SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર વિશેષાર્થ : ગુરુના અંત:કરણમાં વાત્સલ્યભાવ હોય અને તેઓ શિષ્યને શાસ્ત્રના અર્થોનો બોધ કરવાની કૃપા કરવાવાળા હોય તો પણ કદાગ્રહી શિષ્યના મનમાં વિપરીત ભાવો હોય છે. તે શાસ્ત્રના અર્થોને ગ્રહણ કરતો નથી. પરિણામે તે કદાગ્રહી શિષ્યનું અહિત થાય છે. કેટલાક કદાગ્રહીઓની એવી પ્રકૃતિ થઈ જાય છે કે તેમને ઉત્તમ વસ્તુ પ્રત્યે રુચિ થતી નથી. તુચ્છ વસ્તુઓમાં જ તેમની પ્રીતિ રહે છે. જેમ કાંટાળી વનસ્પતિ ખાવામાં રાચતા ઊંટ આગળ દ્રાક્ષની લૂમ ધરવામાં આવે તો તે તેના તરફ નજર સુદ્ધાં કરતો નથી. જયારે આમ થાય ત્યારે દ્રાક્ષનો દોષ કેમ કાઢી શકાય ? તેવી રીતે દુરાગ્રહી શિષ્યને શાસ્ત્રનો બોધ ન થાય તો તેમાં વાર્તાલ્યસભર ગુરુની કૃપાનો દોષ કેમ કાઢી શકાય ? [૪૮૩] સાહાન્યામર સંતિ થે कुर्वन्ति तेषां न रतिर्बुधेषु । विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्ननिष्ठाः प्रसभं भवन्ति ॥११॥ અનુવાદ : અસગ્રહને લીધે જેઓ પામર માણસોની સંગતિ કરે છે તેઓને વિદ્વાનો ઉપર પ્રીતિ થતી નથી. વિષ્ટા ખાઈને પુષ્ટ થયેલા કાગડાઓ મિષ્ટાન્નમાં બિલકુલ આસક્ત થતા નથી. વિશેષાર્થ : સોબતની અસર માણસના જીવન ઉપર ઘણી બધી થાય છે. એક વખત પામર મનુષ્યોની ખરાબ સોબતનો રંગ લાગે તો પછી એમાંથી મુક્ત થવાનું ઘણું કપરું છે. મુક્ત થવાની રુચિ પણ થતી નથી. બીજા મુક્ત કરાવવા ઇચ્છે તો પણ તેઓ તેમાં સફળ થઈ શકતા નથી. એવી રીતે કેટલાક માણસોને જ્ઞાનીજનો પ્રત્યે અકારણ પૂર્વગ્રહ બંધાઈ જાય છે. તેઓને જ્ઞાની મહાત્માઓની જ્ઞાનની વાતો ચતી નથી; એવા માણસો પોતાની હલકી સોબતમાં હલકી વાતો કરવામાં ખીલી ઊઠે છે. કદાગ્રહી માણસોની આવી પ્રકૃતિ થઈ જાય છે. તેઓ જ્ઞાની મહાત્માઓની નિંદા, કુથલીમાં અને અસત્ વચનોમાં રસ ધરાવે છે. આવા કદાગ્રહીઓને કાગડા સાથે સરખાવી શકાય. કાગડો મિષ્ટાન્ન અને વિષ્ટા બંને પડ્યાં હોય તો તે વિષ્ટા જ ખાવા દોડશે. તેને પરાણે મિષ્ટાન્ન તરફ વાળવામાં આવે તો પણ તે ન ખાતાં વિષ્ટા તરફ જ જશે. વિષ્ટા ખાઈને પુષ્ટ થયેલા કાગડાની એવી પ્રકૃતિ થઈ જાય છે. [४८४] नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं मतौ यः प्रसभं नियुङ्क्ते । असद्ग्रहादेव न कस्य हास्योऽ जले घटारोपणमादधानः ॥१२॥ અનુવાદઃ યુક્તિને વિશે જે પોતાની બુદ્ધિને જોડતો નથી, પરંતુ પોતાની બુદ્ધિને વિશે યુક્તિને બળાત્કારે યોજે છે તે અસદ્ગહી મૃગજળમાં ઘડો નાખનારની જેમ કોને હાંસી કરવા યોગ્ય ન થાય? વિશેષાર્થ : માણસને કદાગ્રહ વળગે છે ત્યારે એની બુદ્ધિ અવળી ચાલે છે. સામાન્ય રીતે ધર્મજિજ્ઞાસુ ૨૬૯ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 cation International 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy