SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ પૂજ્યશ્રીજીના માનવતાવાદી વલણના કારણે એ સંભાવના નષ્ટ થઈ ગઈ. સુરતના ગોપીપુરા વિસ્તારમાં એકવાર પૂજ્ય ગુરુદેવ સુરતની વર્તમાન સ્થિતિ પર વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં અચાનક કેટલાક શ્રાવક ભાઈઓ ઉપાશ્રયમાં આવ્યા. વંદના પ્રાગામકંઇ જ શિષ્ટાચાર તેમણે કર્યો નહીં. ઉપસ્થિત સૌ ભક્તોના દિલ દુભાયાં. પૂજ્ય ગુરુદેવે ભક્તોને શાંતિ જાળવવા ઈશારો કર્યો. એટલામાં આવેલા આગંતુકો પૈકી એક જણ બોલ્યો, અમે લોકો સંઘાડાની એકતાનો સંદેશો લઈ આવ્યા છીએ” કોનો સંદેશ લઈ આવ્યા છો, મહાનુભાવ?” પૂજ્યશ્રીજીએ પૂછ્યું. ‘રામવિજયજી મહારાજનો, તેમની ઈચ્છા છે કે સ્વર્ગીય પૂજ્ય શ્રી આત્મારામજીના સંઘાડાની એકતાકીરહે.” સજ્જનો! સરસ વાત કરી, તમે. એનાથી વળી રૂડી બીજી શી વાત હોઈ શકે ?' પૂજ્યશ્રીજીએ તેમના સંદેશનું સ્વાગત કરતા કહ્યું. હુંતોશાંતિનો ઉપાસક છું. જ્યાં જાઉં છું ત્યાં શાંતિ સ્થપાય એ દિશામાં મારા પ્રયત્નો હોય છે. કદાચ તમારા ધ્યાનમાં એ આવ્યું જ હશે કે હમણાં જનવસારીના શ્રીસંઘમાં હું એકતકરાવી આવ્યો છું. પૂજ્ય ગુરુદેવના સંઘાડામાં સંપ થાય એનાથી ઉત્તમ મારા માટે અન્ય કોઈ વાત નથી. હવે તમે જણાવો કેએકતા શી રીતે સ્થાપિત થશે?' ત્યારે જવાબમાં પેલા શ્રાવકોએ કહ્યું... ‘રામવિજયજી મહારાજે જે સંદેશો આપ્યો હતો એ અમે તમને જણાવી દીધો છે. એનાથી વિશેષ અમે કંઈ જાણતા નથી.” “માત્ર સંદેશ? પ્રયત્ન કંઇનહીં? ભાઈઓ! આપણા સંઘાડામાં પ્રવર્તક મહારાજ શ્રી કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ સૌનાશ્રદ્ધેય પૂજનીય છે. એ વડીલો જેવી આજ્ઞા આપે તે પ્રમાણે આપણે ચાલીશું તો તરત જ સંઘાડામાં શાંતિ થઈ જશે. તમારા સંદેશનો આ જ ઉત્તર છે. તમે જઇને શ્રીરામવિજયજી મહારાજને આ વાત જણાવી દેજો.” પૂજ્ય ગુરુદેવની વાત સાંભળી આગંતુકો ચાલ્યા ગયા. માવઠું થાય અને શિયાળુ પાક બગડી જાય એમ એ સંઘની એકતાની વાતના હાલહવાલ થઈગયા. પૂજ્ય ગુરુદેવની સંઘડાની એકતા માટેની તૈયારીનો કોઇ વિધેયાત્મક પ્રતિભાવ સામા પક્ષેથીનસાંપડ્યો. જૂરતા સામે કરુણા, વરસામે ક્ષમા, હિંસા સામે અહિંસા અને નિંદા સામે મૌન એ પૂજ્ય ગુરુદેવના મહાન જીવનમંત્ર હતો. મુંબઇમાં જ્યારે તેમની વિચારસરણી તથા કાર્યપ્રણાલિને સમજવામાં નિષ્ફળ ગયેલા વિરોધી જનોએ તેમની વિરૂદ્ધમાં અપપ્રચાર કરતી પત્રિકા, ચોપાનિયાં છપાવ્યાં ત્યારે પૂજ્ય ગુરુદેવના એક ભક્ત એ પ્રચાર પત્રિકોની વિરૂદ્ધમાં કોઈની સંમતિ કે અનુમતિ લીધા સિવાય પત્રિકા છપાવીજવાબ આપ્યો હતો. પૂજ્ય ગુરુદેવના ધ્યાન પર આ વાત આવતા તેઓ નારાજ થયા હતા અને એ વિશે તેમણે જણાવ્યું હતું... “ખરેખર આવી પત્રિકા જેણે પણછપાવી છે, તેનાંઆકૃત્યથી મને ખુશીનથી થઈ. વાસ્તવમાં આનાથી હું દુઃખી થયો છું. કૃપા કરી હવે પછી આવી કોઈ પત્રિકા છપાવશી નહીં. આવી પત્રિકાઓ છપાવવાથી સમાજના હજારો રૂપિયાનું પાણી થઈ જાય છે. કુસંપ - ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy