SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા ચારિત્રનાયકે જૈન સમાજને શિક્ષિત કરવા જે ભગીરથ પ્રયાસ કર્યા છે, તેના મૂળમાં તેમના ઉમદા પરોપકારી, હદયના ઉંડાણમાં પડેલી શિક્ષણ પ્રચારની અદમ્ય ભાવના જ હતી એની ઝાંખી આ પ્રસંગમાં થાય છે. જ્ઞાન જ પરમ શક્તિ છે, એ સત્ય પૂજ્ય ગુરુદેવના જીવનનો અમીટ શિલાલેખ હતો. વિ. સં. ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી, ત્યારથી જ પૂજ્ય ગુરુદેવે ‘ચંદ્રિકા' વ્યાકરણ સાથે અભ્યાસ શરૂ કર્યો હતો. ખૂબ જ ટૂંકાગાળામાં તેમની યોગ્યતા જોઈ પૂજ્ય આત્મારામજી મ. સાહેબે તેમને નવોદિત દીક્ષાવાંચ્છુઓને ધાર્મિક અભ્યાસ કરાવવાની જવાબદારી સોંપી હતી. પૂજ્યશ્રીજીએ ખૂબત્કાગાળામાં જ જૈન દર્શન ઉપરાંત અન્ય ધર્મોનો અભ્યાસ સુંદર રીતે કરી લીધો હતો. તેઓ એક સારા શિક્ષકના તમામ ગુણો ધરાવતા હતા. ઘણીવાર અભિમાની, અવિવેકી લોકોને તેમના જ આદર્શ મહાપુરુષોના સુવાક્યોની યાદ અપાવી, તેમને સન્માર્ગે વાળ્યા હતા. એ દ્રષ્ટિએ તેઓ વિદ્વાન ધાર્મિક શિક્ષક પણ હતા. એક વાર જમ્મુથી સનખતરા બાજુ વિહાર કરતા પૂજ્ય ગુરુદેવને રસ્તામાં વિશનાહ નામના ગામની ધર્મશાળામાં રાત્રિ વિરામ સારુ રોકાવું પડ્યું. એ ધર્મશાળામાં રોકાયેલા એક કથાકાર ભટ્ટજીએ તેમના રોકાણ બાબતે વિરોધ કર્યો અને ગુસ્સે થઈગયા. પૂજ્યશ્રીજી શાંતિથી એ મહાશયને મળ્યા. તેમણે પુરાણા જમાનામાં લોકો દ્વારા કરાતા સાધુના આદર સત્કારની વાતો કરી. ત્યારબાદ તુલસીદાસજી દ્વારા વર્ણવેલ સાધુમહિમાની વાત કરી. ‘વશિષ્ટ સ્મૃતિ' માં બ્રહ્મચારીનો આફતોરાજા પણ ક્રતા એ વાત કરી. ભતૃહરિની વાત જણાવી. પૂજ્યશ્રીજીના મુખેથી સાધુ વિશેની આટલી સુંદર વાતો સાંભળી પંડિતનો અહંકાર ઓગળી ગયો. તેણે ક્ષમા માંગી. આ ઘટનામાં પૂજ્યશ્રીજીમાં રહેલાઆદર્શ શિક્ષકના ગુણ દ્રષ્ટિગોચર થાય છે. - પૂજ્ય ગુરુદેવના સંનિષ્ઠ પ્રયત્નોથી પંજાબના શ્રાવકોએ તેમની પ્રેરણાથી એવો નિયમ બનાવ્યોકે, પંજાબના શ્રાવકોએ લગ્નપ્રસંગે તથા યાત્રાટાણે અથવા ચાતુર્માસ દરમ્યાન એક નાનકડી રકમ ધાર્મિક ખર્ચ પેઠે અલગ કાઢવી. આ રકમનો ઉપયોગ જ્ઞાનના પ્રચાર સારુકરવાનું નક્કી થયું. પૂજ્યશ્રીજીના સંનિષ્ઠ પ્રયાસોથી અંબાલા શહેરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા' શરૂ કરવામાં આવી. કાળાંતરે ભવિષ્યમાં તેનું હાઈસ્કૂલમાં રૂપાંતર થયું. આમ શિક્ષણ પ્રચારની પંજાબમાં શુભ શરૂઆત થઈ. મુંબઇના શ્રીસંઘની વારંવાર થતી વિનંતીને માન આપી વિ.સં. ૧૯૭૦નો ૨૭મી ચાતુર્માસ પૂજ્યશ્રીજીએ મુંબઈમાં કર્યો. આ ચાતુર્માસમાં તેમણે આધુનિક શિક્ષણ વિકાસ પર ભાર મૂક્યો. વિદેશી રીતભાત તથા ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધની સભ્યતાથી બચવા અંગે તથા વિકસતા વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સમન્વય સાધવા બાબત પોતાની વ્યાખ્યાનમાળા દરમ્યાન નવીન દ્રષ્ટિકોણ રજૂ કર્યા. આધુનિક સમયમાં ધાર્મિક શિક્ષણને તેમણે સરળ શાંતિપૂર્ણ જીવનની જડીબુટ્ટી ગણાવી તેની આવશ્યકતા પર પ્રકાશ પાથર્યો. શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ તેમના નવીન અભિગમથી અત્યંત પ્રભાવિત થયા. મુંબઇના શ્રાવકો અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે પૂજ્ય ગુરુદેવને બીજું ચોમાસું પણ મુંબઈ ખાતે કરવા હાદ્ધિ વિનવણી કરી. પૂજ્ય ગુરુદેવે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી અનુમતિ આપી દીધી. (૯૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy