SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૧૯૪૪માં રાધનપુરમાં પૂજ્યશ્રીજીની નિશ્રામાં જૈન બોર્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ત્યાંથી વિહારકરી પૂજ્ય ગુરુદેવ પાટણ પધાર્યા ત્યારે વ્યાખ્યાન સભા પૂર્ણ થતાં જ્ઞાન ઉપાસક બે યુવકોએ પૂજ્ય ગુરુદેવને કહ્યું, 'કૃપાનિધિ ! વયોવૃદ્ધ પ્રવર્તક પૂજ્ય શ્રી કાંતિવિજયજી મહારાજ, પૂજ્ય શ્રી ચતુરવિજયજી મહારાજ તથા પૂજ્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજે સહિયારા પ્રયાસ કરી પાટણના જ્ઞાન ભંડારોનો ઉધ્ધાર કરી, સેંકડો જ્ઞાનપૂર્ણ ગ્રંથોને કીડા, ઊધઈ તથા જીવાતથી બચાવી મોટો ઉપકાર કર્યો છે. ગુરુદેવ! શું આપ ધનિક દાનવીરોને પાટણમાં એક જ્ઞાનમંદિર બનાવી આપવા તૈયાર કરી શકો?' ‘શા માટે નહીં, ભાઈઓ?આ કાર્યઅવશ્ય થવું જોઈએ... મારી ભાવના તો આ કાર્યમાં સર્વસાધારણ વર્ગને જોડવાની છે. પાદરહે, એમની શ્રદ્ધા તથા ગુરુભક્તિ પણ બીજાઓથી સહેજે ઓછી નથી. એ લોકો આ કાર્ય ઉપાડી લેશે તો ધનવાનો પણ પાછળ રહેશે નહીં.' જ્ઞાનમંદિર બનાવવાની યોજનાને મૂર્ત સ્વરૂપ આપતા બીજા જ દિવસથી પાટણના મહોલ્લાઓમાં સભાઓ ભરવાનો કાર્યક્રમ શરૂ કરાયો. પૂજ્ય ગુરુદેવે સંબોધન કરતા કહ્યું... '... વિશિષ્ટ પદાર્થની આ ભીખ છે... પાટણનું કલ્યાણ થાય, નગરીનો ઉદ્ધાર થાય અને હીરામોતીથી અધિક મૂલ્યવાન ખજાનાનું રક્ષણ થાય એવી આ વિશિષ્ટ માંગણી છે. આપણા જૈન ધર્મના બહુમૂલ્ય ગ્રંથરત્નો તથા જ્ઞાન ભંડારોની કિંમત તમારી દ્રષ્ટિએ કદાચ ઓછી હશે, પરંતુ જગતની દ્રષ્ટિએ એ અમૂલ્ય છે. એવા કિંમતી જ્ઞાનગ્રંથો માટે એક જ્ઞાનમંદિર અહીં બને એ મારી માંગણી છે. જેની જેવી શક્તિ તે મુજબ પાંચ હજારથી પાંચસો, અરે !પાંચ રૂપિયાનું પણ દાન કરી શકે છે. જેની પાસે કબાટો છે, કબાટ આપે... પુસ્તકો રાખવા નાની પેટી પણ આપી શકો છો. કોઈપણ વ્યક્તિ આજે મારી ઝોળીમાં કંઈજ નાખ્યા સિવાય અહીંથી ન જાય...!” - પૂજ્ય ગુરુદેવની હૃદયસ્પર્શીવાત સાંભળી શ્રોતાઓ ભાવવિભોર થઈગયા. એકનાની બાળકીએ પોતાની વીંટી ઉતારી આપી...કોઈમહિલાએ કંગન ઉતારી આપ્યું...કોઈએ બહુમૂલ્ય હાર ઉતારી આખો... રૂપિયાનોટોનો વરસાદ થયો. મુક્ત મને સૌએ દાનગંગા વહાવી દીધી. અને આમ જોતજોતામાં થોડાક દિવસોમાં જ જ્ઞાનમંદિર બનાવવા માટે પર્યાપ્ત ફાળો એકઠો થઈ ગયો. વિ. સં. ૧૯૯૫માં પૂજ્યશ્રીજીને દીક્ષા ગ્રહણ કરે પચાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી અંબાલામાં કરવામાં આવી. પૂજ્ય ગુરુદેવને આત્માનંદજૈન મહાસભા પંજાબ દ્વારા માનપત્ર આપવામાં આવ્યું. ભકતોએ ઉમંગ ઉત્સાહથી ભગવાન મહાવીર સ્વામીની જ્ય...!' આત્મારામજી મ.સા.ની જ..!” તથા વિજ્યવલ્લભસૂરિજી મ.સા.ની જય...!” ના જયજયકારથી વાતાવરણને ભરી દીધું. ભક્તોના નારા શમી ગયા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું... ‘તમે લોકોએ બુલંદનારા લગાવ્યા એનાથી શું પ્રાપ્ત થયું? મારે તો ગુરુદેવ આત્મારામજી મ.સા.નું અપૂર્ણકામ પરિપૂર્ણ કરવાનું છે... આમાનપત્રથી મને તમે લોકો ચક્કરમાં પાડી શકો તેમ નથી... આ જ્ઞાનપત્ર ગ્રહણ કરવાનો હાલમને કોઈ અધિકારનથી. આ સન્માનપત્ર હાલ (૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy