SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસારે વાદળાં ત્યાં ને ત્યાં જ રહે પણ વરસે નહિ તો દાવાનળ ન ઓલવાય. એથી તો ધૂમાડાના ગોટેગોટા ચારેબાજુ પ્રસરતા જાય. પણ જો કાળાં વાદળાં વરસી પડે તો દાવાનળ શાન્ત થઈ જાય. આકાશ પણ સ્વચ્છ અને પ્રકાશિત થઈ જાય તથા વાતાવરણ નિર્મળ બની જાય. અહીં મિથ્યાત્વ એ જો દાવાનળ છે તો કાળાં વાદળાં એ અસદ્ગહ-કદાગ્રહ છે. કાળાં વાદળાં વરસી જાય એટલે કે અસગ્રહનો ત્યાગ થાય તો મિથ્યાત્વરૂપી દાવાનળ શાન્ત થઈ જાય. આમ મિથ્યાત્વ ચાલ્યું જવા માટે, અને સમ્યક્ત્વ પ્રગટ થવા માટેની એક મહત્ત્વની શરત તે કદાગ્રહનો ત્યાગ છે. જયાં સુધી કદાગ્રહ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે અને જયાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સંસારમાં, રખડવાનું છે. જેઓ મુમુક્ષુ છે–આત્મવિકાસ સાધી ઊંચી ગુણશ્રેણીએ ચડવાના અભિલાષી છે તેઓએ તો હમેશાં કદાગ્રહથી, દુરાગ્રહથી મુક્ત રહેવાનો સતત પ્રયાસ જાગ્રતપણે કરતા રહેવાની આવશ્યકતા છે. [૪૭૪] મહાનિર્વાનિત યન્તઃ क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशान्तिपुष्पाणि हितोपदेश फलानि चान्यत्र गवेषयन्तु ॥२॥ અનુવાદ : જેનું હૃદય અસદુગ્રહરૂપી અગ્નિથી બળી ગયેલું છે તેમાં તત્ત્વજ્ઞાનના વ્યવસાયરૂપી વેલ, શાન્તિરૂપી પુષ્પો અને હિતોપદેશરૂપી ફળો ક્યાંથી હોય? માટે તેની શોધ અન્યત્ર કરવી જોઈએ. વિશેષાર્થ : જે ધરતીમાં અસહ્ય ગરમી હોય ત્યાં વાવેલી વેલડીઓ વિકાસ ન પામી શકે. ગરમીમાં તે કરમાઈ જાય. વેલડીઓને ઊગવા માટે તો કૂણી ભેજવાળી ફળદ્રુપ ધરતી જોઈએ. પાણીનું સિંચન જોઈએ. એવા સાનુકૂળ વાતાવરણમાં વિકસેલી વેલડીઓ પર પુષ્પ આવે છે અને પછી મીઠાં ફળ આવે છે. પણ મૂળમાં જ જ્યાં ખામી હોય ત્યાં પુષ્પ અને ફળની તો આશા જ ક્યાંથી રાખી શકાય ? પુષ્પ અને ફળ માટે તો સાનુકૂળ ધરતી અને વાતાવરણવાળા અન્ય સ્થળે જવું જોઈએ. એવી રીતે જેના અંતઃકરણમાં અસગ્રહનો અગ્નિ બળતો હોય ત્યાં તત્ત્વના નિશ્ચયરૂપી વેલડીનો વિકાસ ક્યાંથી થાય ? અને જો એ વિકાસ ન થાય તો પ્રશમરૂપી પુષ્પો અને હિતોપદેશરૂપી ફળની તો આશા ક્યાંથી રાખી શકાય ? એવું જોઈતું હોય તો જ્યાં અસગ્રહ કે કદાગ્રહ નથી ત્યાં જવું જોઈએ. ૪િ૭૫] ૩થી વિવિષ્યનિશ વિરઃ सद्ग्रहात्पंडितमानिनो ये । मुखं सुखं चुंबितमस्तु वाचो लीलारहस्यं तु न तैर्जगाहे ॥३॥ અનુવાદ : થોડુંક ભણીને અને થોડુંક સાંભળીને જેઓ અસઘ્રહને લીધે પોતાની જાતને ૨૬૪ For Private & Persona Jain Education Intemational 2010_05 emational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy