SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [૬૯૯ હણાતો નથી અને દેહ તે આપણે ન મારીએ તોય મર્યા વિના રહેવાને. નથી. તેથી જ્યારે આપણું પ્રવૃત્તિથી બીજાને દેહ નાશ પામે કે ઘસાય ત્યારે તેમાં આપણે કશું નવું ઉમેરતા નથી. આવી સમજણ છેવટે ક્રૂરતામાં જ પરિણામ પામે. ગીતાનું ઉક્ત કથન એ જ અર્થમાં સાચું છે કે ઉચ્ચ ધ્યેય સાધવા કે સારું કામ કરવામાં મરણથી ન ડરવું, દેહરખું ન થવું. ગમે તેટલું ઘસાવું પડે તેય પિતાની જાતને ઘસીને પણ વ્યક્તિ તેમ જ સમાજને ઊંચે ઉઠાવવામાં પાછી પાની ન કરવી. ગાંધીજીએ ગીતાનો એ અર્થ જીવનમાં જીવી બતાવ્યું છે, ને તેને જ બળે અત્યાર લગી નહિ ખેડાયેલાં એવાં રાજકીય, સામાજિક વગેરે અનેક ક્ષેત્રમાં પણ તેમણે નવી અહિંસક પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. ગાંધીજીએ જીવી બતાવેલ અને સૌને ક્ષેમકર થાય એવો ગીતાને સવળો અર્થ છોડી કાળજૂના રૂઢિગત અર્થને આશ્રય લેવામાં પુરાણીને શું નવું રહસ્ય બતાવવાનું છે, એ જ સમજમાં ઊતરતું નથી. પુરાણી પિતાના લેખમાં એક સ્થળે કહે છે કે નાઝીવાદને નાશ કરવો હોય તો કેટલાક નાઝીઓને માર્યા વિના તે ન બને. આ સ્થળે કોઈ પુરાણુને એમ પૂછી શકે કે મૂડીવાદી અમેરિકા સામ્યવાદને ઉચ્છેદ કરવા માગે તે શું તેણે કેટલાક સામ્યવાદીઓને ઠાર કરવા ? એ જ રીતે સામ્યવાદી રશિયા મૂડીવાદનો મૂળોછેદ કરવા ઈચ્છે તે શું તેણે કેટલાક સમર્થ મૂડીવાદીઓને મારવા ? જે આ વસ્તુ પુરાણીને કરવા જેવી દેખાય તે પછી નાઝીવાદીઓના નાશની ગઈ ગુજરી વાત ભૂલી જઈ અત્યારે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જે સંધર્ષ ચાલી રહ્યો છે તેના ઈલાજ લેખે તેમણે મૂડીવાદીઓ અને સામ્યવાદીઓના પરસ્પર નાશને સંહારક માર્ગ જ સૂચવો જોઈ તે હતો, કેમ કે તેમના મતે કોઈ પણ સિદ્ધાંતની સ્થાપના તેના કેટલાક વિરોધીઓના નાશ વિના શક્ય જ નથી. એટલે પુરાણીની ગણતરી પ્રમાણે જગતના સંવાદી તંત્ર માટે સંદેપસુંદ ન્યાય જ મહત્ત્વનું છે એમ ઠર્યું. પુરાણના લેખને મુખ્ય ઝોક હિંસક વૃત્તિની અનિવાર્યતા તેમ જ તેના લાભો સૂચવી વિરોધીઓ સામે શસ્ત્ર ઉગામવાની વૃત્તિને ઉત્તેજન આપવાને છે. તેથી જ તેઓ અહિંસાના અમલથી સિદ્ધ થયેલા લાભોને કાં તે ધ્યાનમાં જ નથી લેતા અને કાં તે તેને હળવામાં હળવી રીતે રજૂ કરે છે. તેથી ઊલટું, અહિંસાના અમલ દરમ્યાન એક યા બીજે કારણે અનિષ્ટ જમ્મુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy