SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર ધ્યાન ધરી શકાય છે. એમાં કસોટી હોય તો માત્ર એટલી જ છે કે ધ્યાનયોગની સ્થિરતા પ્રાપ્ત થાય છે કે નહિ ? દેશની અનુકૂળતા હોય, કાળની અનુકૂળતા હોય, અવસ્થા – આસનની અનુકૂળતા હોય – બધું જ મનપસંદ હોય અને છતાં ચિત્ત ધ્યાનમાં પરોવાતું ન હોય, ચંચલતા આવી જતી હોય એવું બને તો પછી એ બધી અનુકૂળતાઓ કશી કામની રહેતી નથી. એનું કોઈ મૂલ્ય નથી. કેટલીક વાર આરંભકાળમાં કાચા સાધકો પોતાના મનની ચંચલતાનો બચાવ કરવા માટે સ્થળ, કાળ કે આસનનો વાંક કાઢતા હોય છે. વળી કેટલાક એ ત્રણેની ચોકસાઈની એટલી ચીકાશ કે ફરિયાદ કરતા હોય છે કે તેમનો બધો સમય એમાં જ વીતી જાય છે અને ધ્યાન માટે સમય રહેતો નથી. એટલે સર્વ પ્રથમ, ધ્યાન માટેનાં રસરુચિને કેળવવાની અને એને પ્રબળ બનાવવાની આવશ્યકતા છે. [૬૦૮] વાવના વૈવ પૃચ્છા પર વૃજ્યગુરન્તા क्रिया चालम्बनानीह सद्धर्मावश्यकानि च ॥३१॥ અનુવાદ : વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુચિંતન તથા સધર્મની આવશ્યક ક્રિયા એનાં (ધર્મધ્યાનનાં) આલંબનો છે. વિશેષાર્થ : હવે આ શ્લોકમાં ધ્યાન માટેનાં આલંબનો વિશે કહ્યું છે. આત્મા જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના તથા વૈરાગ્યભાવનાથી ભાવિત થાય તે પછી ધ્યાન પર આરૂઢ થવા માટે એણે કેવાં આલંબન લેવો જોઈએ કે જેથી તે ધ્યાનમાં સ્થિર રહી શકે ? શાસ્ત્રકારોએ બતાવ્યું છે કે ધર્મધ્યાનમાં ટકી રહેવા માટે કેટલાંક આલંબનની ઉપયોગિતા છે અને આવશ્યકતા પણ છે. પંચમહાવ્રતધારી સંયમી સાધુઓ માટે શ્રતધર્મ અને ચારિત્રધર્મને લક્ષમાં રાખીને જે આલંબનો બતાવવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે : વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુપ્રેક્ષા (અનુચિંતન) – આ ચાર મૃતધર્મનાં ધર્મધ્યાન માટેનાં આલંબનો છે. ચારિત્રધર્મમાં સામાયિક, પડિલેહણ ઇત્યાદિ આવશ્યક ક્રિયાઓ ધર્મધ્યાન માટે આલંબનરૂપ છે. વાચના એટલે ભણવું અને ભણાવવું. ગણધરાદિએ રચેલાં સૂત્રોના શબ્દ અને અર્થ ગુરુભગવંત શિષ્યને સમજાવે છે. શિષ્ય જો આ સૂત્રાર્થ સમજવામાં એકાગ્રતાપૂર્વક રસ લે તો તે ધર્મધ્યાન પર ચડી શકે છે. વળી વાચનાદિ કર્મનિર્જરાનાં મોટાં નિમિત્તો બની શકે છે. પૃચ્છના એટલે પૂછવું. પોતાને જે ભણાવવામાં આવે તેમાં કંઈ ન સમજાય, શંકા થાય તો શિષ્ય વિનયપૂર્વક અવશ્ય પૂછવું જોઈએ. પરાવર્તન એટલે પુનરાવર્તન (Revision). ભણેલું ભૂલાય નહિ એ માટે ફાજલ સમયમાં સૂત્રાર્થની પુનરાવૃત્તિ – પરાવર્તનાની પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ. એથી મન પણ શુભ પ્રવૃત્તિમાં જોડાયેલું રહે. એથી કર્મની નિર્જરા પણ થાય. અનુચિંતા અથવા અનુપ્રેક્ષા એટલે જે ભણી ગયા હોય તે સ્ત્રાર્થનું અને એનાં સૂક્ષ્મ રહસ્યોનું અવિસ્મરણ ન થાય તે માટે મનમાં વારંવાર ચિંતન કરવું તે. આમ વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુચિંતા એ ચાર ધર્મધ્યાન માટેનાં શ્રતધર્મમાં રહેલાં આલંબનો છે. આ ઉપરાંત ધર્મધ્યાન માટે સામાયિક વગેરે આવશ્યક ક્રિયાઓ પણ આલંબનરૂપ છે. એ ક્રિયાઓ ચારિત્રધર્મના અંગરૂપ છે. ૩૫૩ Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy