SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મથી વિમુખથાય તો આર્થિક અસમાનતાની ખાઈવધતા ભવિષ્યમાં સમાજમાં વધુ વિઘટન થાય અને એકતા સ્થાપી જનશકાય. જે સમાજમાં એક્તાન હોય એ સમાજનું અસ્તિત્વ ટકી શકે ખરું? જ્યાં સમાજજનબચે ત્યાં ધર્મનું અસ્તિત્વશી રીતે સલામત રહી શકે ? અન્ય દુઃખી જરૂરતમંદોની સહાયતામાં ખર્ચાતા ધનથી વ્યક્તિનું પુણ્ય વધે છે. તેના જીવનમાં આનંદ, શાંતિ તથા પરિતોષ પ્રાપ્ત થાય છે, પરંતુ કૃપણો કંજૂસોનું ધન ઘણીવાર કુદરતી રીતે છીનવાઈ જાય છે. એટલે લક્ષ્મીને સદુપયોગ કરનાર વ્યકિત જ બુદ્ધિશાળી છે. અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવ પાસે ઘાણા ગરીબ, જરૂરતમંદશ્રાવકો પોતાની સમસ્યાઓ લઈ આવતા હતા. આવા લોકો ધનિકો પાસે મદદ માંગતાનોકરી માંગતા ખચકાતા હતા. પૂજ્ય ગુરુદેવ તેમની વાત સાંભળી કંઇક રસ્તો કાઢવાની હૈયાધારણ આપતા હતા. એકવાર પૂજ્ય ગુરુદેવે વ્યાખ્યાનમાં ધનિકોને સંબોધી જણાવ્યું... “શ્રાવકો ! વર્તમાન સમયમાં તમારી પાસે ધનની સરિતા વહી રહી છે... સમય પરિવર્તનશીલ છે. આજે તમારી પાસે જે લખલૂટોલત છે, તેનો સદુપયોગ કરી લો, કારણ કે ધનનો સદુપયોગ (ગરીબોની ભલાઈ માટે ખર્ચાયેલું ધન) જ પરલોકમાં તમારી સાથે આવશે. અસમર્થ, નિર્બળ સાધમ ભાઈઓની મદદકરવી એ જ મારી દ્રષ્ટિએસાધર્મી વાત્સલ્ય છે. માટે પર્યુષણના અંતિમ દિવસ સુધી જે કંઈ સત્કર્મ કરવું હોય તે કરીલો, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે. તમે જ પછી કહેશો કે ધનનો સદુપયોગ ન કરી શક્યા.' ઉપસ્થિત શ્રાવકોએ નગરશેઠને મળી યોજના વિચારવાનું જણાવ્યું. એ દિવસે વ્યાખ્યાનમાં નગરશે આવ્યા નહોતા. બપોરે નગરશેઠ પૂજ્યશ્રીજીને મળ્યા અને ઠાવકાઈથી જણાવ્યું કે, ગુરુદેવ! અહીં કોઈ ગરીબ નથી! જો આપની પાસે કોઈગરીબ આવે તો તેને મારી પાસે મોકલજો. એક હજાર માણસોને રોજી આપવા હું બંધાઉં છું.' - પૂજ્ય ગુરુદેવ જાણતા હતા કે ઉચ્ચકુલીન ગરીબ શ્રાવકો શેઠની મિલમાં મજૂરીનું કામ કદાપિસ્વીકારશે નહીં. આ વાતમાં કોઈ સારાંશ નહીં નીકળે એવું સમજી પૂજ્યશ્રીજી શાંત થઈ ગયા. નગરશેઠ ચાલ્યા ગયા. ખરેખરતો પરલોકની મૂડી ગાંઠે કરવા પણ ભાગ્ય જોઈએ! એ બધા સાધનસંપન્ન અમદાવાદ શ્રાવકો તથા નગરશેઠના નસીબમાં પુણ્ય કમાવાનું લખાયું નહોતું. સંવત્સરીના દિવસે ચમત્કાર થયો. પૂજ્ય ગુરુદેવની સમયની પરિવર્તનશીલતાની વાત સાચી પડી. લખપતિઓના ચમકતા સિતારા ઝાંખા પડી ગયા. વેપારમાં જોરદાર ખોટ આવી અને બધા લાખોપતિઓ પાયમાલ થઈ ગયા! પૂજ્ય ગુરુદેવે સાધમ ઉત્કર્ષ માટે સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો, જેને સ્વાર્થી દુર્ભાગી ધનિકો સમજી શક્યા નહીં! પૂજ્ય ગુરુદેવે પંજાબના પોતાના ભ્રમણકાળ દરમ્યાન પોતાના પ્રભાવી વ્યકિતત્વથી જૈન સમાજમાં ચેતના આણી કેટલાક મહત્વના કાર્યો કરાવ્યાં હતાં (૧) જ્ઞાનના પ્રચાર સારુ પંજાબના શ્રાવકોએ લગ્ન પ્રસંગે તથા યાત્રાટાણે, ચાતુર્માસ દરમ્યાન એક નાનકડી રકમ ધાર્મિક ખર્ચ પેટે અલગ કાઢવાનો નિયમ કરાવ્યો.(૨) હોશિયારપુરના સરકારી ગેઝેટિયરમાં કોઈલેખકની (૮૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy