SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છે કે સર્વે તીર્થકરે પણ આયારને અર્થ સૌથી પ્રથમ કહે છે અને ત્યાર બાદ બાકીનાં અંગોને અર્થ કહે છે, અને એ જ ક્રમથી ગણુધરે સત્ર ગૂથે છે. શીલાંકસૂરિએ આયારની ટીકા( પત્ર ૫ આ)માં આ જ હકીકત સંસ્કૃતમાં રજૂ કરી છે. એમણે કહ્યું છે કે દરેક તીર્થ, કરથી તીર્થ પ્રવર્તાવતી વેળાએ આયારને અર્થ પ્રથમ કહેવાય છે, કહેવાય છે અને કહેવાશે અને ત્યાર બાદ બીજાં બધાં અંગને અર્થ; ચણધરે પણ આ જ આનુપૂર્વીએ સૂત્રરૂપે એ ગૂંથે છે. સમવાય(સુ. ૧૩૬)ની અભયદેવસૂરિકૃત ટીકામાં આયાર એ સ્થાપનાની દૃષ્ટિએ પ્રથમ છે, પણ રચનાની દૃષ્ટિએ તે એને ક્રમાંક બારમો છે અને પૂર્વને પહેલે છે એમ કહ્યું છે. આ ખરેખર વિચારણીય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સ્થાપનાની દષ્ટિએ આયાર પ્રથમ છે એમ માનવામાં બધા એકમત છે, પણ એની રચનાને ઉદ્દેશીને ત્રણ મત છે. કેટલાક એને પહેલું ગણે છે તે કેટલાક પૂર્વગતની રચના પછીનું એટલે કે બીજું અને અભયદેવસૂરિ તે એને બારમું કહે છે. કર્તવ–આયારનિજજુત્તિ(ગા. ૨૮૭)માં સચવાયા મુજબ આયારને બીજે સુયફબંધ સ્થવિરોની કૃતિ છે. આ સ્થવિરેનો અર્થ ગુણિ(પત્ર ૩૨૬)માં “ગણધર · કરાય છે, અને શીલાંકસૂરિએ ટીકા(પત્ર ૨૯૦૪)માં એને અર્થ “ચૌદપૂર્વધરો' એમ કર્યો છે. શું ગણધરોથી ઇન્દ્રભૂતિ વગેરે ગણધરે સમજવાના છે? વિશેષમાં “થેરેકિં” એ માનાર્થે બહુવચન છે? જે આ બન્ને પ્રશ્નનો ઉત્તર નકારમાં હોય તે બીજો ૧. આ ઉપરથી આચારસૃણિ નંદીચુણિથી ભિન્ન મત દર્શાવે છે એમ સ્પષ્ટ થાય છે તે પછી આ બને ચણિણના કર્તા જિનદાસગણિ છે એમ જે કેટલાકનું માનવું છે તે શું વાંધાભર્યું નથી ? જો તેમ ન જ હોય તે શું જિનદાસગણિનાં મન્તવ્યમાં કાલાન્તરે ફેર પડયો હશે એટલે તેઓ એક વાર એક વાત કહે છે અને આગળ ઉપર બીજી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy