SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યપદવી આપવામાં આવે. તે દીક્ષાપર્યાયમાં મોટા છે, સારા જાણકાર છે અને વર્ષોવૃદ્ધ પણ છે.'' આવી પરિસ્થિતિમાં આપણા ચારિત્ર્ય નાયકે આચાર્ય પદવી સ્વીકારવાની ના પાડી દીધી. તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું. ‘પૂજ્ય ગુરુદેવ આત્મારામજી મ.સા.નાસમુદાયની એકતાની જાળવણી જ આપણું પરમ કર્તવ્ય છે. જે પદના કારણે સમુદાયમાં વિખવાદ જન્મે, એ પદની મારી કોઇ જરૂર નથી. રખે માનતા કે મારા આચાર્ય ન બનવાનો કારણે હું તમારા ધાર્મિક કાર્યોમાં મદદ નહીંકરું. તમારા દિલમાં એવી શંકા હોય તો એને તિલાંજલિ આપી દેશો.’’ આમ આપણા ચારિત્ર્ય નાયકે યોગ્યતા હોવા છતાં તથા મોટાભાગના લોકોની સંમતિ હોવા છતાં, સાધુ સમુદાયમાં એકતા જળવાઈ રહે તે હેતુથી આચાર્યપદવી સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. એટલું જ નહીં તેમણે પંજાબના સૌ ભક્તોને પણ આ બાબત માટે રાજી કર્યા અને મુનિરાજ શ્રી કમલવિજયજી મહારાજને આચાર્ય પદવીં આપવાના સંમતિપત્ર પર પહેલાં હસ્તાક્ષર પણ પૂજ્ય ગુરુદેવે જ કર્યા. આમ એકતા માટે તેમણે પહેલ કરી બતાવી. வ વિ.સં. ૧૯૬૫ ના જયેષ્ઠ માસમાં પૂજ્ય ગુરુદેવ આબુની યાત્રાકરી જ્યારે પાલનપુર પધાર્યા, ત્યારે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે સમયે પાલનપુરનો જૈન સમાજ બે ભિન્ન ભિન્ન જૂથમાં વિભાજીત થયેલો હતો. આપણા ચારિત્ર્યનાયકના ઉપદેશથી પ્રભાવિત થયેલા બધા શ્રાવકોએ તેમની આર્મેવાની નીચે, તેમના નિર્ણય પ્રમાણે એકતા સાધવાનીતૈયારી બતાવી. પૂજ્ય ગુરુદેવની સમજાવટ તથા દરમ્યાનગીરીથી પાલનપુરનો વિભાજીત જૈન સમાજ એકતાના સૂત્રથી જોડાઈ ગયો. જેઠ સુદ અષ્ટમીના ગુરુવારના દિવસે પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજસાહેબની પુણ્યતિથિના અવસર પર પાલનપુરના જૈન સમાજે પૂજ્યશ્રીજીના નિર્ણય પ્રમાણે આંતરિક ભેદભાવ દૂર કરી, એકતા સ્થાપી અને બમણા ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. પાલનપુરમાં જ ત્યારે ગોદડ શાહ નામના શ્રાવક અને શ્રીસંઘ વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. ગોદડ શાહનું મકાન ધર્મશાળા પાસે હતું. શ્રીસંઘે તેમને એ મકાન ધર્મના કામ માટે યોગ્ય વળતર લઈ આપવા વિનંતીઓ કરી હતી. સમજાવ્યા પણ ખૂબ, પરંતુ એ ભાઈમાનતા નહોતા. વાત ન્યાયાલય સુધી પહોંચી હતી. એ ભાઈએ પૂજ્ય ગુરુદેવ જો પાલનપુરમાં ચાતુર્માસ કરે તો પોતાનું મકાન આપી દેવાની તૈયારી દર્શાવી. આ વાત વિસ્મયજનક હતી. પૂજ્ય ગુરુદેવે પાલનપુરના ચાતુર્માસ કરવાનો નિર્ણય લઈ લીધો. એટલે ગોદડ શાહ તથા અન્ય શ્રાવો વચ્ચેના મનદુઃખનો સુખદ અંત આવ્યો. સૌના હૈયાં હરખથી નાચી ઊઠયા. પૂજ્ય ગુરુદેવના ચાતુર્માસના કારણે તથા તેમની ઉપસ્થિતિના કારણે પાલનપુર જૈન સમાજની એકતામાં મજબૂતી આવી. વારંવારની વિનંતીને માન આપી પૂજ્ય ગુરુદેવે વિ. સં. ૧૯૭૮માં મુંબઈમાં ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસ દરમ્યાન તેમણે આધુનિક વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ધાર્મિક શિક્ષણ દ્વારા જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાની વાત પર ભાર મૂક્યો. તેમણે ભારતીય સંસ્કૃતિની જાળવણીની વાત કરી. ધર્મોત્થાન તથા સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વચ્ચે મુંબઇનો ચાતુર્માસ પરિપૂર્ણ થયો. ભાવિકોના આગ્રહ ઉત્સાહ તથા કંઈક કરી છૂટવાની તૈયારી જોઇ પૂજ્યશ્રીજીએ મુંબઇમાં ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy