SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાત્ત ભાવનાને મૂર્તિમંત કરી બતાવી હતી. સ્વસ્થસમાજના ઘડતર માટે પૂજ્ય ગુરુદેવે યથાશક્તિ પ્રયત્નો કર્યા હતા. દારૂ, જુગાર, મદ્યપાન, શિકાર, પરસ્ત્રીગમન જેવા સપ્ત વ્યસનોનાં ભયંકર દારુણ પરિણામો વિષે તેમણે પોતાના વકતવ્યોમાં ઉલ્લેખ કરી લોકોને વ્યસનમુક્ત બનાવવા આજીવન પ્રયાસો કર્યા હતા. તેમની લોકચાહના અપાર હતી એટલે તેમના વ્યાખ્યાનોમાં જૈનો ઉપરાંત હિન્દુઓ, શીખો, મુસ્લિમો, આર્યસમાજી લોકો પણ આવતા હતા. તેમના વ્યક્તિત્વના પ્રભાવથી રાજા મહારાજાઓ પણ તેમને પોતાને ત્યાં નિમંત્રિત કરતા હતા. પૂજ્ય ગુરુદેવે આવા સઘળા પ્રસંગો પર સુંદર પ્રવચનો આપી ઘણા લોકોને વ્યસનમુક્ત થવાની પ્રેરણા આપી હતી. મુંબઇની ચોપાટી પરના સાર્વજનિક વ્યાખ્યાન હોય કે ભીંડા મુકામના પ્રવચન હોય તેમણે લોકોને સપ્ત વ્યસનથી મુક્ત થવા સદાય પ્રેરણા આપી હતી. વિ. સં. ૧૯૭૭ના બિકાનેર ખાતેના ચાતુર્માસ દરમ્યાન એક લાખોપતિ બ્રાહ્મણ પરિવાર પૂજ્ય ગુરુદેવના પરિચયમાં આવ્યો. એ લોકો પર પૂજ્યશ્રીજીના પ્રવચનોનો એવો જબરદસ્ત પ્રભાવ પડડ્યો કે તેમણે દેવદર્શનનો નિયમ લીધો. સપ્ત વ્યસનનો ત્યાગ કર્યો. ત્રણ વર્ષ સુધીકંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી. ખરેખર સાચા સાધુ સંત પારસમણિ જેવા હોય છે, જેમનાસંપર્કમાત્રથી તેમની દિવ્ય પ્રતિભાથી લોકોના જીવન બદલાઈ જતા હોય છે. પૂજ્યશ્રીજી એવા જ દિવ્યાત્મા હતા. પૂજ્ય ગુરુદેવના આજીવન અથાગ પ્રયત્નોના કારણે જ સમગ્ર જૈન સમાજમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેમના જ કારણે ઠેર ઠેર પાઠશાળાઓ, ગુરુકુળો તથા શાળાઓ, કોલેજોની સ્થાપના થતા જૈન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો. નિરક્ષરતા દૂર થઈ. કન્યા વિક્રયની બદી દૂર થઈ. સ્ત્રી શિક્ષણની પ્રવૃત્તિ શરૂ થઈ. નિરાધાર અબળા શ્રાવિકાઓ માટે શ્રાવિકાઘર ખૂલ્યાં. સમાજના અંધવિશ્વાસ, રૂઢિવાદીતા, અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર થયા. નબળા, મધ્યમ વર્ગની ઉન્નતિ થઈ. વ્યસનમુક્ત સમાજની રચના થઇ શકી. આમ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની દીર્ઘદ્રષ્ટિના કારણે, તેમના થકી આરંભાયેલા સમાજ સેવા, સમાજસુધારણાના અભિયાનના કારણે સમગ્ર સમાજની કાયાપલટ થઈ. એમના એ ભગીરથ પ્રયાસોના કારણે આજે જૈન સમાજ દેશ તથા દુનિયાની પ્રગતિમાં પ્રથમ પંક્તિમાં દ્રષ્ટિગોચર થાય છે. Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy