SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર વળી સમતાનો ગુણ બીજા અનેક ઉત્તમ ગુણોને ખેંચી લાવે છે. ગુણરત્નોના સંગ્રહની દષ્ટિએ સમતા રોહણાચલની ભૂમિ બરાબર છે. રોહણાચલનો પ્રદેશ રત્નોની ખાણ જેવો છે. જ્યાં ખોદો ત્યાંથી રત્નો નીકળે છે. સમતા આવી રીતે અનેક ગુણરત્નોના સંગ્રહ જેવી છે. [૨૫૩] મોદી છાલિતનેત્રામાત્મિરૂપમવતમ્ | दिव्यांजनशलाकेव समता दोषनाशकृत् ॥१८॥ અનુવાદ : જેમનાં નેત્રો મોહથી આચ્છાદિત થયેલાં છે અને તેથી જેઓ આત્મસ્વરૂપને નિહાળી શકતા નથી તેઓને માટે સમતા દિવ્ય અંજનની શલાકાની જેમ દોષ(અજ્ઞાન)નો નાશ કરનારી થાય છે. ' વિશેષાર્થ : આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિએ સમતાને દિવ્ય અંજનની શલાકા સાથે સરખાવી છે. સ્વચ્છ, નિરામય નેત્રોથી બધું યથાર્થ દેખાય છે, પરંતુ જ્યારે નેત્રરોગ થાય છે ત્યારે દર્શન આચ્છાદિત થઈ જાય છે. એ વખતે સળી (શલાકા) ઉપર યોગ્ય પ્રકારનું અંજન લઈ આંખે લગાડાય તો તરત દૃષ્ટિ સાફ થઈ જાય છે અને બધું બરાબર સ્પષ્ટ દેખાય છે. એવી રીતે મોહને (અજ્ઞાનને) કારણે જીવનમાં આંતરચક્ષુ જ્યારે આવરિત થઈ જાય છે ત્યારે સમતા દિવ્ય અંજનયુક્ત શલાકાનું કામ કરે છે. આંતરચક્ષુના મોહતિમિરને હરનાર એ મહાઔષધિ છે. એનાથી મોહાંધતાનો નાશ થાય છે. [૨૫૪] ક્ષdi વેતર સમષ્યિ સમતા ય િસેવ્યતે | स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥१९॥ અનુવાદ : ક્ષણવાર પણ જો ચિત્તને આકર્ષીને સમતાનું સેવન કરવામાં આવે તો તેથી એવું સુખ અનુભવાય છે કે જેનું વર્ણન થઈ શકે તેમ નથી. ' વિશેષાર્થ : જ્યાં સુધી ચિત્ત ઇન્દ્રિયોના વિષયોમાં અથવા રાગદ્વેષાદિ ભાવોમાં રોકાયેલું રહે ત્યાં સુધી તે સમતા તરફ ન વળી શકે. સમતા તરફ જવું હોય તો ચિત્તને સાંસારિક વિષયો અને ભાવોમાંથી પાછું ખેંચી લેવું પડશે. સરખી રીતે ચિત્તને જો ખેંચી શકાય તો જ સમતાના અનુભવની શક્યતા છે. અહીં કહેવામાં આવ્યું છે કે આવો પ્રયોગ એક ક્ષણ માટે પણ જો થઈ શકે તો પણ સમતાના સામર્થ્યનો ખ્યાલ આવી શકે. અહીં એક ક્ષણની જ વાત કરી છે. એનો અર્થ એ થયો કે સામાન્ય મનુષ્યોના જીવનમાં એક ક્ષણ માટે પણ ચિત્ત રાગદ્વેષની પરિણતિ વગર રહેતું નથી. [૨૫૫] મારી જ યથા વેત્તિ પુર્વ તિમોનિમ્ | न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥२०॥ અનુવાદ : જેમ કુંવારી કન્યા પતિ સાથેના ભોગથી ઉત્પન્ન થતા સુખને જાણતી નથી, તેમ યોગીઓના સમતાના સુખને લોકો જાણતા નથી. વિશેષાર્થ : યોગી મહાત્માઓના સમતાના સુખની અનિર્વચનીયતા દર્શાવવા માટે ગ્રંથકાર મહર્ષિએ અહીં કુંવારી કન્યાનું દષ્ટાન્ન આપ્યું છે. અવિવાહિત નિર્દોષ બાલિકાને પતિ સાથેના ભોગસુખની કંઈ ૧૩૮ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy