SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાવ આપતા તેમણે કહ્યું: “ભાઈઓ! હું તમારી લાગણીઓ અને પ્રેમથી સંતુષ્ટ છું. મને તો આઆચાર્યપદવી પણ ભારરૂપ લાગે છે, ત્યાં આ નવી પદવીઓ આપીમારી ભારશીદને વધારો છો?” સાચા સાધુ નામના પ્રતિષ્ઠાના પડછાયાથી પાણ દૂર ભાગતા હોય છે, પરંતુ માનસન્માન, યશ, કીર્તિ તેમનો પીછો કરતાં પાછળ પાછળ ફરતાં હોય છે. જે વ્યક્તિ કર્મઠ કર્મયોગી છે, તે કામને ચાહે છે. પુરુષાર્થથી પ્રેમ કરે છે. આવી વ્યક્તિ ચાહે રાજકારણમાં હોય, સમાજમાં સામાજિક કાર્યકર્તા હોય કે પછી ધર્મના ક્ષેત્રમાં હોય, તે તો પરમાત્માની પ્રાર્થના સમજી જનસમુદાય તથા જગતના સર્વ જીવોના કલ્યાણ સારુ કોઈ અપેક્ષા રાખ્યા સિવાય નિરંતર સેવા કરતી રહે છે. પરંતુ જેને પદ પ્રાપ્તિની લાલસા હોય છે, એવી વ્યક્તિ પુરુષાર્થના નામે પ્રપંચ કરી સ્વાર્થ સિદ્ધિ સારુ જ મર્યાદિત દેખાવ પૂરતા પ્રયત્નો કરે છે. આવી વ્યક્તિઓને પદ્માપ્તિ થતી નથી, ત્યારે આવા લોકો નિરાશ થઈ, હતાશ થઈ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને સીમિત કરી નાખે છે. આપણા ચારિત્રનાયક શ્રી વલ્લભવિજયજી મહારાજ સાહેબ સત્યનિષ્ઠ કર્મયોગી હતા. એમને મન ધર્મનું ઉત્થાન, સમાજનું ઉત્થાન તથા રાષ્ટ્રની પ્રગતિ થાય એનું મહત્ત્વ વિશેષ હતું. તેમના સમગ્ર જીવનમાં ક્યાંય પદની લાલસા, પદવીની સ્પૃહા દ્રષ્ટિગોચર થતી નથી. નિઃસ્પૃહીતા સાધુતાનું આભૂષણ છે. પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના મહાપ્રયાણ પછી સંવત ૧૯૫૬માં હોંશિયારપુરના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવના પંજાબી ભક્તો, રાજસ્થાની ભક્તો તથા બહોળો સાધુગણ પૂજ્ય વિજ્યવલ્લભજી મહારાજ સાહેબને આચાર્યપદવી અર્પણ કરવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ ગુરુદેવ વલ્લભવિજયજી મ.સા.એ એ પદવી સ્વીકારવાનો ઈન્કાર કરી, પાટણ સ્થિત દીક્ષા પર્યાયમાં મોટા વયોવૃદ્ધ મુનિરાજ શ્રીકમલવિજયજીને અપાવવા સક્રિય પ્રયત્ન કર્યો. આ માટે તૈયાર કરાયેલા સંમતિપત્રમાં સૌ પહેલાં હસ્તાક્ષર પણ શ્રીવલ્લભવિજ્યજી મહારાજ સાહેબે કર્યા. એટલું જ નહીં, પરંતુ શ્રી કમલવિજયજી મહારાજ સાહેબે આપણા ચારિત્રનાયકને ઉપાધ્યાયની પદવીથી અલંકૃત કરવાનો પ્રસ્તાવ મૂક્યો, તો પણ વલ્લભવિજ્યજી મહારાજે એ પદવી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. તેમણે આ બાબતમાં નારાજ થયેલા પંજાબના તથા અન્ય પ્રાંતના ભકતોને સમજાવતા કહ્યું કે, હુંપદવીગ્રહાણ નથી કરતો, એટલે પૂજ્ય આત્મારામજી ધર્મ તથા સમાજના ઉત્થાનની જે જવાબદારીઓ મને સોંપી ગયા છે, એ નહીં નિભાવું એવું માનશો નહીં. એ કામ તો મારું ચાલુ જ રહેશે. મારી કર્મનિષ્ઠામાં તલભાર ઘટાડો નહીં થવા દઉં.” આવી નિઃસ્પૃહીવૃત્તિના સ્વામી હતા, પૂજ્ય વિજ્યવલ્લભ ગુરુદેવ! સુધારાવાદીઓનો વિશ્વમાં હંમેશા વિરોધ થતો આવ્યો છે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી તથા પરમાત્મા શ્રી ગૌતમ બુદ્ધને પાગ તત્કાલિન લોકોએ પથ્થર માર્યા છે, ગાળો દીધી છે, તેમને જાત ભાતની યાતનાઓ આપી છે. ભારતમાં સતી પ્રથાનો વિરોધ કરનાર રાજા રામમોહન રાયને પણ રૂઢિવાદીઓએ અનેક યાતનાઓ આપી હતી. આર્ષદ્રષ્ટા પૂજ્ય આત્મારામજી મ.સા.ના પટ્ટશિષ્ય ગુરુવલ્લભવિજ્યજીએ પણ જૈન સમાજમાં સ્ત્રીશિક્ષણ (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy