SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની અગત્યતા [ ૨૧૭ પણ એક ગણુ–ગુચ્છની વાત કરતા નથી. આપણે એક એવા ઈતિહાસની વાત કરીએ છીએ કે જેમાં જૈન પરપરામાં થઈ ગયેલા અને અસ્તિત્વ ધરાવતા કાઈ પણ ક્રિકાની ઉપેક્ષા નહિ હાય, તેમ જ કાઈ એકને અનુચિત પ્રાધાન્ય આપી ખીજાની અટિત ઉપેક્ષા નદ્ધિ હોય. જે કાંઈ સત્યની દૃષ્ટિએ, સાધનાના પ્રમાણમાં, લખવાનુ પ્રાપ્ત થાય તે જ લખાય. આથી દરેક ક્રિકા પોતાની પ્રથમની સેવેલી ધારણાઓને એકાંત સ ંતોષી જ શકે, એમ ન અને; પણ આવા ઇતિહાસ દરેક ફ્રિકાના સંકુચિત મનને ઉદાર અનાવે અને દરેક પરસ્પર સહાનુભૂતિથી વિચારતાં-વતતાં શીખે, એનું સાધન પણ પૂરું પાડે. તેથી ગૃહસ્થા કરતાં આ પ્રશ્ન પરત્વે હવે સાધુઓએ જ આગળ આવવુ જોઈએ, એમ હું માનુ છું. અત્યારે જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુશક્તિ તદ્દન વેરવિખેર થયેલી દેખાય છે; સમય સાથે કામ કરતી ન હેાવાથી વધારે અવગણનાપાત્ર પણ -અનતી જાય છે. કાઈ પણ સમાજ અને સંધ માટે જે સભ્રયકારિતા—પરસ્પર મળીને સંવાદિતાથી કામ કરવાની આવડત—આવશ્યક છે તે નિર્માણ કર્યાં સિવાય કદી ચાલે તેમ નથી. જ્યારે ઇતિહાસનું કામ વિચારીએ અને શરૂ કરવું હૈાય ત્યારે એમાં સાધુશક્તિને સાંકળી શકાય. તેએ જુદા જુદા ગણગચ્છના હાય તેપણુ એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને વિચારવિનિમય પણ કરે. આજે બધાં જ તંત્રો સહકારથી ચાલે છે, જ્યારે સહકાર વિના એક નિષ્પ્રભ જેવુ અને કેટલેક અંશે અજાગલસ્તન જેવું કાઈ તંત્ર હોય તો તે જૈન સમાજનું ગુરુતંત્ર લાગે છે. આ સ્થિતિ જીવતા સમાજ માટે નભાવવા જેવી નથી. એટલે આવું એક સર્વસાધારણ અને સર્વાંગમ્ય કામ કરવામાં વિચારવાન સાધુએ આગળ આવે, પાતપેાતાના ફાળા આપે. એ નિમિતે એકત્ર થાય તે! એથી અઘારામો મળચિ' પદ સાક અને. C હમણાં જ જૈન સાહિત્યના ઇતિહાસના પ્રશ્ન કાશીમાં હાથમાં લેવામાં આવ્યા છે. એમાં જૈનેતર એવા પણ અસાધારણ ચાગ્યતા ધરાવનાર ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ અને એવા બીજા વિદ્વાનોના કેવળ સાંસ્કૃતિક દૃષ્ટિએ પૂરતા સાથ જ નહિ પણ આગેવાનીભરેલ ભાગ પણ છે. આ એક મારી દૃષ્ટિએ જૈન સમાજ માટે, ખાસ કરી સાધુગણુ માટે, મગળપ્રભાત ઊધડે છે. જો તે આ વસ્તુ બરાબર સમજી લે તે તેમણે મેળવેલ જ્ઞાનસંપત્તિને સારામાં સારો ઉપયોગ થશે અને જે તેએ નથી જાણતા, અને જાણવા જેવું છે જ, તે જાણતા થશે, અને પોતાનું સ્થાન છે તેથી વધારે ઉન્નતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy