SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગગદર દેવ ર૩પ, આ વાત ચાલે છે તેટલામાં તો પેલે સમ્યગ્દષ્ટિ દેવ શીધ્ર ત્યાં આવ્યો અને ભગવાનની પ્રદક્ષિણપૂર્વક તેણે પેલે પ્રશ્ન તેમને પૂછળ્યો. ત્યારે ભગવાને તેનું મંતવ્ય જ સાચું કહ્યું. આથી હર્ષિત થઈ તે દેવ ત્યાં જ બેસી ભગવાનની પર્ય પાસના કરવા લાગ્યા. પછી ભગવાને તે દેવને અને સભાજનેને ધર્મકથા કહી. તેથી સંતુષ્ટ તથા આરાધક બની તે દેવ ઊભો થયો અને ભગવાનને વંદન કરીને બોલ્યો : હે ભગવંત ! હું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાષ્ટિ? પરિમિત સંસારવાળે છું કે અપરિમિત સંસારવાળે? સુલભધિક છું કે દુર્લભબોધિક ? આરાધક છું કે વિરાધક ? (ચરમ) અંતિમ શરીરવાળા છું કે અચરમ શરીરવાળે ? ત્યારે ભગવાને તેને જવાબ આપ્યોઃ “હે ગંગદત્ત ! તું ભવસિદ્ધિક છે, . . . તથા ચરમશરીરવાળે છે. પછી ગંગદા દેવ ગૌતમાદિને બત્રીસ પ્રકારનાં નાટક દેખાડીને જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યા ગયે. ગૌ૦-–હે ભગવન્! ગંગદત દેવની તે બધી દિવ્ય દ્ધિ ક્યાં ચાલી ગઈ? મો –હે ગૌતમ! તે તેના શરીરમાં સમાઈ ગઈ. ગૌ હે ભગવન! ગંગદત્તે તે દિવ્ય ઋદ્ધિ કેવી રીતે મેળવી ? મહ–હે ગૌતમ ! હસ્તિનાપુરમાં જૂના સમયમાં ગંગદત્ત નામને ગૃહસ્થ રહેતો હતો. તે વખતે આદિકર, સર્વજ્ઞ, ૧. કદી મેક્ષ ન પામનાર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy