SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ | સાધુતાની સુવાસ | જગતમાં જ્યારે જ્યારે લોકકલ્યાણ સારુ, માનવજીવનના ઉત્થાન સારુ, જનસમુદાયની આધ્યાત્મિક ચેતનાને પ્રજવલિત કરવા મહાન આત્માઓના વસુંધરા પર અવતરાગ થયાં છે, ત્યારે ત્યારે અલૌકિક ઘટનાઓ દ્વારા એમના શુભ આગમનના સંકેત લોકોને મળતા રહ્યા છે. દેવાધિદેવ મહાવીર સ્વામીજીના જન્મ પૂર્વેમાતાત્રિશલાદેવીજીને ચૌદ દિવ્ય સ્વપ્ન આવેલાં... ભગવાન ઈશુખ્રિસ્તનાબેથલેહામ શહેરની બહાર ગમાણમાં જન્મ થતાં આકાશમાં એક તેજસ્વી તારલાનો ઉદય થયો હતો...યોગેશ્વર શ્રીકૃષ્ણના જન્મ સાથે જ કારાગૃહનાં દરવાજાનાં તાળાં તૂટી ગયાં હતાં... અને આઠમની મેઘલી રાત્રે પિતા વાસુદેવજીને જમુનામાં ઉમટેલા પૂરે પણ માર્ગ કરી આપ્યો હતો. મહાત્માઓ, ધર્માત્માઓ, ત્યાગીઓ તથા સંતપુરુષોના જીવન બાલ્યાવસ્થાથી જ અસામાન્ય ક્રાંતિકારી ઘટનાઓથી પરિપૂર્ણ હોય છે. આવા મહાપુરુષોના આત્માની આભામાં ત્યાગ, નિઃસ્પૃહીતા સંસાર પ્રત્યેની ઉદાસીનતા સ્વાભાવિકપણે ઝલકતી દ્રષ્ટિગોચર થયા સિવાય રહેતી નથી. ન્યાયાભાનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. બાળપણથી જનીડર, સ્પષ્ટ વકતા હાજર જવાબી હતા. જૈન પરિવારમાં તેમનો ઉછેર થતાં તેમનો આત્માવિરક્ત ભાવનાથી રંગાઈગયેલો અને તેમણે આત્મકલ્યાણ સારુ દીક્ષા લીધી હતી. સત્યના તેઓ પરમ ઉપાસક હતા. પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે, સ્થાનકવાસી પરંપરામાં દીક્ષા લીધી હતી, પરંતુ તેમણે જ્યારે જ્ઞાનની ઉપાસના દરમ્યાન આગમોનો અભ્યાસ કરતાં જાણ્યું કે જૈન ધર્મમાં મૂર્તિપૂજાનો નિષેધનથી, તો સત્ય ખાતરમાણે પોતાના અઢાર જેટલા સાથી મુનિરાજ સાથે નીડરતાથી શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં ફરી દીક્ષા લીધી. આવા પરમ ઉપકારી સત્યના પ્રખર ઉપાસક,કર્મઠકર્મયોગી, અનેક સિદ્ધિઓના સ્વામી આત્મારામજી મહારાજ સાહેબ પાસે વડોદરાની જાની શેરીના ઉપાશ્રયમાં એક વ્યાખ્યાન દરમ્યાન એક દિવ્ય બાળકે પ્રવચન પૂર્ણ થયા પછી ભાવવિભોર થઈ, તેમનો ચરણસ્પર્શ કરી અણમોલ જીવન જીવવાની જડીબુટ્ટીની માંગણી કરી. ભવસાગર તારી દે,જીવનપથને જ્ઞાનપ્રકાશથી આલોકિત કરી દે તેવો, આદ્યાત્મિક જીવન માટે દીક્ષારૂપી અણમોલ ધનભંડાર માંગ્યો. બાળપણમાં જ જેના આત્મામાં ત્યાગના સુવાસિત પુષ્પો ખીલી ગયા હતા, એ મહાપુરુષ કોણ હતા ? પરિવારમાં પરલોકે સીધાવવાની અંતિમ ક્ષણે જેને ધર્મ અનુષ્ઠાન જપ તપ વ્રતના પીયૂષ પાન કરાવેલાએ માતાએ પાગ આ દિવ્ય બાળકને અહંતનો આસરો લેવાની આશિષ આપી હતી અને ત્યારે પળવારમાં માતાના વિરહની વેદનાથી પર થઈ, આત્માની અમરતા તથાદેહની નશ્વરતાને આત્મસાતુકરી નિર્ભય ભાવેશત થઈવાસ્તવિકતાને સ્વીકારી લેનાર એ નિઃસ્પૃહી વ્યક્તિ કોણ હતી? ૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy