SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાન ૧૨૯ [૪] ગૌ–હે ભગવન ! છ પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની (દેશ પ્રત્યાખ્યાની) છે ? મ–હે ગૌતમ ! જે ત્રણ પ્રકારના છે. મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. પંચૅકિય તિર્યએ પ્રથમ પ્રકારથી રહિત છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યાખ્યાની છે. તે ત્રણે પ્રકારમાં પ્રત્યાખ્યાની સૌથી થોડા છે; પ્રત્યાખ્યાનાપ્રક અસંખ્યગણ છે અને અપ્રત્યાખ્યાની અનંતગણું છે. દેશપ્રત્યાખ્યાની પંચેંદ્રિય તિર્યંચો સવથી થોડા છે; અને અપ્રત્યાખ્યાની અસંખ્ય ગણું છે. પ્રત્યાખ્યાની મનુષ્ય સર્વથી થડા છે; દેશપ્રત્યાખ્યાની સંખ્યાતગણું છે અને અપ્રત્યાખ્યાની અસંખ્યગણ છે. – શતક છે, ઉદ્દે ૨ ગૌતમ- હે ભગવન ! જે શ્રમણોપાસકને પૂર્વે ભૂલ– હિંસાનું પ્રત્યાખ્યાન નથી હોતું, તે પછીથી તેનું પ્રત્યાખ્યાન કરે તો કેવી રીતે કરે ? મો—હે ગૌતમ ! અતીકાલે કરેલ હિંસાને પ્રતિક્રમે (નિર્દે); વર્તમાન હિંસાને સંવર (ધ) કરે; અને ભવિષ્યની હિંસાનું પ્રત્યાખ્યાન (નહિ કરું એવી પ્રતિજ્ઞા) કરે. અતીતકાલની હિંસાને પ્રતિક્રમતો તે શ્રમણોપાસક ત્રિવિધ–ત્રિવિધે એટલે કે મન, વાણી અને કાયાથી એ ત્રણ પ્રકારે, તેમ જ કરવું, કરાવવું કે કરનારને અનુમતિ આપવી – એ ત્રણ પ્રકારે પ્રતિક્રમે; કે પછી ત્રિવધ–ધિવિધે, ત્રિવિધએકવિધે, દિવિધ-ત્રિવિધે, દિવિધ–ધિવિધે, કિવિધ–એકવિધે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy