SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરાના જનસાધ્વીજીએ જ્ઞાન દીપિકા' નામની પુસ્તિકાછપાવી. આ પરિસ્તિકામાં કેટલીક વાતો લોકોને ગેરમાર્ગે દોરે તેવી હતી. પૂજ્યશ્રીએ ત્યારે એ હાનિકર્તા વાતોનું શાસ્ત્રોના આધારપરખંડનફરતી, હકીકતોનો ઉલ્લેખતી એક ગપ્પદીપિકા' નામની પુસ્તિકાછપાવી અને લોકોને ભ્રાંતિના શિકાર થતા બચાવ્યા હતા. - શ્રી સોહનલાલજી પાગ સ્થાનકવાસી પરંપરાના ગાગમાન્ય સાધુ ભગવંત હતા. તેમાગે પાગમૂર્તિપૂજક પરંપરાના વધતા પ્રભાવથી અળાઈપૂજ્યશ્રીજી સાથે જાહેરમાં વાદ-વિવાદની વાતો કરી. નામાનરેશની સભામાં પણ વાદ-વિવાદની વાતો કરી. નાભાનરેશની સભામાં થયેલાશાસ્ત્રાર્થમાં શ્રી સોહનલાલજીના પક્ષની હાર થઈ. ત્યારબાદ પાગરસ્થાનકવાસી પરંપરાની પજવાણી થોડો સમય ચાલુ રહી, પરંતુ છેવટે પૂજ્યશ્રીજીએ તેમને પરાજિત કરી પરમાત્મા દ્વારા પ્રરૂપિત સત્યપૂર્ણ સિદ્ધાંતોની રક્ષા કરી, ધર્મપ્રભાવના કરી અને આવું કાર્ય કોઈપણ વ્યક્તિ ધર્મના તલસ્પર્શી અભ્યાસ વિના ન કરી શકે. એક અન્ય ઘટના જોઈએ. તાજપુરનામના ગામમાં જિજ્ઞાસુસરદાર મહેરસિંહ હિંદુધર્મની ખૂબ સારી જાણકારી ધરાવતા વિદ્વાન હતા. તેઓ જૈન ધર્મને નાસ્તિક ધર્મ તરીકે પીછાગતા હતા. તેમની મુલાકાત પૂજ્યશ્રીજી સાથે ગોઠવવામાં આવી. પૂજ્યશ્રીજી તથા મહેરસિંહ વચ્ચે થયેલી વાર્તાલાપ પર એક દ્રષ્ટિપાત કરીએ, - પૂજ્યશ્રીજીએ તેમને આવકારતા કહ્યું, ‘આપની વિદ્વતા તથા જિજ્ઞાસાવૃત્તિ વિશે જાણી આનંદ થયો. જૈન ધર્મ વિષે આપને શું શંકા છે? આપની શંકાનું સમાધાન કરવાનો હું પ્રયાસ કરીશ.” મહારાજસાહેબ!' મહેરસિંહ બોલ્યા, “જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ, દયા, તપશ્ચર્યા અને સાધુઓની દિનચર્યામાટેમને માન છે, પરંતુ આ ધર્મઇશ્વરને માનતો નથી, એટલે હું તેને નાસ્તિક માનું છું.' “સરદારજી! જૈન ધર્મ ઈશ્વરને માને છે, પરંતુ જરા અલગ સ્વરૂપમાં. જૈન ધર્મ ઈથરને જગતનો કર્તા માનતો નથી, કારણ કે કર્મથી નિર્લેપ વીતરાગ ઈશ્વરનોકતૃત્વ સાથે સંબંધ શી રીતે થઈશકે? પ્રત્યેક જીવને તેના કર્મ પ્રમાણે સુખદુઃખ પ્રાપ્ત થાય છે. વીતરાગ પરમાત્માનતો કોઈ પર નારાજ છેન ખુશ!' “તો પછી ઈશ્વરની પૂજા કેમ કરવામાં આવે છે, મહારાજ?' ઈશ્વરની ઉપાસના તેને ખુશ કરવા માટે જ કરવામાં નથી આવતી, પરંતુ ઉપાસના પોતાના આત્માની શુદ્ધિ માટેરવામાં આવે છે. ટિકસમાન સ્વચ્છનિર્મળ ઈશ્વરની ઉપાસના કરવાથી પૂજકનો આત્મા પાગ નિર્મળ થઈ જાય છે. ઈશ્વરના આલંબનથી પૂજકનું મન એકાગ્ર થઈ જાય છે. એ રીતે જૈન ધર્મ ઈશ્વરવાદીતો છે જ, પરંતુ તે ઈશ્વરને જગતનો કર્તાનથી માનતો. સઘળા આત્માઓ ભિન્ન ભિન્ન છે અને પ્રત્યેક આત્મા ત્યાગ તથા તપસ્યા દ્વારા મુક્તિ પામી શકે છે...' ‘મહાત્માજી! આપનીવાત હું સમજ્યો. આપની વાતથી મારી માન્યતા બદલાઇ છે. આપની વાત સાચી છે. જૈન ધર્મ નાસ્તિકવાદી નથી, કર્મવાદી છે આપજેવા ગુરુ ભગવંતની ( ૪ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy