SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ છે દુનિયાના તખ્ત ઉપર એક સનાતન સિદ્ધ નિયમ એવો તે છે કે દરેક કાર્યની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ કારણ તે હેય જ છે. તેમ આ પુસ્તકની ઉત્પત્તિમાં પણ બન્યું છે. આ વર્ષે, અહીંના ગોપીપુરામાંના નેમુભાઈ શેઠની વાડીના ઉપાશ્રયે, શ્રીસંઘની વર્ષોની વિનંતીના સ્વીકાર બાદ પરમપૂજ્ય શાસનસમ્રા આચાર્ય શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર સમયજ્ઞ શાન્તમૂર્તિ આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના પટ્ટધર પ્રાકૃતવિ-વિશારદ સિદ્ધાન્ત મહેદધિ આચાર્ય શ્રીવિકસ્તૂરસૂરિજી મહારાજ સાહેબ આદિ ઠા. ૧૯ ચાતુમાસાર્થે પધારવાથી શ્રીસંઘમાં અપૂર્વ આનંદ પ્રસરી રહ્યો છે, અને તેઓશ્રીની શીતળ છાયામાં અનેકવિધ શાસનની પ્રભાવનાનાં કાર્યો થઈ રહ્યાં છે. તેઓ પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રીપિસ્તાલીસ આગમન તપની શરૂઆત ૮૦ ભાવુક શ્રાવક-શ્રાવિકાઓએ કરી. આંથી દિનપ્રતિદિન આરાધક–વર્ગમાં આરાધનાના રસની વૃદ્ધિ થવા માંડી. આ તપ સાથે એકાદશ-અંગ, સ્વર્ગ–સ્વસ્તિક વગેરે તપનાં આરાધકોને પણ વધારે થવાથી આરાધનામાં વિશેષ આનંદ આવવા લાગ્યો. ત્યાં તે આ તપની પુણ્ય સ્મૃતિ કાયમ રહ્યા કરે તેમજ તપની વિવિધ મંગળ સમાપ્તિ નિમિત્તે તપના બહુમાન કરવા રૂપ શાસનની પ્રભાવના કરવાનાં ચક્ર આરાધક-વર્ગમાં ગતિમાન બન્યાં અને તે કાર્યને પહોંચી વળવા માટે ફાળે શરૂ થશે. તેના ફળ સ્વરૂપે પૂજા, પ્રભાવના અને ભાવના થવા સાથે ભવ્ય રથયાત્રાને વરઘો શ્રીજિનાગમરથ'ની કળાત્મક રચનાની વિશિષ્ટતાવાળા શાસનની પ્રભાવનાને. વધારતે નીચે હતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004616
Book TitlePistalisa Agam Sankshipta Ruprekha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Hirabhai Naginbhai Jariwala
Publication Year1954
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy