SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માની અને એના ધ્યેયની પરીક્ષા [ ૫૭ સ્વીકાર આત્મજીવનમાં અનિવાર્ય છે. કપડાં શરીરને રક્ષણ આપે, પણ તે રક્ષણ આપે જ એવા એકાંત નથી. ધણીવાર કપડાં ઊલટાં શરીરની વિકૃતિના કારણ અનવાથી ત્યાજ્ય બને છે; અને રક્ષણ આપે ત્યારેય શરીર ઉપર કપડાં કાંઈ એક ને એક નથી રહેતાં. શરીર પ્રમાણે કપડાં નાનાંમેટાં કરાવવાં અને બદલવાં પડે છે, એ વાત તો જાણીતી છે જ; પણ સરખા માપનું કપડુ પણ મેલું જૂનું કે જંતુમય થતાં ખલવું પડે છે, સાફ કરવું પડે છે. તદ્દન કપડા વિના પણ શરીર નીરાગ રહી શકે છે. ઊલટું એ સ્થિતિમાં વધારે નીરંગપણું અને સ્વાભાવિકપણું શાસ્ત્રમાં મનાયેલું છે, તેથી ઊલટું, કપડાના સંભાર આરાગ્યને નાશક અને બીજી અનેક રીતે નુકસાનકારક પણ સિદ્ધ થયા છે. ધરેણાંને તે શરીરની રક્ષા કે પુષ્ટિ સાથે કરશે! જ સબંધ નથી; એ તે માત્ર તરંગી અને ક્ષણે ક્ષણે બદલાતા શાખની ગણ્યાંગાંઠમાં લોકાની માતીતી વસ્તુ છે. કપડાં અને ધરેણાં કરતાં જેને આત્મા સાથે વધારે નિકટ સબંધ છે અને જેના સબંધ અનિવાય રીતે જીવનમાં આવશ્યક છે તે શરીરની ખાખતમાં પણ ધ્યાન ખેંચવા જેવું છે. શરીરનાં અનેક અંગામાં હૃદય, મગજ, ફેફ્સાં જેવાં ધ્રુવ અંગેા છે કે જેના અસ્તિત્વ ઉપર જ શરીરના અસ્તિત્વને આધાર છે. એમાંથી કાઇ અંગ ગયું કે જીવન સમાપ્ત. પણ હાથ, પગ, કાન, નાક આદિ અગત્યનાં અંગેા છતાં તે ધ્રુવ નથી. તેમાં અગાડ કે અનિવાર્ય દોષ ઉત્પન્ન થતાં તેના કાપમાં જ શરીરનું અસ્તિત્વ સમાયેલું છે. આત્મા, શરીર, તેનાં ધ્રુવ-અધ્રુવ અંગા, વસ્ત્ર, અલકારા એ અધાના પારસ્પરિક શા ો, સબંધ છે, તેએ એકબીજાથી કેટલે દૂર અને કેટલે નજીક છે, કયું અનિવાર્ય રીતે જીવનમાં જરૂરી છે અને કયું નહિં, એ વિચાર જે કરી શકે તેને ધર્મતત્ત્વના આત્મા, તેના શરીર અને તેનાં વસ્ત્રાલંકાર રૂપ ખાદ્ય વ્યવહારે વચ્ચેને પારસ્પરિક સંબંધ, તેમનું ખળાખળ અને તેમની કિંમત ભાગ્યે જ સમજાવવી પડે. ધનાશની ખાટી ખૂમ અત્યારે જ્યારે કાઈ ધનાં કપડાં અને ઘરેણાંરૂપ ખાદ્ય વ્યવહારાને અલવા, તેમાં કમી કરવા, સુધારા કરવા અને નકામા હેાય તેના છેદ ઉડાડવાની વાત કરે છે ત્યારે એક વ ખૂમ પાડી ઊઠે છે કે આ તો દેવ, ગુરુ, ધમ તત્ત્વને ઉચ્છેદ કરવાની વાત છે. આ વનું ટ્યુમરાણ એક બાળક અને યુવતી જેવું છે. બાળકના શરીર ઉપરનાં મેલાં અને નુકસાનકારક કપડાં ઉતારતાં તે મતે મારી નાખ્યા ' એવી ખૂમ પાડી ઊઠે છે. પેાતાનું " > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy