SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મળે છે, ત્યારે એમના મનોભાવમાં સમભાવ જ વર્તાય છે. વાદ-વિવાદમાં પણ સ્થાનકવાસી પરંપરાના સોહનલાલજીના પક્ષને પરાજિત કરી પૂજ્યશ્રીજી હર્યાદિત નથી થતા તથા અન્ય પંડિતો કે જ્ઞાનીઓ સાથેના વાર્તાલાપ દરમ્યાન અભિમાનથીફુલાઈ જતો નથી. આવા પૂજા ગુરુદેવ સાચા અર્થમાં સમતાભાવના પરમ ઉપાસક હતા એમસ્વાભાવિક જ અનુભવાય છે. સુખ-દુઃખ, હર્ષ -લાનિ, સગવડ-અગવડ, માન-અપમાન જેવા જગતના તમામ વંદ્વોથી પર થઈ પૂજ્ય ગુરુદેવે સમતાભાવને જીવનમાં આત્મસાત્ કરી સાધુતાને સુપેરે દીપાવી હતી અને આવા જસાધુ પુરુષમાં પરમાત્માની અલૌકિક શક્તિઓ ઉતરતી હોય છે. મિક તપોબળ આંગીતપસ્વી, સંત સાધુ પુરુષના આશીર્વાદમાં એવી તાકાત હોય છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ અસંભવ લાગતી ઘટનાઓ પણ બની જતી હોય છે. વર્ષોની સાધના, જપ, તપ, નિયમ, શુદ્ધ ચારિત્રયુક્ત સરળ જીવન જીવતાં સાધુ પુરૂષોમાં કાળાંતરે દિવ્ય અષ્ટસિદ્ધિઓ વિકસિત થયેલી જોવા મળે છે. સાધુપુરુષના તપોબળના કારણે લોકોના જીવનમાં બનતી આવી અલૌકિક ઘટનાઓને ચમત્કાર ગણવામાં આવે છે. એકવાર સંત તુલસીદાસજી પાસે એક નિઃસંતાન વણિક શેઠગયા. તેમણે સંતને પુત્ર સુખવિષે પૃચ્છા કરી. તુલસીદાસજીએ એ શેઠને બીજા દિવસે કહ્યું કે સાત જન્મો સુધી તમારે સંતાનયોગ નથી. નિરાશ શેઠ પાછા વળ્યા. જંગલમાં અન્ય એકતપસ્વીની જાણકારી મળી. તેમાગે એ તપસ્વીની શ્રદ્ધાથી સેવા કરી અને પ્રસન્ન થયેલા તપસ્વીએ શેઠને સાત સંતાન થવાના આશીર્વાદ આપ્યા અને શેઠને ત્યાં સાત બાળકો થયા પણ ખરા. મહાન સંતપુરુષોના આશીર્વાદમાં આવી શક્તિ રહેલી હોય છે. પૂજ્યશ્રીજી પણ આ પ્રકારના તપોબળના સ્વામી હતા. તેમને તેમના ગુરુદેવપૂજ્ય આત્મારામજીની આશિષ મળી હતી.રક્ષકદેવી-દેવતાની તથા પરમાત્માની તેમના પર અમીદ્રષ્ટિ હતી તથા તેમનું પોતાનું જીવન પણ પૂર્ણ સાધનામય તેજવી હતું, એટલે તેમને વચનસિદ્ધિ યોગની પ્રાપ્તિ થઈ હોવાનું અનુમાન કરી શકાય. એ પૂજ્યશ્રીજીના તપોબળની જતાકાત હતી કે, ગુજરાંવાલામાં ધર્મઝનૂની, લોહીના તરરયા લોકોના ટોળાં જ્યારે મંદિરમાંકે ઉપાશ્રયના પ્રાંગણમાં પ્રવેશતા, કે તેમના પગÚભિત થઈ જતા. તેમની આસુરી શક્તિ હણાઈ જતી અને એ લોકોને પાછા ફરી જવું પડતું હતું. તેમના જીવનમાં તપોબળની સિદ્ધિના કેટલાય પ્રસંગો દ્રષ્ટિગોચર થાય છે. એમની નિશ્રામાં થતા પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે વરસાદનું વિદન ટળી શકે છે. કોઈક દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં તેમના પાવન પગલાં થતાં મેઘવષ થઈ શકે છે... એક ગામમાં તો બાજુના અન્ય ગામમાંથી પરમાત્માની પ્રતિમાલાવીને પ્રતિષ્ઠિત કરી શકાતી નહોતી, પરંતુ પૂજ્યશ્રીના આદેશ તથા આશિષથી અંકાર્ય નિર્વિદને પાર પડ્યું હતું. પાલિતાણામાં સંગીતકાર ઘનશ્યામદાસજીને કરડેલા નાગનું ઝેર પાગ પૂજ્યશ્રીજી દ્વારા અપાયેલ અભિમંત્રિત વાસક્ષેપથી ઉતરી ગયું હતું. એક વકીલ ભાઈનો ફાંસીની સજામાંથી બચાવ થયો હતો... ( ૧૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy