SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો. ઈ.સ. ૧૯૫૧ માં તેમણે પાલિતાણાની યાત્રા કરી. જંડિયાલાગુરુ અને લાહોર વચ્ચે બર્કરા નામનું ચોર લૂંટારાઓનું ગામ હતું. સવારે લાંબો વિહાર કરી થાક્યાપાક્યા પૂજ્યશ્રીજી અને ભક્તો જ્યારે ગામની એક ધર્મશાળામાં રોકાયા, ત્યારેએકપરગજુ શીખભાઈ તથા એક બહેને ગામમાં નહીં રોકાવાની સલાહ આપી. પૂજ્યશ્રીજીએ ત્યારેસૌની ભલાઈમાં ત્યાંથી પુનઃ લાંબો વિહાર કર્યો. આહારપાણી, થાક જેવા કોઈ પરિબળોની અસર પૂજ્યશ્રીજીને ચલાયમાન કરી શકતીનહીં. પૂજ્યશ્રીજીએ પોતાના જીવનકાળમાં હિમાચલ પ્રદેશ તથા ગુજરાતના દુર્ગમ ખડકાળ પ્રદેશોમાં ધર્મપ્રભાવના સારુ વિહાર કરી પોતાની મક્કમતાના દર્શન કરાવ્યા છે. ૮૦વર્ષની ઉંમરે પણ શિક્ષણ પ્રસાર સારુ ગુરુકુળનીસ્થાપના સારુ દૂધ, ઘી જેવા પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા પણ અડગ મનોબળના સ્વામી પૂજ્યશ્રીજી લઈ લેતા. વિશ્વવિજેતા નેપોલિયન બોનાપાર્ટેકહ્યું હતું- ‘જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી.’ પૂજ્ય ગુરુદેવે ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે આ વાક્યને સત્ય સિદ્ધ કરી બતાવ્યું હતું. ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા ટાર્ણ પૂજ્યશ્રીજી ગુજરાંવાલામાં ભક્ત સમુદાય સાથે ફસાઈ ગયા હતા. ચોમેર ધર્મઝનૂની લોકોનો આતંક વ્યાપેલો હતો. ઘણીવાર તોફાની તત્ત્વો ઉપાશ્રય સુધી ધસી આવતા. જાન-માલની ત્યારે કોઈસલામતી નહોતી. એવા ભયંકર સમયમાં પણ પૂજ્યશ્રીજી અડગ રહ્યા હતા. દ્દઢ મનોબળના સહારે પરમાત્માની ભક્તિ કરાવી સૌ ભાવિકોને હિંમત આપતા હતા અને એવા વાતાવરણમાં પણ પૂજ્યશ્રીજીએ પર્યુષણ પર્વની ઉજવણી કરાવી પોતાના પ્રતાપી મનોબળનો સૌને પરિચય આપ્યો હતો. માનવ ઈતિહાસને કલંકિત કરતા એ દારૂણ દુઃખદ દિવસોમાં માનવી સંસ્કારો ભૂલી, ધર્મના પ્રેમ,અહિંસા, ભાઈચારો, સદ્ભાવ, માનવતા તથા કરુણા જેવા સિદ્ધાંતોની હોળી કરી, પાષાણ યુગના જંગલી પશુની જેમ બીજા નિર્દોષ માનવીઓ પર અત્યાચાર ગુજારી રહ્યો હતો. ચોમેર હિંસા, અત્યાચાર, ચોરી, લૂંટફાટ, બળાત્કારના શરમજનક બનાવો બનતા હતા. કાયદો વ્યવસ્થા ખાડે ગયા હતા. તાર-ટપાલ, સંદેશાવ્યવહારનીકામગીરી ખોરવાઈ ચૂકી હતી, ત્યારે ભારતમાંથી પ્રસિદ્ધ થતા અખબારોમાં એકવાર અરેરાટીભર્યા સમાચાર ચમક્યા... ત્રણ સાધુ ભગવંતોની ધર્મઝનૂની તત્ત્વો દ્વારા કરવામાં આવેલી કરપીણ હત્યા... આસમાચાર પ્રસિદ્ધ થતાં જ ભારતનો સમગ્ર જૈન સમાજ ખળભળી ઊઠો. આ બનાવના ચારે બાજુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સમગ્ર હિન્દુસ્તાનમાંથી ભારત સરકાર પર હજારોની સંખ્યામાં તાર કરવામાં આવ્યા. તેમાં પાકિસ્તાનમાં ફસાયેલા જૈન સાધુ-સાધ્વીઓને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરવાની માંગણી કરવામાં આવી હતી. તત્કાલીન કાર્યદક્ષ વિચક્ષણ ગૃહમંત્રી શ્રી વલ્લભભાઈ પટેલે પૂજ્ય ગુરુદેવને ગુજરાંવાલાથી ભારત લઈ આવવા એક વિમાન મોકલવાની વાત કરી, ત્યારે મક્કમ મનોબળ દાખવી પૂજ્ય ગુરુદેવે પોતાનો સંકલ્પ જાહેર કર્યો... ‘ જ્યાં સુધી અહીં રહેલા અઢીસો શ્રાવકો તથા સાધુ-સાધ્વીઓની વ્યવસ્થા નહીં થાય, ત્યાં સુધી એમને છોડી હું એકલો ભારત નહીં આવું!' પૂજ્યશ્રીજીના ઉપરોક્ત શબ્દોમાં દ્દઢતાની સાથે સાથે માનવતા પણ મહેંકે છે અને Jain Education International 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy