SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : વ્યવહાર નથી કરાતી સ્તુતિ અને નિશ્ચયનયથી કરાતી સ્તુતિ વચ્ચેનો ભેદ બરાબર સમજાવો જોઈએ. સંસારમાં કેટલાયે જીવો એવી ભૂમિકાવાળા હોય છે કે જેમને માટે તીર્થકર પરમાત્માની બાહ્ય સંપદારૂપ સ્તુતિ અનુરૂપ હોય છે. તેમને માટે નિશ્ચયસ્વરૂપની સ્તુતિનો આગ્રહ રાખવામાં આવે તો તેથી તો તેઓ ગૂંચવાશે, કારણ કે તે ગ્રહણ કરવા જેટલો અધિકાર હજુ તેમણે પ્રાપ્ત કર્યો નથી. તેવી જ રીતે નિશ્ચયનયની ભૂમિકાએ પહોંચેલા સાધકને ઉપચારસ્તુતિથી આનંદ ન થાય. એટલે કોઈપણ એક પ્રકારની જ સ્તુતિ હોવી જોઈએ એવા આગ્રહ કે અભિનિવેશ અનર્થકારી નીવડે છે. પરમાત્માની સ્તુતિની બાબતમાં પણ અમુક જ પ્રકારના અભિનિવેશને છોડીને સમત્વબુદ્ધિ રાખવી જોઈએ. તલવાર મૂઠને બદલે ખોટી જગ્યાએ પકડવા જતાં જેમ એની ધાર વાગી જાય છે, લોહી નીકળે છે અને પીડા થાય છે, તેમ સ્તુતિ માટેના ખોટા અભિનિવેશથી પરિણામે ક્લેશ અને ખેદ થાય છે. પોતે જ સાચા અને બીજા ખોટા એવો આગ્રહ નિશ્ચયવાદીઓએ કે વ્યવહારવાદીઓએ સ્તુતિના વિષયમાં છોડી દેવો જોઈએ. [૮૦૬] મણિપ્રમામાનચાવેર મળજ્યના | वस्तुस्पर्शितया न्याय्या यावन्नानंजनप्रथा ॥१२९॥ અનુવાદ : મણિપ્રભા-મણિશાનના ન્યાયની જેમ, જ્યાં સુધી અનંજનપ્રથા ન હોય ત્યાં સુધી વસ્તુને સ્પર્શ કરવાની શુભ કલ્પના ન્યાયયુક્ત છે. વિશેષાર્થ : અષ્ટપ્રાતિહાર્યો, અતિશયો, સમવસરણ ઇત્યાદિના વર્ણન વડે જિનેશ્વર ભગવાનની વ્યવહારસ્તુતિ કરવી તે સર્વથા અયોગ્ય જ છે એમ ન કહી શકાય. સંસારમાં બધા જ જીવો એકસરખી ઊંચી દશાના નથી હોતા. કોઈક સામાન્ય દશાના કે મધ્યમ દશાના પણ હોય છે. કેટલાક જીવો જીવનકાળ દરમિયાન ત્યાંના ત્યાં જ રહે છે, તો કેટલાક અનુક્રમે ઊંચી દશાને પાત્ર બને છે. અહીં “અનંજન-પ્રથા' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અનંજન એટલે નિરંજન અને પ્રથા એટલે દશા. અંજનપ્રથા એટલે રાગદ્વેષયુક્ત સાંસારિક અવસ્થા. અનંજન-પ્રથા એટલે રાગ-દ્વેષ-રહિત અવસ્થા. અહીં ગ્રંથકારશ્રી કહે છે કે જયાં સુધી ઉચ્ચ આધ્યાત્મિક દશા (અનંજનપ્રથા) પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી વ્યવહારસ્તુતિની શુભકલ્પના ન્યાયયુક્ત છે. અહીં મણિપ્રભા-મણિજ્ઞાન નામના સંસ્કૃત ન્યાયનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. મણિ એટલે રત્ન અને પ્રભા એટલે તેના બાળકો, સામાન્ય માણસો પ્રારંભમાં રત્નના તેજથી આકર્ષાય છે. પરંતુ જેમ જેમ તેઓ એ રત્ન તરફ આકર્ષાય છે તેમ તેમ આગળ જતાં એમને ભિન્નભિન્ન રત્નનું મૂલ્ય સમજાય છે. રત્ન વિશે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ રત્ન તરફ આકર્ષાવાનું પ્રથમ પ્રયજન તો અદ્દભુત તેજ છે. તેવી રીતે બાળ જીવો, સામાન્ય માણસો તીર્થંકર ભગવાનના તેજથી પ્રભાવિત થાય છે અને ભક્તિ માટે આકર્ષાય છે. ત્યારપછી એમના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે એ જ્ઞાન થતાં પહેલાંની વ્યવહારસ્તુતિની શુભકલ્પના યોગ્ય જ છે. Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy