SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર [૫૭] લિ વ્રજેન તપોfમ સંન્ન નિરાઃ | किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥४॥ અનુવાદ : દંભનો જો ત્યાગ કર્યો ન હોય તો વ્રત વડે અથવા તપશ્ચર્યા વડે શું મળે? જો દૃષ્ટિની અંધતા ન ગઈ હોય તો અરીસો (આદર્શ) અથવા દીપક શાં કામનો ? વિશેષાર્થ : માણસ દીક્ષા અંગીકાર કરે અથવા બીજાં કેટલાંક વ્રત ધારણ કરે અથવા વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, પરંતુ એના હૃદયમાંથી જો દંભ ન નીકળ્યો હોય એટલે કે એનામાં હદયની સરળતા અને નિર્મળતા ન હોય તો તેવાં વ્રતો કે તેવી તપશ્ચર્યા બહુ ફળ ન આપી શકે. દંભ હોય ત્યાં ધ્યેયની વિશુદ્ધિ ન રહે અને તદનુસાર આચરણની વિશુદ્ધિ ન આવે. એટલે તે ઈષ્ટ ફળ ન આપી શકે. જેમ અંધ માણસ આગળ અરીસો ધરવામાં આવે તો પણ તે તેમાં પોતાનું મુખ જોઈ શકતો નથી, અથવા કોઈ ઓરડામાં અંધારું હોય અને દીવો ધરવામાં આવે તો પણ અંધ માણસ ત્યાં કશું જોઈ શકતો નથી. એટલે કે અરીસો અને દીપક એ બંને દ્વારા તેને કશું ફળ મળતું નથી. તેવી રીતે માયાકપટ કરનાર માણસને પણ કશું જ તાત્ત્વિક ફળ મળતું નથી. [૫૮] શત્નો ચરાવ્યા-fમક્ષ બ્રહ્મવ્રતાલિમ્ | दंभेन दूष्यते सर्वं त्रासेनेव महामणिः ॥५॥ અનુવાદ : કેશનો લોચ, પૃથ્વી ઉપર શયન, ભિક્ષા અને બ્રહ્મચર્યાદિક વ્રતો દંભને કારણે દૂષિત થાય છે, જેમ મહામણિમાં ત્રાંસ હોય તેમ. વિશેષાર્થ : જે માણસ દીક્ષા ગ્રહણ કરે એને કેશલોચ કરવો પડે, ભૂમિ ઉપર સંથારો કરવો પડે, ભિક્ષા લેવા નીકળવું પડે, બ્રહ્મચર્ય વ્રત અને બીજાં વ્રતોનું પાલન કરવું પડે. મુનિ જીવનનાં આ બધાં લક્ષણો છે. આ બધાં કષ્ટો સ્વેચ્છાએ, ઉચ્ચતમ ધ્યેયપૂર્વક મુનિઓએ સ્વીકારેલાં હોય છે. પરંતુ એવા મુનિજીવનમાં દંભનું, માયાચારનું કે કપટભાવનું સેવન થવા લાગે અને તેની લોકોને જાણ થાય તો લોકોનો તેવા મુનિમાંથી વિશ્વાસ ઊઠી જાય. લોકો તેના વ્રતપાલન વિશે પણ શંકા કરવા લાગે. અહિંસાદિ પંચ મહાવ્રતોનું પાલન મહામણિ જેવું છે. કદ અને આકારની દૃષ્ટિએ મૂલ્યવાન મણિ હોય પરંતુ એવા મણિમાં ત્રાંસ હોય, એટલે કે છાંટ, ડાઘો, કાકપદ, જીરમ, ડૂચું ઇત્યાદિ પ્રકારની એબ હોય તો તે મણિની કિંમત ઘટી જાય છે. તેવી રીતે દંભયુક્ત મુનિજીવનનું ગૌરવ ઘટી જાય છે. [૫૯] સુi રસનાપલ્ય સુત્ય પ્રેમૂષણમ્ | सुत्यजाः कामभोगाश्च दुस्त्यजं दंभसेवनम् ॥६॥ અનુવાદઃ રસની લંપટતા સહેલાઈથી ત્યજી શકાય છે; દેહનાં આભૂષણો સહેલાઈથી ત્યજી શકાય છે; કામભોગો સહેલાઈથી ત્યજી શકાય છે; પરંતુ દંભનું સેવન સહેલાઈથી ત્યજી શકાય તેવું નથી. ૩૦ For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy