ પૃચ્છા કરી. રામવિજયજી મ.સા.ની. તેમની ઈચ્છા છે કે સ્વર્ગીય શ્રી આત્મારામજીના સંઘાડાની એકતાકી રહે ‘સજજનો ! સરસ વાત કરી, તમે. એનાથી વળી રૂડી બીજી શી વાત હોઈ શકે ?' પૂજ્યશ્રીજીએ તેમના સંદેશાનું સ્વાગત કરતા કહ્યું. હું તો શાંતિનો ઉપાસક છું... સ્વર્ગીય ગુરુદેવનાસંઘાડામાં સંપ થાય એનાથી ઉત્તમ મારા માટે અન્ય કોઈ વાત નથી. હવે તમે જણાવો કે એકતા શી રીતે સ્થાપિત થશે ?' ‘રામવિજ્યજી મ. સાહેબે જે સંદેશો આપ્યો હતો, એ અમે તમને જણાવી દીધો છે. એથી વિશેષ અમે કંઈ જાણતાં નથી.” માત્ર સંદેશ? પ્રયત્નકંઈ નહીં? પૂજ્યશ્રીજીએ પૂછ્યું પૂશ્રીજીની વાત પૂરી થતાં જસુરતના ઉપસ્થિત શ્રાવકોએ પેલા આગંતુકોનો વંદના નહીં કરવા બાબત રીતસર ઉધડો લીધો. પેલા લોકો હતપ્રભ થઈ ગયા, ત્યારે પૂજ્યશ્રીએ ગુસ્સે થયેલા સૌ શ્રાવકોને વાર્યા. તેમણે શ્રાવકોને કહ્યું, ‘ભાઈઓ! શાંતિ જાળવવી જઆપણો ધર્મ છે. આ ભાઈઓ તો માત્ર સૂચના પ્રમાણે વર્તતા સંદેશાવાહક છે.' ભગવાન બુદ્ધના જીવનમાં પણ એકવાર એક અજાણી વ્યક્તિએ આવીને તેમના મુખ પર ઘૂંકવાની ચેષ્ટા કરી હતી. ભગવાન બુદ્ધે ત્યારે તે આગંતુકને શાંતિથી પૂછેલું, બીજું કંઈ કરવાનું બાકી છે?” મહાપુરુષોના જીવનમાં આવી કક્ષાનો સમતાભાવ હોય છે. પૂજ્ય ગુરુદેવમાં રહેલ સમતાભાવ ઉપરોક્ત પ્રસંગમાં દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્યશ્રીજી આવાસમતાભાવના સત્યનિષ્ઠ સાધુતાના પરમ ઉપાસક હતા. - ૨૨ Jain Education International Jain Education International For Private & Personal Use Only For Pri www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy