SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારાવાદી સમાજસેવક 'મનુસ્મૃતિમાં વર્ણવેલી વર્ણવ્યવસ્થાના ખોટા અર્થઘટન તથા તેના અતિરેકના કારાગે સમાજની ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે જ્યારે અંતર વધ્યું, ત્યારે માનવીના મનુષ્ય તરીકેના ગૌરવ ગરિમાની ઘોર ખોદાઈ ગઈ. સમાજનાશકવાર્થ સાથે લોકોનો વ્યવહાર અમાનુષી, શોષાગયુક્ત થયો. આર્થિક અસમાનતા વધી. એવા સમયમાં દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી જન્મ્યા.કેવલ જ્ઞાનની ઉપલબ્ધિપછી તેમણે આત્માને મહત્વ આપ્યું. જીવમાત્રમાં પરમાત્માના જ અંશ રૂપે રહેલા આત્માની સાથે ભેદભાવ શી રીતે રાખી શકાય? એ કરુણામૂર્તિ મહાપુરુષે સમાજમાં સમભાવ, જીવદયા, અહિંસા, મૈત્રી, કરુણા, અપરિગ્રહ, સત્ય જેવા સિદ્ધાંતોનો ભરપૂર પ્રચાર કરી સૌ વર્ણનાં, સૌ ધર્મના સઘળા લોકોને એક છત્રતળે એકઠા કરી જીવનના પરમ ધ્યેયને સમજાવવા પ્રયાસ કર્યો. સ્વયં પરમાત્મા ક્ષત્રિય વાર્શના હતા, તેમ છતાં તેમના દિવ્ય પ્રભાવથી બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો, શુદ્રો સૌ ભેદભાવ ભૂલાવી એક સમાન છત્ર નીચે ભેગા થયા અને જીવન ધ્યેયને સમજવા પ્રયાસ કર્યો. તેમની દ્રષ્ટિમાં ઉંચનીચના ભેદનહોતા. ગરીબ તવંગરના ભેદ નહોતા. આવો જ સુંદરસમાજસુધારણાનો પ્રયાસ પરમાત્માગૌતમ બુદ્ધ પણ કર્યો હતો. મધ્યકાલીન યુગમાં થયેલા નાનક, કબીર, નરસિંહ મહેતા, એકનાથ, સંત જ્ઞાનેશ્વર, તુકારામ જેવા સંતોએ પણ ઉંચનીચના ભેદભાવ મિટાવવા પ્રયાસ કર્યા હતા. તેમના પ્રયત્નોથી સમાજ છિન્ન ભિન્ન થતાં બચી ગયો હતો. આપણા સમાજમાં ગરીબી-અમીરીના ભેદ, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, રૂઢિવાદીતા, સ્ત્રી શિક્ષણની ઉપેક્ષા, દૂધ પીતી કરવાનો કુરિવાજ, દહેજનું દૂષણ, કન્યા વિક્રય, ધાર્મિક શિક્ષણનો અભાવ, અસ્પૃશ્યતા, નાત-જાતના ભેદભાવ, નબળા વર્ગોનું શોષણ જેવા અનિષ્ટો કલંકરૂપ હતા. અંતિમ બેથી ત્રણ સદીઓમાં દેશમાં જન્મેલી વિશિષ્ટ વિભૂતિઓએ માનવીના આત્મગૌરવને પુનઃસ્થાપિત કરવા આવા કુરિવાજો, રૂઢિઓ તથા ભેદભાવની નીતિ સામે બંડ પોકારી, જીવના જોખમે પણ સમાજસુધારણાનું ભગીરથ કામ કર્યું છે. રાજા રામમોહનરાય, આવાજ એક સમાજ સુધારક હતા. પંજાબમાં જન્મેલા આધ્યાત્મિક વિભૂતિ જંગમ યુગપ્રધાન ન્યાયાંૌનિધિ પૂજાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. પણ જૈન ધર્મના આધુનિક યુગના તારણહાર હતા. - પૂજ્ય આત્મારામજી મ.સાહેબે મૂર્તિપૂજા આગમી પ્રમાણે સત્ય છે, એમ જાગ્યા પછી મૂર્તિપૂજક પરંપરાનો નીડરતાથી પ્રચાર કર્યો. તેમણે પંજાબમાં સત્યધર્મસારુમંદિર બંધાવ્યા તો સાથે સાથે કુરિવાજોથી ગ્રસિત જૈન સમાજને ધાર્મિક તથા વ્યાવહારિક શિક્ષણ તરફ વાળી સમાજને જાગૃત કરવા પ્રયાસો કર્યો. તેમણે સાધર્મી વાત્સલ્યના નામે થતા બેફામ ખર્ચ સામે સાધર્મી ભાઈઓને આર્થિક, સામાજિક રીતે પગભર કરવા પર ભાર મૂકા. સકળ ભારતના જૈન સંઘના પ્રચંડ વિરોધ સામે ઝઝૂમી ઈ.સ. ૧૮૯૩ની શિકાગો ખાતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદભાઈગાંધીને અમેરિકામકલ્યા હતા. એમના સામાજિકસુધારા દીર્ધદ્રષ્ટિયુક્ત હતા એ આજે સમજાય છે. દરિયાપારની મુસાફરીની મનાઈની માન્યતા જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy