SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મજ અરજી ભક્તિભાવના પ્રદર્શિત કરે છે. જગતમાં માતાના પ્રેમભાવ, વાત્સલ્યમાં કદી પણ ભેદભાવ હોતો નથી. મનુષ્ય હોય, | પશુ હોય કે પ્રાણીદરેકમાં મા વાત્સલ્યની દેવી માતાની લાગણીમાં ભેદરેખા હોતી નથી. સર્વ બાળકો, બચ્ચાઓ પ્રત્યે તેની લાગણી એકસમાન હોય છે. વર્ષાઋતુમાં મન મૂકીને વરસતી વાદળીઓ કદી આ બ્રાહ્મણ, આવણિક, આરાજપૂતકે આ શુકનું ઘરકે ખેતર છે એમ માની, એમ જાગી વરસવામાં ભેદભાવ કરતી નથી. વૃક્ષો પણફળ, છાયા, પ્રાણવાયુ ઈત્યાદિઆપવામાં જાતિ પાતિના ભેદ રાખતાં નથી. આ વર્ણ વ્યવસ્થા, આ હિંદુ, મુસ્લિમ, જૈન, પારસી જેવા ભેદ તો માનવસર્જિત છે. સમભાવમાં રાચતા મહાન ગુરુદેવની દ્રષ્ટિમાં આવા જાતિ જ્ઞાતિના ભેદ હતા નહીં. તેઓ સાધનાપથના તપોનિષ્ઠ પથિક હતા. તેમના જપતપ વ્રત નિયમ ધ્યાન | યોગ જેવી તપશ્ચર્યાના પરિણામે તેમનામાં અલૌકિક સિદ્ધિઓઆવિર્ભાવ પામી હતી. પૂજ્યશ્રીજી સામર્ધવાન સિદ્ધ મહાત્મા હતા અને એટલે ઉદારતાવશ કરુણાથી પ્રેરિત થઈ જયારે તેઓ તેમના દ્વારે આપઘ્રસ્ત આવેલી જૈન-જૈનેતર વ્યક્તિને અંતરથી આશીર્વાદ આપતા અથવા અભિમંત્રિત વાસક્ષેપ આપતા, ત્યારે દુઃખી જીવાત્માની મુશ્કેલીઓ અવશ્ય દૂર થઈ જતી. તેમની કૃપાદ્રષ્ટિનો દિવ્ય પ્રસાદ જેટલો જૈનાવલંબી ભક્તોને મળ્યો છે, એટલો જ પ્રસાદ જૈનેતરોને પણ પ્રાપ્ત થયો છે. મુંબઈની ચોપાટી પર એક વાર તેમનું વ્યાખ્યાન પુરું થતાં એક ભાઈ પૂજ્યશ્રીજી પાસે આવ્યા અને ભાવપૂર્વક નમસ્કાર કરી તેમણે પૂછયું. - ‘ગુરુદેવ! આપ મને ઓળખો છો?' “ના, ભાઈ! હું તમને નથી જાણતો, પૂજ્યશ્રીએ ઉત્તર આપ્યો. ત્યારે પેલા ભાઈ લાગણીવશ બોલ્યા, “હે પ્રાણવલ્લભ આપ તો મારા પ્રાણદાતા છો. આપની કૃપાથી જ આજે હું જીવિત છું. હું મેરઠ જિલ્લાનો વતની છું. વકીલાતનો વ્યવસાય કરું છું. એકવારમારી ભૂલના કારણે એક ગુના સબબ મને દેહાંત દંડની સજા થયેલી. એવા મુશ્કેલીના સમયમાં મારી પત્નીને આપના વિશે જાણકારી મળી. તે મારી પ્રાણરક્ષા સારુ આપની પાસે દોડી આવી. આપને તેણે પૂરી વાત જણાવી. સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરી. તેનીણકથની સાંભળી આપદ્રવિત થઈ ગયા અને આશિષ આપતાં આપે કહેલું... માતા! તુમ ચિંતા મત કરો! દેવગુરુ ધર્મપસાયસે સબ કુછ અચ્છા હો જાયેગા!” આપનો આશીર્વાદરૂપ વાસક્ષેપ લઈને મારી પાસે આવી. આપના આશીર્વાદ મને ફળ્યા. મારા પર લાગેલો ખોટો આરોપ દૂર થયો. મારી ફાંસીની સજા રદ થઈ અને મને નવજીવન મળ્યું.' ધન્યવાદમારોનહીંવગુરુ પરમાત્માનોમાન, ભલાભાઈ!' વાત સાંભળી પૂજ્યશ્રીજી નિર્લેપતાથી બોલ્યા. પૂજ્યશ્રીજી વીતરાગ પરમાત્માના સત્ય માર્ગ પર ચાલતા એક પથિક હતા. એમની દ્રષ્ટિમાં જૈન-જૈનેતર જેવા કોઈ ભેદભાવનહોતા એની પુષ્ટિ આ ઘટનાકરી જાય છે. પ્રશંસાથી પર ને નિંદાથી પણ પર, તદન જલકમલવતું માધ્યસ્થી ભાવનાને વરેલા પૂજ્ય ગુરુદેવ (૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy