SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અણુઓગ–આના મૂલપઢમાણુગ અને ગંઠિયાણુઓગ એ બે વિભાગ છે ચૂલિયા–પહેલાં ચાર પુણ્વને ૪, ૧૨, ૮ અને ૮ એમ અનુક્રમે ચૂલિયા છે; બાકીનાને ચૂલિયા નથી. ચૂલિયાના કેઈ વિભાગ હેય એમ જણાતું નથી. વિષય-જેમ ગણિતના દાખલા કરવા માટે સરવાળા, બાદબાકી ઈત્યાદિ સેળ પરિકર્મ જાણવાં પડે તેમ સુત્ત વગેરેના અભ્યાસ માટે પરિકમ્મ ભૂમિકારૂપ છે. સુત્ત સર્વ કવ્ય, પર્યાય, નય અને ભંગનું સ્વરૂપ રજૂ કરે છે. ચિદ પુષ્યમાંનું પહેલું પુલ્વે સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાયની ઉત્પત્તિ સમજાવે છે. બીજું પુણ્વ પરિમાણ, ત્રીજું જીવ અને અજીવની સમગ્ર પદાર્થોની શક્તિ, ચોથું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવની અપેક્ષાએ વસ્તુનાં અસ્તિત્વ અને નાસ્તિત્વ, પાંચમું જ્ઞાનના પાંચ પ્રકારે, છઠું સંયમ અને અસંયમ તેમજ સત્ય અને અસત્ય, સાતમું આત્માનાં વિવિધ દષ્ટિએ સ્વરૂપ, આઠમું કર્મના આઠ પ્રકારે અને એના ઉપપ્રકારો, નવમું પ્રત્યાખ્યાન, દસમું વિદ્યાઓ, અગિયારમું પુણ્ય અને પાપ તેમજ એનાં ફળ, બારમું પ્રાણુના ને આયુષ્યના પ્રકારે અને તેરમું સંયમને લગતી પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ પાડે છે. અણુગ તીર્થકર, કુલકર વગેરેનાં જીવનચરિત્રો પૂરાં પાડે છે. ચૂલિયા પિતાના મૂલગ્રન્થગત અર્થનું રૂપા તરથી પ્રતિપાદન કરતી હશે. ભાષા-પ્રભાવક ચરિત્રમાં વૃદ્ધવાદિપ્રબન્ધ (લે. ૧૧૪)માં કહ્યું છે કે ચૌદ પૂર્વે સંસ્કૃતમાં હતાં. વળી આચારદિનકરમાં નીચે મુજબની ગાથા જે અવતરણરૂપે અપાઈ છે તેમાં કહ્યું છે કે દિઢ઼િવાય સિવાયને ૧ સિદ્ધાન્તા (લે. ૯૩ )ની ટીકામાં અણુગને “પૂર્વાનુગ' તરીકે ઉલ્લેખ કરી એને બે વિભાગોને પ્રથમાનુયોગ અને કાલાનુયોગ તરીકે ઓળખાવાયા છે. ૨ વિવાગસુય આને આધારે જાયું હશે. ૩ વિશેષ માહિતી માટે જુઓ HOLU (પૃ. ૧૦-૧૨ ). Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy