SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ .. શ્રીસુધર્મસ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ પર વળી ભગવાન સુધમ્મસ્વામિ મહારાજે શ્રીભગવતીસત્રની શરૂઆતમાં બ્રાહ્મી વિપીને નમસ્કાર કર્યો છે. તે જ જણાવે છે કે પુસ્તકોનો પ્રચાર ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશમણ કરતાં પહેલાં પણ ઘણો હતો. સહેજે સવાલ થશે કે જ્યારે પહેલેથી શસ્ત્ર પુસ્તકોમાં રખાયેલાં હતાં તે પછી ભગવાન દેવરિત્ર ગણિક્ષમાશમણુજીએ શું કર્યું? આ સવાલનો "ત્તર રહેલો છે કે શૃંખલાબદ્ધ આગામોનું લખાણ અને પરસ્પર અતિદેશ (ભલામણુંવાળું આગમનું લખાણ, ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણ વિગેરે શ્રીસંઘેજ કર્યું છે. આજ કારણથી આચારાંગાદિ અંગે કે જેની રચના સુધર્મ સ્વામિ અ દિ ગણધરોએ કરેલી છે અને ઉવવાઈ આદિ ઉપાંગે કે જેની રચના શ્રતવિરોએ કરેલી છે, છતાં તે ઉપાંગના અતિશે (ભલામણ) આચારાંગાદિ અંગમાં કરવામાં આવ્યા છે... ૧ વળી ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણ સુધી શાસનને અંગે બનેલા બનાવની કેટલીક નોંધ પણ તે અંગ ઉપાંગમાં દાખલ કરવામાં આવી છે, અને તેને જ લીધે શાસ્ત્રોમાં શીવજ સ્વામિ, શ્રી આર્યરક્ષિતસૂરિજી વિગેરેના વૃત્તાને પણ મૂળામાં દાખલ થયા છે. આ બધું શૃંખલાબદ્ધ ગોઠવતાં તે કાલ સુધીમાં થયેલા નિહુન અને કેટલાક આચાર્યોના ઉલ્લેખ જે અંગે પાંગમાં દાખલ થયા છે તે ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજીએ દાખલ કર્યા છે, અથવા શ્રીનમીત્ર અને શ્રી યોગશાસ્ત્રના કથનને અનુસાર શ્રી ઔદિલાચાર્યું અનુયોગની વ્યવસ્થા કરી હતી લેખાઈ છે. અને તેથી ગાઠામાહિલને અધિકાર મૂલમાં લેવાય અને શિવભૂતિને ન લેવાયો. વળી શાસનની રિથતિને ભગવાન્ દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજી પોતે લખે કે શ્રોસ્કદિલાવાર્ય ગોઠવે તે સૂત્રોમાં ન જણાવે તે પહેલાંના બનાવે પ્રમાણિક ગણવામાં ન આવે એ પણ સ્વાભાવિક છે. આ વિગેરે કારણોથી ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજીએ જે શંખલાગહ સૂત્ર લખ્યાં અને યથાયોગ્ય સ્થાને અંગ ઉપાંગમાં ભલામણો લખી અને તેની સાથે તે રાખવાના કાળ સુધીના શાસનમાં બનેલા ઉપાગી બનો દાખલ કરવામાં આવ્યા.” બારમા અંગને સર્વ તીર્થમાં હાસ–વિઆહપત્તિ (શ. ૨૦, ઉ. ૮; સુ. ક૭૭)માં સૂચવાયું છે કે શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના આઠ તીર્થકરો વચ્ચેના સાત આંતરા દરમ્યાન જ કાલિક શ્રતને નાશ થયો, નહિ કે બાકીના તીર્થકરોના માંતર દરમ્યાન; પરંતુ લિક્િવાયને તમામ તીર્થકરોના આંતરા દરમ્યાન નાશ થયેલ છે. આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીની પૂર્વેના તીર્થકરોનાં તીર્થોમાં બારમા અંગને ઉછેદ જ છે, પરંતુ એ પ્રત્યેક તીર્થમાં તેને હાસ ક્રમે ક્રમે કેવી રીતે થયું તે જાણવાનું કોઈ સાધન હેય એમ જણાતું નથી. શ્રીસુધર્મ સ્વામીએ રચેલા દિક્િવાયને હાસ તો જરા હા ઉતરીને વિચારી શકાય એમ લાગે છે. ૧ આના પછી “શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણજીનું વચન તીર્થકરતુલ્ય સમજવું જોઈએ એવું શીર્ષક મત અત્ર જતું કરાયું છે. २ “एएनु णं तेवीसाए जिणंतरेसु पुरिमपच्छिमएसु असु २ जिणंतरेसु एत्य गं विमुयस अवोच्छेदे ५० मज्झिमएसु सत्तमु जिणंतरेसु एस्थ पं. कालियमुपस्स वोरछेदे प०; विगं पोच्छिन्ने विहिवाए।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy